Earthquake in Pakistan: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ, 300 કરતા વધારે મકાનને નુક્સાન

પાકિસ્તાનની (Pakistan) રાજધાની ઈસ્લામાબાદ અને ખૈબર પખ્તુનખ્વા સિવાય બલૂચિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની અસર પાકિસ્તાન ઉપરાંત ઈરાન અને અફઘાનિસ્તાન પણ થઈ હતી.

Earthquake in Pakistan: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ, 300 કરતા વધારે મકાનને નુક્સાન
Earthquake In Pakistan (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2022 | 4:33 PM

પાકિસ્તાનમાં (Earthquake in Pakistan) મંગળવારે બપોરે રાજધાની ઈસ્લામાબાદ અને ખૈબર પખ્તુનખ્વા સિવાય બલૂચિસ્તાનમાં ભૂકંપના મોટા આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ (Richter Scale) પર ભૂકંપની તીવ્રતા 5.3 આંકવામાં આવી છે. યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) મુજબ, આજે બપોરે 12:36 વાગ્યે પાકિસ્તાન, ઈરાન અને અફઘાનિસ્તાનમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેની ઊંડાઈ 10 કિમી અંદાજવામાં આવી હતી.

જો કે, પાકિસ્તાનના હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનો હિંદુ કુશ વિસ્તાર હતો અને તેની ઊંડાઈ 85 કિમી હતી. જો કે હજુ સુધી ભૂકંપમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. રાજધાની ઈસ્લામાબાદ અને બલૂચિસ્તાનના ભાગો અને દેશના અન્ય ભાગોમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

બલૂચિસ્તાનના ખુજદાર જિલ્લામાં ભૂકંપ આવ્યો હતો

આ મહિનાની શરૂઆતમાં, બલૂચિસ્તાનના ખુજદાર જિલ્લાના ઔરાનાજી વિસ્તારમાં 5.2-ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં 80 મકાનો ધરાશાય થયા હતા, જેમાં 200 થી વધુ પરિવારો બેઘર થયા હતા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ખુજદારના ડેપ્યુટી કમિશનર, નિવૃત્ત મેજર ઇલ્યાસ કિબઝાઈએ સ્થાનિક મીડિયા ડૉનને જણાવ્યું હતું કે, “ભૂકંપથી ઔરાનાજીનો વિશાળ વિસ્તાર પ્રભાવિત થયો હતો, જેમાં 80 થી વધુ મકાનો નાશ પામ્યા હતા, જ્યારે 260 અન્ય મકાનોમાં મોટી તિરાડો પડી હતી.” વાધ તહસીલના નલ, જામરી, બરાંગ અને નાચકન સોનારો લાઠી ગામોને પણ ભૂકંપથી નુકસાન થયું હતું.

જાન્યુઆરીમાં પણ પાકિસ્તાનની ધરતી ધ્રૂજી હતી

આ વર્ષની શરૂઆતમાં પણ પાકિસ્તાનમાં ધરતી ધ્રૂજી હતી. ત્યારબાદ 14મી જાન્યુઆરીએ ઈસ્લામાબાદ અને દેશના ઉત્તરીય વિસ્તારોને રિક્ટર સ્કેલ પર 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

આ પહેલા 11 મેના રોજ પશ્ચિમ નેપાળના ઓછી વસ્તીવાળા પ્રાંતમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આના કારણે જાનમાલને નુકસાન થયાના કોઈ અહેવાલ નથી. સુરખેત ખાતેના ધરતીકંપ કેન્દ્રના જણાવ્યા મુજબ, સવારે 10:18 વાગ્યે આંચકા અનુભવાયા હતા, તેનું કેન્દ્ર ભારતના દારચુલા જિલ્લાથી 30 કિમી દૂર હતું. દારચુલા, બજહાંગ અને દાડેલધુરા જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

તાજેતરમાં, બલૂચિસ્તાનના મુખ્ય પ્રધાન મીર અબ્દુલ કુદૂસ બિજેન્જોએ ભૂકંપથી સ્થાનિક લોકોને થયેલા નાણાકીય નુકસાન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને સ્થાનિક વહીવટીતંત્ર અને પ્રાંતીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરવા નિર્દેશ આપ્યો હતો.

અસરગ્રસ્ત વિસ્તારમાં તંબુ, ધાબળા અને અન્ય આવશ્યક વસ્તુઓની તાત્કાલિક વ્યવસ્થા કરવા સૂચના આપતાં મુખ્યમંત્રી મીર અબ્દુલે કહ્યું કે સરકાર આ મુશ્કેલ સમયમાં પીડિતોની સાથે છે.

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">