UK France: બોરિસજોન્સને ઇમેન્યુઅલ મેક્રોનને પત્ર મોકલ્યો, ફ્રાન્સે બ્રિટન સાથેની મહત્વપૂર્ણ બેઠક કરી રદ
UK France Fight: બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે તણાવ વધી રહ્યો છે. બ્રિટિશ પીએમ બોરિસ જોન્સને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને એક પત્ર લખ્યો છે. જેના પછી બંને દેશો વચ્ચેની બેઠક રદ કરવામાં આવી છે.
Johnson Letter to Macron: ફ્રાન્સે બ્રિટનની માંગણીઓના વિરોધમાં ગૃહ પ્રધાન પ્રીતિ પટેલ અને તેમના ફ્રેન્ચ સમકક્ષ વચ્ચે સ્થળાંતર કટોકટી પરની મહત્વપૂર્ણ બેઠક રદ કરી છે. ફ્રાન્સના ગૃહ પ્રધાન ગેરાલ્ડ ડોરમેનિને પટેલ સાથેની તેમની રવિવારની બેઠક રદ કરી હતી.
તેમના મંત્રાલયે જણાવ્યું હતું કે તેમને યુરોપિયન દેશોને સંડોવતા મુદ્દાઓ પરની બેઠકોમાં “હવે આમંત્રિત કરવામાં આવશે નહીં”. આ સાથે મંત્રાલયે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સને (Boris Johnson) ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને (Emmanuel Macron) મોકલેલા પત્રનો ઉલ્લેખ કર્યો છે.
આ પત્રમાં જોન્સને જોઈન્ટ પેટ્રોલિંગની (Joint Petroling) વાત કરી છે. જેથી ફ્રેન્ચ બીચ પરથી આવતી બોટને રોકી શકાય. જેને ફ્રાન્સે ‘અસ્વીકાર્ય’ ગણાવ્યું છે. ફ્રાન્સનું કહેવું છે કે, ‘અમે બ્રિટિશ વડાપ્રધાનના જાહેર પત્રને ફગાવીએ છીએ. તેને મંત્રીઓ વચ્ચેની ચર્ચાથી વિપરીત માને છે. તેથી જ પ્રીતિ પટેલને હવે રવિવારની આંતર-મંત્રાલય બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી. જેનું ફોર્મેટ હશેઃ ફ્રાન્સ, બેલ્જિયમ, નેધરલેન્ડ, જર્મની અને યુરોપિયન યુનિયન.
અકસ્માતનો ભોગ બને છે પ્રવાસીઓ ફ્રાન્સની તરફથી આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે બ્રિટનના દરિયાકાંઠે પહોંચવા માટે અસુરક્ષિત પદ્ધતિ અપનાવી રહેલા 27 લોકો બોટ સહિત દરિયામાં ડૂબી ગયા હતા. આ બોટ દ્વારા અસુરક્ષિત ક્રોસિંગની ઘટનાઓને રોકવા માટે બંને દેશો વચ્ચેના મતભેદને દર્શાવે છે. મૃતકોમાં 17 પુરૂષો, 7 મહિલાઓ અને 3 કિશોરોનો સમાવેશ થાય છે.
અંગ્રેજી ચેનલ (ફ્રાન્સ યુકે કોન્ફ્લિક્ટ રીઝન) પર તેમની બોટ અચાનક તૂટી પડી. તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાન અને ઈરાક જેવા યુદ્ધગ્રસ્ત અને ગરીબ દેશોના લોકો સારા જીવનની શોધમાં નાની હોડીઓમાં ગેરકાયદેસર રીતે અન્ય દેશોમાં પ્રવેશ કરે છે. ઘણા લોકો તેમના ગંતવ્ય સ્થાને પહોંચતા પહેલા જ અકસ્માતનો ભોગ બને છે.
ફ્રેન્ચ માછીમારો વિરોધ કરશે ફ્રેન્ચ માછીમારો બ્રેક્ઝિટ પછીના માછીમારી અધિકારોનો વિરોધ કરવા માટે શુક્રવારે ચેનલ ટનલ અને મુખ્ય બંદરોને અવરોધિત કરવાની તૈયારી કરી રહ્યા છે. માછીમારોની રાષ્ટ્રીય સમિતિએ કહ્યું કે તે ટનલ અને કેલાઈસ, સેન્ટ-માલો અને ઓઇસ્ટ્રેહામના ચેનલ પોર્ટ પર વિરોધ કરશે. તેમના વતી એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ અહિંસક રીતે વિરોધ નોંધાવશે. જો કે, આ માર્ગ દ્વારા કરવામાં આવતા વ્યવસાય પર તેની અસર ચોક્કસપણે થઈ શકે છે.
આ પણ વાંચો : 83 Teaser Out : ભારતીય ક્રિકેટની ઐતિહાસિક ક્ષણની ઝલક, રણવીર સિંહની આ ફિલ્મનું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ