Hungary: નેશનલ હોલિડે પર હવામાનશાસ્ત્રીઓની આગાહીને કારણે આતિશબાજી રદ કરવી પડી, ખોટી આગાહીને કારણે અધિકારીઓને કરાયા સસ્પેન્ડ
Hungary:હવામાનશાસ્ત્રીઓએ રાષ્ટ્રીય રજાના અવસર પર બુડાપેસ્ટમાં તોફાન આવવાની આગાહી કરી હતી, પરંતુ વાવાઝોડું આવ્યું ન હતું. આ પછી હંગેરિયન સરકારે રાષ્ટ્રીય હવામાન સેવાના વડા અને તેમના નાયબને સસ્પેન્ડ કરી દીધા.
Hungary: હંગેરીમાં, હવામાન વિભાગના (Meteorologist)બે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કારણ કે હવામાન વિશેની તેમની આગાહીઓ ખોટી નીકળી હતી. સરકારની રાષ્ટ્રીય રજાના અવસર પર ફટાકડા ફોડવાની (fireworks)યોજના હતી. પરંતુ ખરાબ હવામાનની આગાહીને કારણે તેને મોકૂફ રાખવી પડી હતી. હવામાનશાસ્ત્રીઓએ રાષ્ટ્રીય રજાના અવસર પર બુડાપેસ્ટમાં તોફાન આવવાની આગાહી કરી હતી, પરંતુ વાવાઝોડું આવ્યું ન હતું. આ પછી હંગેરિયન સરકારે રાષ્ટ્રીય હવામાન સેવાના વડા અને તેમના નાયબને સસ્પેન્ડ કરી દીધા.
હંગેરિયન ટેક્નોલોજી પ્રધાન લાસ્ઝલો પાલ્કોવિઝે NMS પ્રમુખ કોર્નેલિયા રેડિક્સ અને તેમના ડેપ્યુટી ગ્યુલા હોર્વાથને કોઈપણ કારણ આપ્યા વિના બરતરફ કરવાનો આદેશ આપ્યો છે. બુડાપેસ્ટમાં ડેન્યુબ નદી પર સામાન્ય રીતે દર વર્ષે ફટાકડાની આતિશબાજી યોજવામાં આવે છે, જે યુરોપનો સૌથી મોટો ફટાકડા શો હોવાનું માનવામાં આવે છે. તેવી જ રીતે, શુક્રવારે અહીં ફટાકડા ફોડવાની યોજના હતી. પરંતુ હવામાનની આગાહીને કારણે છેલ્લી ઘડીએ તેને રદ કરવી પડી હતી.
હવે આ અઠવાડિયે આતશબાજી થશે
જોકે, પાંચ કિલોમીટરના વિસ્તારમાં 240 પોઈન્ટ પરથી 40 હજાર ફટાકડા ફોડવા માટે તૈયાર હતા. શો કેન્સલ થયા પછી પણ તેને આ અઠવાડિયા માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવ્યો છે. સરકાર સમર્થિત મીડિયાએ હવામાન વિભાગની ખોટી હવામાન આગાહી માટે ટીકા કરી હતી અને કહ્યું હતું કે રાષ્ટ્રીય હવામાન સેવાઓએ ખોટી હવામાન માહિતી આપી હતી. આવી સ્થિતિમાં સુરક્ષા માટે તૈયાર ઓપરેશન ટીમને પણ ગેરમાર્ગે દોરવાનું કામ NMSએ કર્યું છે. દર વર્ષે 20 ઓગસ્ટે હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં સેન્ટ સ્ટીફન ડે નિમિત્તે ફટાકડાનો શો યોજાય છે. આ દિવસ હજારો વર્ષ પહેલા ખ્રિસ્તી હંગેરીની સ્વતંત્રતાની યાદમાં ઉજવવામાં આવે છે, જે આજે પણ અકબંધ છે.
ફટાકડાનો વિરોધ
જોકે દર વર્ષે આ ફટાકડા પાછળ જંગી ખર્ચ કરવામાં આવે છે જેનો પણ વિરોધ કરવામાં આવ્યો છે. 10 કરોડથી ઓછી વસ્તી ધરાવતા દેશની અર્થવ્યવસ્થા પણ એટલી મજબૂત નથી અને તેના વિરોધીઓ માને છે કે આવા ફટાકડાના બદલામાં તે પૈસાનો ઉપયોગ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે થવો જોઈએ. આ અંગે એક જાહેર અરજી પણ કરવામાં આવી હતી, જેમાં બે લાખ લોકોએ સહી કરી હતી. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.