કોવિશિલ્ડના બીજા ડોઝમાં વધ્યો ગેપ: સરકારે કહ્યું કે તે ‘વિજ્ઞાન દ્વારા સંચાલિત’

કોરોના રસીકરણની વચ્ચે કોવિશિલ્ડ રસીના બીજા ડોઝ માટે સરકારે ગેપ વધાર્યો છે, કહ્યું- આ નિષ્ણાતોના મૂલ્યાંકન પર આધારીત.

કોવિશિલ્ડના બીજા ડોઝમાં વધ્યો ગેપ: સરકારે કહ્યું કે તે 'વિજ્ઞાન દ્વારા સંચાલિત'
Covishield Vaccine
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 16, 2021 | 12:44 PM

કોરોના સંક્રમણને રોકવા માટે દેશભરમાં રસીકરણ અભિયાન ચાલુ છે. 1 મેથી, દેશમાં 18 વર્ષથી ઉપરના લોકો માટે રસીકરણ અભિયાન શરૂ થયું છે. દરમિયાન, ઘણા રાજ્યોમાં રસીનો અભાવ છે. કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ મેળવવા માટે સમયગાળો બદલાયો છે. 14 મેની મધ્યરાત્રિથી કોવિશિલ્ડનો બીજો ડોઝનો સમય વધારવામાં આવ્યો છે.

આ અંગે સરકારનું કહેવું છે કે આ પ્રક્રિયા વૈજ્ઞાનિક તરફથી સંચાલિત કરવામાં આવી રહી છે. જ્યારે બ્રિટેને સહકારી ડોઝ વચ્ચેનું અંતર ઘટાડવાનો નિર્ણય લીધો છે, ત્યારે કેન્દ્ર સરકાર બંને ડોઝ વચ્ચેનું અંતર વધારવાના નિર્ણય પર મક્કમ છે. કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે તે નિષ્ણાતોના આકલન પર આધારિત છે અને આને રસીની અછત અંગે કોઈ વિવાદ ઉભો કરવો જોઈએ નહીં.

નીતિ આયોગનાં સદસ્ય ડૉ. વીકે પોલે કહ્યું કે બ્રિટેન તેની સ્થિતિ, મ્યૂટેન્ટ અને મહામારીને ધ્યાનમાં રાખીને કોવિશિલ્ડની માત્રા વચ્ચેનું અંતર ઓછું કરી રહી છે, અમે આને આપણા જોખમ રોગચાળા વિજ્ઞાનના અનુસાર નક્કી કર્યું છે. આ વિજ્ઞાન દ્વારા સંચાલિત છે અને એક ગતિશીલ પ્રક્રિયા છે. અમે તેના પર પુરી નજર રાખી રહ્યા છીએ. અમે નિષ્ણાંતોના મૂલ્યાંકનના આધારે આ નિર્ણય લીધો છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

કેન્દ્ર સરકારનું કહેવું છે કે નિષ્ણાતોનું આકલન છે કે કોવિશીલ્ડ વેક્સિનનો પહેલો ડોઝ 60-85 ટકા સુધી કોરોના સંક્રમણથી (સામૂહિક રુપથી હલ્કા, મધ્યમ અને ગંભીર પરિસ્થિતિઓ માટે) બચવામાં પ્રભાવી છે અને કોરોનાના ફેલાવાને પણ રોકે છે.

તમને જણાવી દઈએ કે જાન્યુઆરીમાં કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચે ભારતમાં 28 દિવસનો ગેપ હતો, જ્યારે આ રસીને વિકસાવનાર એસ્ટ્રાઝેનેકા કંપનીએ 4-12 અઠવાડિયાના અંતરાલની ભલામણ કરી ચુકી હતી. કોવિશિલ્ડ વેક્સિનનું ઉત્પાદન ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) દ્વારા કરવામાં આવી રહ્યું છે.

કોવિશિલ્ડ વેક્સિન બ્રિટેનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે. આ જ કારણ છે કે આ વેક્સિનને ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા વેક્સિન પણ કહેવામાં આવે છે.

વેક્સિનના બંને ડોઝ વચ્ચે અંતર

કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચે 12 અઠવાડિયાનો અંતર રાખવામાં આવ્યું છે, જ્યારે અન્ય રસી કોવાક્સિનના બે ડોઝમાં 4 થી 8 અઠવાડિયાનો અંતર રાખવામાં આવ્યું છે. બીજી તરફ એસઆઈઆઈના ચીફ કાર્યકારી અધ્યક્ષ આદર પુનાવાલાએ શનિવારે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, સંસ્થા ભારતીય બજારમાં પ્રાધાન્યતાના ધોરણે રસી ઉપલબ્ધ કરાવવા માટે પુરી કોશિશ કરી રહી છે.

નોંધપાત્ર વાત એ છે કે, ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટીટ્યુટ દેશમાં બે મુખ્ય રસી ઉત્પાદકો છે. બંનેએ અત્યાર સુધીમાં ઘણા રાજ્યોમાં આ રસી સપ્લાય કરી છે અને આ સતત ચાલુ છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">