ભારતીયો માટે ખુશખબર, જર્મનીએ પ્રવાસ પ્રતિબંધ દૂર કરી ખોલ્યા દ્વાર

જર્મનીમાં બુધવારથી ભારત સહિત પાંચ દેશોના પ્રવાસીઓ ફરીથી મુસાફરી કરી શકશે. જર્મની સરકારે આની સત્તાવાર જાહેરાત કરી છે

ભારતીયો માટે ખુશખબર, જર્મનીએ પ્રવાસ પ્રતિબંધ દૂર કરી ખોલ્યા દ્વાર
ભારતીયો માટે ખુશખબર, જર્મનીએ પ્રવાસ પ્રતિબંધ દૂર કરી ખોલ્યા દ્વાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2021 | 6:08 PM

વિશ્વમાં  સતત ફેલાઇ રહેલા કોરોનાના  ડેલ્ટા વાયરસના પ્રકોપ વચ્ચે જર્મની(Germany) એ ભારતીયો માટે પ્રવાસના દ્વાર ખોલ્યા છે. જર્મનીએ કહ્યું હતું કે ભારત(India),બ્રિટન અને અન્ય ત્રણ દેશોના નાગરિકો પર લાદવામાં આવેલા પ્રવાસ પ્રતિબંધને દૂર કરવામાં આવ્યા છે. જર્મની બુધવારથી ભારત સહિત પાંચ દેશો પર મૂકેલા પ્રવાસ પ્રતિબંધને દૂર કરી રહ્યું છે.

જર્મનીની યાત્રા સરળ બનાવવામાં આવશે

જર્મન ફેડરલ સરકારની એજન્સી રોબર્ટ કોચ ઇન્સ્ટિટ્યુટ જે રોગ નિયંત્રણ અને નિવારણની કામગીરી કરે છે તેણે કહ્યું કે ભારત(India),નેપાળ, રશિયા, પોર્ટુગલ અને યુકેને વિવિધ પ્રકારના ચિંતા કરનારા દેશોની વર્તમાન કેટેગરીમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ રીતે જે મુસાફરો જર્મનીના રહેવાસી અથવા નાગરિક નથી તેમના માટે જર્મનીની યાત્રા સરળ બનાવવામાં આવશે. અત્યાર સુધી ફક્ત જર્મનીના નાગરિકોને ‘વેરિએન્ટ્સ ઓફ કન્સર્ન’ વાળા દેશોમાંથી દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી. આ દરમ્યાન રસીકરણ પછી પણ તેમણે બે અઠવાડિયાના આઈસોલેશન નિયમોનું પાલન કરવું પડ્યું.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

દસ દિવસ માટે આઈસોલેશનના રહેવું પડશે નવા નિયમો હેઠળ હવે ‘વેરિએન્ટ્સ ઓફ કન્સર્ન’ વાળા દેશોના મુસાફરોને જર્મનીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. જર્મનીમાં પ્રવેશ પર મુસાફરોએ કોવિડ નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે અને 10 દિવસ માટે આઈસોલેશનના રહેવું પડશે. જો કે આઇસોલેશન પિરિયડ પાંચ દિવસ સુધી ઘટાડવાની પણ વિચારણા છે.

જર્મનીના આ નવા નિયમો બુધવારથી લાગુ થશે. જો રસીના બે ડોઝ લીધા હશે તો કોરોનટાઈન પિરિયડમાંથી મુક્તિ પણ આપી શકાય છે. જર્મનીના આરોગ્ય પ્રધાન જેન્સ સ્પાહે ગયા અઠવાડિયે કહ્યું હતું કે સરકાર આગામી કેટલાક દિવસોમાં ડેલ્ટા વેરિએન્ટથી પ્રભાવિત દેશોના મુસાફરોને પ્રવાસની મંજૂરી આપવા અંગે વિચારી રહી છે.

દુબઇએ પ્રવાસ પ્રતિબંધ પણ હળવો કર્યો હતો

જર્મની દ્વારા એવા સમયે પ્રતિબંધોમાં રાહત આપવામાં આવી છે જ્યારે જાણવા મળ્યું છે કે ડેલ્ટા વેરિએન્ટ પર આ રસી બિનઅસરકારક છે. જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે કહ્યું, “અમને લાગે છે કે નજીકના ભવિષ્યમાં એવા લોકો કે જેમણે રસીના બંને ડોઝ લીધા છે તેમને કોરોનટાઈન થયા વિના મુસાફરી કરી શકશે. ગત મહિને દુબઇ  દ્વારા  યુએઈમાં  માન્ય રસીના બંને ડોઝ લેનારા ભારતીય પ્રવાસીઓ પર પ્રતિબંધ હળવો કર્યો હતો.

આ પણ વાંચો : Vaccine : ભારતમાં સરકારી રસી કેન્દ્રો પર મફતમાં મળશે સ્પુતનિક-V, ટૂંક સમયમાં જથ્થો ઉપલબ્ધ થશે

આ પણ વાંચો : Rathyatra 2021 : અમદાવાદમાં યોજાઈ શકે છે નિયમોને આધિન રથયાત્રા, આગામી બે દિવસમાં લેવાઈ શકે છે નિર્ણય

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">