જાણો યુએસ સંરક્ષણ સચિવ જનરલ લોઈડની ભારત યાત્રાનો મુખ્ય હેતુ
યુએસ સંરક્ષણ સચિવ જનરલ લોઇડ જે. ઓસ્ટિન 19 થી 21 માર્ચ દરમ્યાન ભારતની મુલાકાતે આવશે. તેમની મુલાકાત દરમ્યાન તેઓ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે વાત કરશે.
યુએસ સંરક્ષણ સચિવ જનરલ લોઇડ જે. ઓસ્ટિન 19 થી 21 માર્ચ દરમ્યાન ભારતની મુલાકાતે આવશે. તેમની મુલાકાત દરમ્યાન તેઓ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે વાત કરશે. તેમની પ્રથમ વિદેશ યાત્રાના ભાગરૂપે સચિવ Austin ભારત-યુએસ વ્યૂહાત્મક ભાગીદારીની મજબૂતાઈ પર ભાર મૂકશે.
આ મુલાકાત દરમિયાન, બંને પક્ષો વચ્ચે દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવા અને પ્રાદેશિક સુરક્ષા પડકારો અને ભારત-પ્રશાંત ક્ષેત્રની સુરક્ષા જાળવવાના સામાન્ય હિતો વિશે ચર્ચા કરવામાં આવશે. સંરક્ષણ સહયોગ વિશેની ચર્ચામાં બંને દેશો કેવી રીતે તેમના લશ્કરી દળો વચ્ચે પરસ્પર સહયોગ અને સંરક્ષણ વેપાર અને ઉદ્યોગ સહયોગને મજબૂત બનાવી શકે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે.
I’ll then travel to India to meet with my counterpart, Minister of Defense @RajnathSingh, and other senior national security leaders to discuss deepening the U.S.-India Major Defense Partnership and advancing cooperation between our countries. https://t.co/WXPAe3m5cC
— Secretary of Defense Lloyd J. Austin III (@SecDef) March 10, 2021
ઉલ્લેખનીય છે કે, સંરક્ષણ સચિવ જનરલ લોઈડ જે. Austin એ ટ્વિટર પર લખ્યું છે, “સંરક્ષણ સચિવ તરીકે હું મારી પહેલી વિદેશી યાત્રા પર છું. હું મારા સમકક્ષો અને અન્ય અધિકારીઓને મળીને અમારા સમકક્ષો અને ભાગીદારીના મહત્વ વિશે ચર્ચા કરીશ.” અને સાથે અમે એક મુક્ત અને ખુલ્લા ભારત-પ્રશાંત ક્ષેત્ર પ્રત્યેની યુ.એસ.ની પ્રતિબદ્ધતાને મજબુત બનાવશે.હું મારા સમકક્ષ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને મળવા માટે ભારત જઈશ અને યુએસ-ભારતના અન્ય વરિષ્ઠ રાષ્ટ્રીય સુરક્ષા નેતાઓને મળશે, હું મુખ્ય સંરક્ષણ ભાગીદારીને મજબૂત બનાવવા અને સહયોગને આગળ વધારવાની ચર્ચા કરીશ. બંને દેશો વચ્ચે. “