Earthquake: અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા, 255 લોકોના મોત, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.1 નોંધાઇ,

ભારતના પડોશી દેશો અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની ધરતી ભૂકંપના (Earthquake) આંચકાથી હચમચી ગઈ છે. અત્યાર સુધી આ ભૂકંપના કારણે જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી સામે આવી નથી.

Earthquake: અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા, 255 લોકોના મોત, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.1 નોંધાઇ,
Earthquake (સાંકેતિક તસ્વીર)Image Credit source: ફાઇલ ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2022 | 11:58 AM

ભારતના પડોશી દેશો અફઘાનિસ્તાન (Afghanistan)અને પાકિસ્તાનની(Pakistan) ધરતી ભૂકંપના (Earthquake) આંચકાથી હચમચી ગઈ છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 આંકવામાં આવી છે. અત્યાર સુધી આ ભૂકંપના કારણે 255  લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે . યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) એ અહેવાલ આપ્યો છે કે ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના દક્ષિણપૂર્વમાં હતું. લાહોર, મુલતાન, ક્વેટા અને પાકિસ્તાનના અન્ય ભાગોમાં આંચકા અનુભવાયા પછી, પાકિસ્તાની મીડિયાએ અહેવાલ આપ્યો કે ઇસ્લામાબાદ અને દેશના અન્ય ભાગોમાં ઓછી તીવ્રતાનો ભૂકંપ આવ્યો.

અગાઉ મંગળવારે પણ પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે પડોશી દેશમાં ભૂકંપ બપોરે 2:24 વાગ્યે આવ્યો હતો અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી. સારી વાત એ છે કે આમાં કોઈને નુકસાન થયું નથી.

ગુજરાતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા 

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

પાકિસ્તાન ઉપરાંત ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયા ગામ પાસે 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે આ સમયગાળા દરમિયાન કોઈ જાનહાની કે જાનહાનિના અહેવાલ નથી. 182 મીટર ઉંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ગામ પાસે આવેલી છે. સોમવારે રાત્રે ભૂકંપના આંચકા નોંધાયા હતા. સ્મારકના જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીને કોઈ નુકસાન થયું નથી. તેને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે તેને શક્તિશાળી ભૂકંપ અને ચક્રવાતથી નુકસાન ન થાય.

ગાંધીનગર સ્થિત ધરતીકંપ સંશોધન સંસ્થા (ISR) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર કેવડિયાથી 12 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં હતું. ISR એ જણાવ્યું હતું કે, “સોમવારે રાત્રે 10:07 કલાકે 3.1 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જેનું કેન્દ્ર દક્ષિણ ગુજરાતના કેવડિયાના 12 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ (ESE) સાથે 12.7 કિમીની ઊંડાઈએ હતું.” ભૂકંપને કારણે જીવન અથવા સંપત્તિને નુકસાન થયું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">