ચીનની નવી ચાલ: હિમાલય પર 624 ગામડાં વસાવવાની તૈયારીમાં ડ્રેગન, ભારત વિરુદ્ધ રચાઈ રહ્યું છે નવું ષડયંત્ર

તિબેટીયનોને વિસ્થાપિત કરવા એ ચીનની રણનીતિનો એક ભાગ હોવાનું કહેવાય છે. આ અંતર્ગત તે વિવાદિત સરહદી વિસ્તારોમાં આક્રમક રીતે નવા ગામો બનાવવા માંગે છે. નવા ગામ વસાવીને ભારતને પણ ઘેરી લેવા માંગે છે.

ચીનની નવી ચાલ: હિમાલય પર 624 ગામડાં વસાવવાની તૈયારીમાં ડ્રેગન, ભારત વિરુદ્ધ રચાઈ રહ્યું છે નવું ષડયંત્ર
Himalayan regionImage Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2022 | 9:58 AM

તાજેતરના ભૂતકાળમાં સરહદી વિસ્તારોમાં ચીનની (china) સક્રિયતા તેના ખતરનાક ઈરાદાઓ દર્શાવે છે. ચીનની સરકારે 2030 સુધીમાં 100,000 થી વધુ તિબેટીયનોને તેમના ઘરોમાંથી સ્થળાંતર કરવાની યોજના જાહેર કરી છે. તેની પાછળ તિબેટીયનોના (tibetan) પરંપરાગત જીવનનો અંત લાવવાની સાથે સાથે ભારત સહિતના સરહદી વિસ્તારો (border areas) પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કરવાનો છે. એટલું જ નહીં, ચીન હવે હિમાલયમાં નવા ગામડાઓ સ્થાપવાની યોજના પર પણ કામ કરી રહ્યું છે.

વ્યૂહરચનાનો ભાગ

તિબેટીયનોને વિસ્થાપિત કરવા એ ચીનની રણનીતિનો ભાગ હોવાનું કહેવાય છે. આ અંતર્ગત તે વિવાદિત સરહદી વિસ્તારોમાં આક્રમક રીતે નવા ગામો બનાવવા માંગે છે. તિબેટીયન પ્રેસ અનુસાર, આમ કરીને ચીન એક તરફ આ વિસ્તારો પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તો બીજી તરફ તે ઈચ્છે છે કે ભારત, ભૂતાન અને નેપાળ પોતાની સીમામાં બંધાયેલ રહે. બીજી તરફ, હોંગકોંગમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, ડ્રેગન વિવાદિત હિમાલય ક્ષેત્રમાં 624 ગામ બનાવવાની તૈયારી કરી રહ્યુ છે. આ રિપોર્ટમાં ચીન સરકારના દસ્તાવેજો ટાંકવામાં આવ્યા છે. ચીનની આ યોજના તેની 2018માં શરૂ કરાયેલી રણનીતિનો એક ભાગ હોવાનું કહેવાય છે. તિબેટ ઓટોનોમસ રિજન કમ્યુનિસ્ટ પાર્ટી કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી આ યોજના અનુસાર ચીન હિમાલય પર 4800 મીટર અથવા તેનાથી ઉપર રહેતા તિબેટીયનોને વિસ્થાપિત કરશે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

પર્યાવરણીય સંરક્ષણ દલીલ

ચીનની દલીલ છે કે આમ કરીને તે પર્યાવરણનું રક્ષણ કરી રહ્યું છે. જો કે, આ વિશે કોઈ વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી, જે સાબિત કરે છે કે આ વિસ્થાપનની પર્યાવરણ પર કોઈ અનુકૂળ અસર થઈ રહી છે. હોંગકોંગમાં પ્રકાશિત અહેવાલ મુજબ, આની પાછળનો વાસ્તવિક હેતુ પરંપરાગત તિબેટીયન જીવનશૈલીને સમાપ્ત કરવાનો હતો. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારોમાં તિબેટીયન પેઢીઓથી વિચરતી રહ્યા છે. તેઓ સદીઓથી તિબેટના ઉચ્ચપ્રદેશ પર પ્રકૃતિ સાથે સુમેળમાં રહે છે. એવો અંદાજ છે કે લગભગ 20 લાખ તિબેટીયન વિચરતીઓ બળજબરીથી પુનઃસ્થાપન દ્વારા વિસ્થાપિત થશે. આ કારણે તેઓ તેમની આજીવિકા ગુમાવશે અને ગરીબીમાં ધકેલાઈ જશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">