Good News : Covaxinને મળ્યુ આંતરરાષ્ટ્રીય સ્તર પર પહેલું અપ્રુવલ, ઓમાન જનાર ભારતીયોને નહીં થવું પડે ક્વોરન્ટીન
એ ભારતીયો માટે સારા સમાચાર સામે આવ્યા છે કે જેમણે કોવેક્સિનના (Covaxin) બંને ડોઝ લીધા છે કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તર પર કોવેક્સિનને પહેલું અપ્રુવલ મળી ચુક્યુ છે.
ભારતની મોટાભાગની વસ્તીને કોવેક્સિન (Covaxin) અને કોવિશિલ્ડ (Covishield) રસીના ડોઝ આપવામાં આવ્યા છે. કોવિશિલ્ડને તો આંતરરાષ્ટ્રીય સ્તર પર WHO દ્વારા મંજૂરી આપી દેવાઇ હતી પરંતુ કોવેક્સિન માટે આ પ્રક્રિયા હજી ચાલું છે.
તેવામાં હવે એ ભારતીયો માટે સારા સમાચાર સામે આવ્યા છે કે જેમણે કોવેક્સિનના બંને ડોઝ લીધા છે કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તર પર કોવેક્સિનને પહેલું અપ્રુવલ મળી ચુક્યુ છે. ભારત બાયોટેકની (Bharat Biotech) કોવેક્સિનના બંને ડોઝ લઇ ચૂકેલા ભારતીય લોકોએ હવે ઓમાનમાં (Oman) ક્વોરન્ટીન (Quarantine) થવાની જરૂર નથી. ઓમાનની સરકારે એ યાત્રીઓને મંજૂરી આપી દીધી છે કે જેમણે કોવેક્સિનની રસી મુકાવી હશે.
આ વાતની જાણકારી ઓમાનની ભારતીય એમ્બેસીએ ટ્વીટર પર શેયર કરી છે. આ ટ્વીટમાં ઉલ્લેખ છે કે “ભારતીય દૂતાવાસ, મસ્કતને એ જણાવતા આનંદ થાય છે કે ઓમાનની સલ્તનત સરકારે ઓમાનની મુસાફરી માટે કોવેક્સિનને COVID-19 રસીની મંજૂર વેક્સિન યાદીમાં ઉમેર્યું છે. સિવિલ એવિએશન ઓથોરિટીએ આ અંગે 27 ઓક્ટોબરના રોજ એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું,”
📢 COVAXIN has now been added to the approved list of #COVID19 vaccines 💉 for travel to Oman without quarantine. This will facilitate travelers from India vaccinated with COVAXIN.
Please see Press Release 👇@PMOIndia@DrSJaishankar @MEAIndia @IndianDiplomacy pic.twitter.com/3lfXPrjHGc
— India in Oman (Embassy of India, Muscat) (@Indemb_Muscat) October 27, 2021
તેમાં આ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારતના તમામ મુસાફરો કે જેમણે આગમન તારીખના ઓછામાં ઓછા 14 દિવસ પહેલા કોવેક્સિનના બે ડોઝ મેળવ્યા છે તેઓ હવે ક્વોરન્ટીનની જરૂરિયાત વિના ઓમાનની મુસાફરી કરી શકશે. જોકે, અન્ય તમામ કોવિડ-19 સંબંધિત આવશ્યકતાઓ/શરતો, જેમ કે પ્રી-અરાઇવલ RT-PCR ટેસ્ટ મુસાફરો માટે લાગુ પડશે. આ નોટિફિકેશન કોવેક્સિન લેતા ભારતીય નાગરિકો માટે ઓમાનની મુસાફરીને નોંધપાત્ર રીતે સરળ બનાવશે. જે મુસાફરોએ એસ્ટ્રાઝેનેકા/કોવિશિલ્ડ (AstraZeneca/Covishield) લીધી છે તેમને પહેલેથી જ ક્વોરેન્ટાઇન વિના ઓમાન જવાની પરવાનગી છે.
આ પણ વાંચો –
ગુગલ મીટ પર પોતાની જાતને અનમ્યૂટ કરવાનું ભૂલ્યા Sundar Pichai, ભૂલ પર ખૂબ હસ્યા Googleના સીઇઓ
આ પણ વાંચો –
Apple No Charger Policy : ચાર્જર વગર ફોન વેચવા બદલ Apple વિરુદ્ધ નોંધાયો કેસ, કંપનીએ આપ્યો આ જવાબ
આ પણ વાંચો –