બે વર્ષથી ઘરોમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને રાહત મળવાની આશા, ચીન વિઝા આપવા તૈયાર છે, ડાયરેક્ટ ફ્લાઈટ પર ટૂંક સમયમાં લેવામાં આવશે નિર્ણય

Indian Students China: ભારતીય વિદ્યાર્થીઓ ટૂંક સમયમાં ચીન પરત આવી શકે છે. ચીને વિઝા આપવા સંમતિ આપી છે. હવે બેઇજિંગ જતી ફ્લાઇટ પર નિર્ણય લેવામાં આવશે.

બે વર્ષથી ઘરોમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને રાહત મળવાની આશા, ચીન વિઝા આપવા તૈયાર છે, ડાયરેક્ટ ફ્લાઈટ પર ટૂંક સમયમાં લેવામાં આવશે નિર્ણય
પ્રદીપ કુમાર રાવત વાંગ યીને મળ્યાImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2022 | 7:21 AM

કોવિડ-19 પર ચીનના પ્રતિબંધોને કારણે બે વર્ષથી પોતાના ઘરમાં ફસાયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓની (China Indian Students) પરત ફરવાનો માર્ગ હવે સરળ થતો જોવા મળી રહ્યો છે. ચીને તેમને વિઝા આપવા સંમતિ આપી છે. બેઈજિંગમાં ભારતીય રાજદૂત પ્રદીપ કુમાર રાવતે આ મુદ્દે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી છે. જે બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીન ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપવા માટે રાજી થઈ ગયું છે. દિલ્હીથી બીજિંગની સીધી ફ્લાઈટ (Delhi to Beijing Flight) અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. અત્યાર સુધી ચીને વિદ્યાર્થીઓને સીધી ફ્લાઈટ આપી નથી.

અગાઉ એવા અહેવાલ હતા કે પ્રદીપ કુમાર રાવતે વાંગ સાથે વિદ્યાર્થીઓના પરત ફરવાના મુદ્દે ચર્ચા કરી છે જેમાં કોરોના વાયરસ રોગચાળાને કારણે વિક્ષેપિત સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાના મુદ્દાનો સમાવેશ થાય છે. ભારતીય દૂતાવાસે ગુરુવારે આ માહિતી આપી હતી. બુધવારે ચીનમાં ભારતના રાજદૂત પ્રદીપ કુમાર રાવત અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે થયેલી વાતચીતમાં પણ ભારતીય વિદ્યાર્થીઓના વાપસીનો જટિલ મુદ્દો સામે આવ્યો હતો.

વાંગે જયશંકર સાથેની મુલાકાત યાદ કરી

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

વાંગે આ વર્ષે માર્ચમાં નવી દિલ્હીની મુલાકાત દરમિયાન ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથેની તેમની મુલાકાતને યાદ કરી હતી. ભારતીય દૂતાવાસના અખબારી નિવેદનમાં વાંગને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ચીની પક્ષે ભારતીય વિદ્યાર્થીઓના પરત આવવા અંગે ભારતીય પક્ષની ચિંતાઓને મહત્વ આપ્યું છે અને આ અંગે વહેલી પ્રગતિની આશા વ્યક્ત કરી છે. પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે વાંગે બંને દેશો વચ્ચે સીધી ફ્લાઈટ કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવા અંગેની વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

“રાજદૂત રાવતે માહિતી આપી હતી કે ભારતમાં સંબંધિત એજન્સી આ મામલાની તપાસ કરી રહી છે અને અમે ટૂંક સમયમાં આ મામલે પ્રગતિ જોઈ શકીએ છીએ,” તેમણે કહ્યું. ચીને તાજેતરના મહિનાઓમાં કેટલાક વિદેશી વિદ્યાર્થીઓને તેમના દેશમાં પાછા ફરવાની મંજૂરી આપવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાનથી 90 વિદ્યાર્થીઓની પ્રથમ બેચ 20 જૂને ચીનના શિયાન શહેરમાં પહોંચી હતી. ચીનના કડક વિઝા પ્રતિબંધોને કારણે આ વિદ્યાર્થીઓ લગભગ બે વર્ષ સુધી ઘરે જ રહ્યા. એ જ રીતે, રશિયા અને શ્રીલંકા સહિતના કેટલાક અન્ય દેશોના ફસાયેલા વિદ્યાર્થીઓને ધીમે ધીમે પાછા ફરવાની મંજૂરી આપવામાં આવી રહી છે.

એપ્રિલમાં, ભારતના વારંવારના સંદેશા પછી, ચીને કેટલાક ભારતીય વિદ્યાર્થીઓને પરત જવાની મંજૂરી આપવા માટે સંમતિ દર્શાવી હતી અને અહીંના ભારતીય દૂતાવાસને પાછા ફરવા માંગતા વિદ્યાર્થીઓની માહિતી એકત્રિત કરવા કહ્યું હતું. ચીનના સત્તાવાર અહેવાલ મુજબ 23,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ચીનની કોલેજોમાં અભ્યાસ કરી રહ્યા છે. 12,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓએ પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને તેમની માહિતી ચીન સરકારને આગળની પ્રક્રિયા માટે મોકલી દેવામાં આવી છે.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">