Cyclone Nalgae: ભયાનક તોફાનથી હચમચી ઉઠ્યુ ફિલિપાઈન્સ, અત્યાર સુધી 105 લોકોના મોત, 19 લાખથી વધારે લોકો બન્યા બેઘર

સરકારની પ્રીમિયર ડિઝાસ્ટર રિસ્પોન્સ એજન્સી અનુસાર ઓછામાં ઓછા 69 લોકો ઘાયલ થયા છે અને 63 અન્ય લોકો ગુમ છે. તોફાનથી 19 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે, જેમાં 975,000થી વધુ ગ્રામીણ લોકોનો સમાવેશ થાય છે.

Cyclone Nalgae: ભયાનક તોફાનથી હચમચી ઉઠ્યુ ફિલિપાઈન્સ, અત્યાર સુધી 105 લોકોના મોત, 19 લાખથી વધારે લોકો બન્યા બેઘર
Image Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2022 | 7:00 PM

ફિલિપાઈન્સમાં આ વર્ષના સૌથી ભયાનક વાવાઝોડામાં 100થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો હજુ પણ લાપતા છે. અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી. અધિકારીઓએ જણાવ્યું કે ફિલિપાઈન્સમાં 105 લોકોમાંથી ઓછામાં ઓછા 53 લોકોએ પૂર અને ભૂસ્ખલનમાં જીવ ગુમાવ્યા હતા. આ લોકો મુસ્લિમ સ્વાયત્ત ક્ષેત્રના મૈગુઈન્ડાનાઓના હતા.

વાવાઝોડાએ દ્વીપસમૂહના મોટાભાગમાં વિનાશ સર્જ્યો હતો. જો કે રવિવારે તોફાન દેશની બહાર દક્ષિણ ચીન સાગરમાં પહોંચી ગયું હતું. સરકારની પ્રીમિયર ડિઝાસ્ટર રિસ્પોન્સ એજન્સી અનુસાર ઓછામાં ઓછા 69 લોકો ઘાયલ થયા છે અને 63 અન્ય લોકો ગુમ છે. તોફાનથી 19 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે, જેમાં 975,000થી વધુ ગ્રામીણ લોકોનો સમાવેશ થાય છે. આ લોકો હાલમાં આશ્રયસ્થાનોમાં અથવા તેમના સંબંધીઓના ઘરે રહે છે.

એક ગામના લોકોએ વાવાઝોડાને ‘સુનામી’ સમજી લીધી

અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂરના પાણીથી 4,100થી વધુ ઘર અને 16,260 હેક્ટર (40,180 એકર) ડાંગર અને અન્ય પાકને નુકસાન થયું છે. તે જ સમયે, ફિલિપાઈન્સના કુસિઓંગ ગામના રહેવાસીઓએ દેશમાં ભારે વિનાશ સર્જનાર વાવાઝોડાને સુનામી સમજી લીધી, જેના કારણે તેઓ પર્વત તરફ ઊંચા સ્થાન તરફ ભાગ્યા અને પછી ત્યાં જીવતા દફન થઈ ગયા. એક અધિકારીએ રવિવારે આ જાણકારી આપી.

વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

તેમણે કહ્યું કે ગામના લોકોને આ ગેરસમજ થઈ છે કારણ કે કુસેઓંગ પહેલા પણ વિનાશક સુનામીનો ભોગ બની ચૂક્યું હતું. ઉત્તરપશ્ચિમ કિનારે તબાહી મચાવનાર ઉષ્ણકટિબંધીય વાવાઝોડા નલગેથી સૌથી વધુ પ્રભાવિત થયેલા મેગવિંદાનાઓ પ્રાંતના કુસેઓંગ ગામમાંથી બચાવકર્તાઓએ અત્યાર સુધીમાં બાળકો સહિત ઓછામાં ઓછા 20 મૃતદેહને કાદવના ઢગલામાંથી બહાર કાઢ્યા છે. જેમાં બાળકોના મૃતદેહો પણ સામેલ છે.

ફિલિપાઈન્સ વિશ્વમાં સૌથી વધુ આપત્તિગ્રસ્ત દેશ

ફિલિપાઈન દ્વીપકલ્પમાં દર વર્ષે લગભગ 20 જેટલા ચક્રવાતી તોફાનો આવે છે. તે પેસિફિક મહાસાગરના ‘રિંગ ઓફ ફાયર’ ક્ષેત્રમાં સ્થિત છે, જ્યાં ઘણા જ્વાળામુખી અવારનવાર ફાટે છે અથવા તો નાના મોટા ધરતીકંપના કંપન અનુભવાય છે. આ જ કારણ છે કે આ ફિલિપાઈન્સ વિશ્વમાં સૌથી વધુ આપત્તિગ્રસ્ત દેશ છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">