ન્યુઝીલેન્ડમાં કોરોના રસી લીધા બાદ મૃત્યુનો પ્રથમ કેસ, સરકારે કહ્યું – કોરોનાથી બચવા માટે રસીકરણ જરૂરી
હેલ્થ બોર્ડે સોમવારે જણાવ્યું હતું કે ફાઈઝર (Pfizer Vaccine) રસી લીધા બાદ મ્યોકાર્ડિટિસથી એક મહિલાનું મોત થયું છે. બોર્ડે કહ્યું કે મહિલા પહેલેથી જ અન્ય રોગોથી પીડાતી હતી તેથી તે રોગ પણ તેના મૃત્યુનું કારણ હોઈ શકે છે.
ન્યુઝીલેન્ડમાં (New Zealand) કોરોના વાયરસની રસી (Coronavirus Vaccine) લીધા બાદ પ્રથમ મૃત્યુનો મામલો સામે આવ્યો છે. રસીની સલામતી પર નજર રાખતા હેલ્થ બોર્ડે સોમવારે જણાવ્યું હતું કે ફાઈઝર (Pfizer Vaccine) રસી લીધા બાદ મ્યોકાર્ડિટિસથી એક મહિલાનું મોત થયું છે. બોર્ડે કહ્યું કે મહિલા પહેલેથી જ અન્ય રોગોથી પીડાતી હતી તેથી તે રોગ પણ તેના મૃત્યુનું કારણ બની શકે છે.
ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ એશ્લે બ્લૂમફિલ્ડે કહ્યું કે મ્યોકાર્ડિટિસ ખૂબ જ દુર્લભ આડઅસર હતી અને તેના સ્પષ્ટ પુરાવા છે કે કોવિડ -19 થી ચેપ લાગવા કરતાં રસી લેવી સલામત છે. અત્યાર સુધી આરોગ્ય વિભાગે 20 લાખ ન્યૂઝીલેન્ડના લોકોને રસીના ડોઝ આપ્યા છે. બોર્ડે પ્રોટોકોલને ટાંકીને એસોસિએટેડ પ્રેસના પ્રશ્નોના જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો.
તેને મહિલાની ઉંમર અને તેના મૃત્યુની તારીખ વિશે પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ તબીબી પરીક્ષક દ્વારા જારી કરવામાં આવેલી તપાસને ટાંકીને માહિતી આપવામાં આવી ન હતી.
ન્યુઝીલેન્ડમાં રહેશે લોકડાઉન
સોમવારે, ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ને કહ્યું કે ઓકલેન્ડમાં ઓછામાં ઓછા બે અઠવાડિયા અને દેશના બાકીના ભાગમાં ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી કડક લોકડાઉન અમલમાં રહેશે. પરંતુ આ સમય દરમિયાન પ્રતિબંધોમાં થોડી છૂટછાટ રહેશે.
નોંધપાત્ર વાત એ છે કે, ન્યુઝીલેન્ડમાં કોરોના વાયરસના ડેલ્ટા વેરિએન્ટનો કહેર પણ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે 50 લાખની વસ્તી ધરાવતા ન્યૂઝીલેન્ડમાં માત્ર 560 કોરોના કેસ નોંધાયા છે. શરૂઆતમાં કોરોનાના કેસ કાબુમાં લેતા વિશ્વભરમાં સરાહના કરવામાં આવી હતી. તો બીજી તરફ વેક્સિનેશનને ઝડપી બનાવવા માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
મ્યોકાર્ડિટિસના લક્ષણો શું છે?
યુરોપિયન મેડિકલ એજન્સી (EMA)એ મ્યોકાર્ડિટિસને કોવિડ રસી દ્વારા થતા દુર્લભ રોગ તરીકેનો ઉલ્લેખ કર્યો છે. તેમાં જણાવ્યું હતું કે તેની આડઅસરો યુવાનોમાં વધુ જોવા મળે છે. EMA એ લોકોને વિનંતી કરી છે કે તેઓ ઝડપથી રસી મેળવે જેથી તેઓ કોરોનાથી સંક્રમિત ન થાય.
મ્યોકાર્ડિટિસના લક્ષણોમાં છાતીમાં દુ:ખાવો, શ્વાસની તકલીફ અને અસામાન્ય ધબકારાનો સમાવેશ થાય છે. નિષ્ણાંતોનું કહેવું છે કે જે લોકોમાં રસીકરણ બાદ આ પ્રકારના લક્ષણો જોવા મળી રહ્યા છે, તેમણે તાત્કાલિક તબીબી તપાસ કરાવવી જોઈએ, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ટાળી શકાય.
આ પણ વાંચો : Good News for Farmer: ડ્રોનના ઉપયોગથી ખેડૂતોની આવકમાં થશે વધારો તો ખર્ચમાં થશે ઘટાડો, આ રીતે કરી શકશો ઉપયોગ
આ પણ વાંચો :ખેડૂતો માટે સારા સમાચાર : આ ખેતીમાં એક વાર પૈસા લગાવવાથી કરી શકો છો વરસો સુધી કમાણી, જાણો સમગ્ર માહિતી