Corona: શું કીધું ચીને ભારતની કોરોના સંકટ વાળી મજાક ઉડાવતી પોસ્ટ પર?
China: ચાઈનાની શાસક સામ્યવાદી પાર્ટીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરાયેલ એક પોસ્ટ ચર્ચામાં છે. જેમાં ભારતના કોરોના સંકટની મજાક ઉડાવવામાં આવી હતી. આ પોસ્ટ ટીકા અને વિવાદ પછી કાઢી નાખવામાં આવી છે.
China: ચાઈનાની શાસક સામ્યવાદી પાર્ટીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરાયેલ એક પોસ્ટ ચર્ચામાં છે. જેમાં ભારતના કોરોના સંકટની મજાક ઉડાવવામાં આવી હતી. આ પોસ્ટ ટીકા અને વિવાદ પછી કાઢી નાખવામાં આવી છે.
સોશ્યલ મીડિયા સાઈટ પર મુકાયેલી આ પોસ્ટમાં એક તસ્વીર દર્શાવવામાં આવી છે, જેમાં એક તરફ ચીની રોકેટ ઉડતું હતું અને બીજી તરફ ભારતમાં સળગતી ચિતાઓ દર્શાવવામાં આવી છે. તે ફોટો સાથે લખવામાં આવ્યું હતું કે ચીનમાં લગાવવામાં આવતી આગ vs ભારતમાં લગાવવામાં આવતી આગ ( “China firing up VS India firing up.”)
તેમાં ચીનના નવા અંતરિક્ષ અભિયાનની તસવીર લગાવવામાં આવી હતી. ચીને 29 એપ્રિલે પોતાનું સ્થાયી સ્પેસ સ્ટેશન બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા એક મહતવનું મોડ્યુલ અંતરિક્ષમાં રવાના કર્યું હતું. આ પોસ્ટ શનિવારે ડિલીટ કરી દેવામાં આવી હતી, પરંતુ તેના સ્ક્રીન શૉટ હજુ પણ સોશિયલ મીડિયામાં ફરે છે.
માનવમાં આવે છે આ ફોટો ચીનની એક સરકારી સંસ્થા – કમ્યુનિસ્ટ પાર્ટીની રાજકીય અને કાયદાકીય મામલાઓના આયોગ CPLAથી જોડાયેલા એક એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવી છે. CPLA ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીનું એક અભિન્ન અંગ છે, જે પોલીસ અધિકારીઓએ, સરકારી અભિયોજકો અને અદાલતના કામકાજ પર નજર રાખે છે. ચીનની એક જાણીતી માઈક્રોબ્લોગિંગ સાઇટ વિબો પર CPLAના લખો ફોલોવર્સ છે.
ચીનની પ્રક્રિયા
આ પોસ્ટ પછી ઘણા વપરાશકર્તાઓએ વાંધા ઉઠાવતા કહ્યું હતું કે આ “અન્યાયી” છે અને ચીને “ભારત સાથે સહાનુભૂતિ દર્શાવવી જોઈએ”. ચાઈનીઝ મીડિયા જૂથ ગ્લોબલ ટાઈમ્સના સંપાદક હુ શિજિને લખ્યું છે: “આ સમયે માનવતાનો ધ્વજ ઉંચો થવો જોઈએ, ભારત પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવી જોઈએ.
ચીની સમાજને નૈતિકતાના ઉચ્ચ ધોરણો પર સ્થાપિત કરવું જોઈએ.” વેઈબો પર વિવાદિત પોસ્ટ પહેલાના એક દિવસ પહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંદેશ આપ્યો હતો જેમાં તેમણે કોરોના સંકટ અંગે ભારત પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
30 એપ્રિલના રોજ ચીનના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીને કહ્યું હતું કે તેઓ ભારત સાથે સહયોગ કરવા માંગે છે અને તેમને જે પણ મદદની જરૂર છે તે પૂરી પાડવા માંગે છે. ચીનના રાષ્ટ્રપતિનો આ સંદેશ રોગચાળો અને ગયા વર્ષના સરહદ વિવાદ પછી બંને નેતાઓ વચ્ચે પહેલો આ પ્રકારનો સંવાદ હતો. આ પછી ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ તેમના સમકક્ષ એસ. જયશંકરને પણ બોલાવ્યા. વાંગ યીએ ગુરુવારે જયશંકરને ચીન તરફથી સહાયતાનો સંદેશ મોકલ્યો હતો.
ચીનના રાષ્ટ્રપતિના સંદેશના એક દિવસ પછી વીબો પર વિવાદિત પોસ્ટ્સ પોસ્ટ કરવાની ઘટના આશ્ચર્યજનક છે. એક અહેવાલમાં કહેવામા આવ્યું છે કે ચીની વિદેશ મંત્રાલયે આ પોસ્ટ પર ખૂલીને કોઈ જવાબ આપ્યો નથી. જ્યારે તેને આ બાબતે પુછવામાં આવ્યું ત્યારે એમ કહ્યું કે આ પ્રકારની કોઈ પણ પોસ્ટ તે એકાઉન્ટ પર જોવામાં આવી નથી.
સાથે ચીની મંત્રાલયે ઉમેર્યું છે કે આ બાબતે ચર્ચા કરવાને બદલે મહામારીમાં ભારતને શક્ય બનતી તમામ મદદ કરવાની ઉમ્મીદ જાતવી છે. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના પર ભારત સરકારે કોઈ જ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી.