Gunmen Attack in Mali: માલીમાં બંદૂકધારીઓનો ‘આતંક’! ટ્રકમાં જઈ રહેલા નિર્દોષ લોકો પર હુમલો, 31ના મોત

માલીમાં (Mali) બંદૂકધારીઓએ નાગરિકોને લઈ જતી ટ્રક પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 31 લોકોના મોત થયા હતા.

Gunmen Attack in Mali: માલીમાં બંદૂકધારીઓનો 'આતંક'! ટ્રકમાં જઈ રહેલા નિર્દોષ લોકો પર હુમલો, 31ના મોત
Gunmen Attack in Mali
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 11:35 PM

માલીમાં (Mali) બંદૂકધારીઓએ નાગરિકોને લઈ જતી ટ્રક પર હુમલો (Gunmen Attack in Mali) કર્યો હતો. આ હુમલામાં 31 લોકોના મોત થયા હતા. એક સ્થાનિક અધિકારીએ શનિવારે આ જાણકારી આપી. બાંદિયાગરાના મેયર હોસેની સાઈએ જણાવ્યું હતું કે, ટ્રકમાં લગભગ 50 નાગરિકો હતા.

શુક્રવારે શહેરની બહાર લગભગ 10 કિમી દૂર બંદૂકધારીઓએ વાહન પર હુમલો કર્યો હતો. માલીની ટ્રાન્ઝિશનલ પાર્લામેન્ટના સભ્ય અને મેયર સાઈએ જણાવ્યું હતું કે, ગોળીબારના કારણે ટ્રકમાં આગ લાગી હતી અને 31 લોકો માર્યા ગયા હતા. જેના કારણે મોટાભાગના લોકો બળીને મૃત્યુ પામ્યા હતા.

હોસૈની સાઈએ કહ્યું કે, હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે અને બે લાપતા છે. અત્યાર સુધી આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. પરંતુ તે અલ-કાયદા સાથે જોડાયેલા સ્થાનિક સશસ્ત્ર જૂથો દ્વારા હાથ ધરવામાં આવી શકે છે. રક્તપાત મધ્ય માલીમાં સમુદાયો વચ્ચે તણાવ વધારી શકે છે. જેના કારણે આ વિસ્તારમાં હિંસા વધુ વધી શકે છે. અલ-કાયદા સાથે જોડાયેલા સશસ્ત્ર જૂથો દ્વારા માલિયન સૈન્ય સામે હુમલા 2015 માં શરૂ થયા હતા. માલીમાં નાગરિકો અને સંયુક્ત રાષ્ટ્રના શાંતિ સૈનિકો પર હુમલાને કારણે અસુરક્ષા વધી છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

સેનાના કાફલાને બંદૂકધારીઓએ નિશાન બનાવ્યો

ઓગસ્ટની શરૂઆતમાં, બંદૂકધારીઓએ માલીમાં સેનાના કાફલા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 15 જવાનો શહીદ થયા હતા. થોડા દિવસો પહેલા જ દેશના ઉત્તર ભાગમાં થયેલા અન્ય હુમલામાં ડઝનબંધ નાગરિકો માર્યા ગયા હતા. માલીની સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સૈનિકો ડુએન્ટઝા શહેરથી બોની જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની પાસેથી પસાર થઈ રહેલા એક વાહનમાં વિસ્ફોટ થયો હતો. આ પછી ભીષણ ગોળીબાર શરૂ થયો. હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી, પરંતુ તેની પાછળ અલ-કાયદાનો હાથ હતો. 2012 માં, ઇસ્લામી આતંકવાદીઓએ ઉત્તરી માલીના મુખ્ય શહેરો પર કબજો મેળવ્યો.

નાઇઝરમાં જોવા મળ્યો બંદૂકધારીઓનો આતંક

આ પહેલા નાઈજરમાં બંદૂકધારીઓના હુમલામાં (Gunmen attack in Niger) મેયર સહિત ઓછામાં ઓછા 69 લોકો માર્યા ગયા હતા. સરકારે આ હુમલાની પુષ્ટિ કરી હતી. આ હુમલો નાઈજરની બુર્કિના ફાસો (Burkina Faso) અને માલીની (Mali) સરહદ નજીક થયો હતો. આ વિસ્તાર એક અસ્થિર પ્રદેશ છે, જે આફ્રિકાના સાહેલ પ્રદેશના પશ્ચિમ ભાગમાં દેશના સુરક્ષા દળો અને ઈસ્લામિક સ્ટેટ અને અલ-કાયદા સાથે જોડાયેલા સશસ્ત્ર જૂથો વચ્ચે વર્ષોથી લડાઈ ચાલી રહી છે. સંઘર્ષનું કેન્દ્ર રહ્યું છે.

આ પણ વાંચો: Ayush Ministry Recruitment 2021: આયુષ મંત્રાલયમાં નોકરી મેળવવાની તક, 10 ડિસેમ્બર સુધી કરી શકો છો અરજી

આ પણ વાંચો: NHB Recruitment 2021: બેંકમાં નોકરી મેળવવાની તક, આસિસ્ટન્ટ મેનેજર સહિત અનેક જગ્યાઓ માટે ભરતી, જુઓ વિગતો

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">