શ્રીલંકા પરની પકડ ગુમાવીને ચીન સ્તબ્ધ, ભારતને ફરી નજીક આવતું જોઈને પિત્તો ગુમાવ્યો
ભારતના પડોશી દેશો શ્રીલંકા અને ચીન વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી રહી છે. સૂત્રોએ એક સમચાર સંસ્થાને જણાવ્યું કે, તાજેતરમાં જ બંને દેશો વચ્ચે ગંભીર મતભેદો ઊભા થયા, જ્યારે કોલંબોએ ક્વિન્ગદાઓ સીવિન ગ્રૂપ(Qingdao Seawin Group)ના 20,000 ટન ઓર્ગેનિક ખાતરોના શિપમેન્ટને તે દૂષિત હોવાના આધારે નકારી કાઢ્યું.
China : રાજદ્વારી વિવાદ ફાટી નીકળ્યા બાદ અને ચીની કંપનીએ શ્રીલંકા સામે કાનૂની પગલાં લેવાની ધમકી આપતાં, શ્રીલંકાની સરકાર વળતર તરીકે કંપનીને $6.7 મિલિયનના દાવામાંથી 70% ચૂકવવા સંમત થઈ છે. આ ઘટના એવા સમયે આવી છે જ્યારે દેશની સંસદને શ્રીલંકા (Sri Lanka)ના કૃષિ પ્રધાન (Agriculture Minister)દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે, ચીની પેઢીને જે શિપમેન્ટ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે તેના માટે કોઈ ચૂકવણી કરવામાં આવશે નહીં.
ચીને કોલંબોના નિર્ણયનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો
સૂત્રોએ જણાવ્યું હતું કે જાફના કિનારે આવેલા ત્રણ ટાપુઓમાં હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ (Hybrid Renewable Energy Project)ને રદ કરવાના શ્રીલંકાની સરકારના તાજેતરના નિર્ણયને કારણે ચીને કોલંબોના નિર્ણયનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે પાવર પ્રોજેક્ટને સમર્થન આપતી ચીની ફર્મ સિનોસર-એટેકવિન JVએ તૃતીય પક્ષો દ્વારા કથિત દખલગીરી સામે વાંધો ઉઠાવ્યો હતો જેના કારણે પ્રોજેક્ટને રદ કરવામાં આવ્યો હતો.
શ્રીલંકાના લોકો ચીનમાં બનેલી સિનોફોર્મ કોવિડ રસીનો ઉપયોગ કરવા માંગતા નથી
સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને દેશો વચ્ચેના મતભેદને ત્યારે હવા મળી જ્યારે શ્રીલંકાના લોકોએ ઈચ્છા વ્યક્ત કરી કે તેઓ સિનોફાર્મ કોવિડ રસી લાગુ નહીં કરે. ચીનની સિનોવાક બાયોટેક કંપનીની હમ્બનટોટામાં ઉત્પાદન સુવિધા સ્થાપવાની દરખાસ્તને અટકાવી દેવામાં આવી છે, જ્યારે સિનોવાકે તેમની રસી રાખવાની મંજૂરી માંગી ત્યારે શ્રીલંકાના નેશનલ મેડિકલ ઓથોરિટીના આઠમાંથી ત્રણ સભ્યોએ આ વર્ષની શરૂઆતમાં રાજીનામું આપ્યું હતું.
રાજદ્વારી મુલાકાતોથી ચીન ઉશ્કેરાયું
શ્રીલંકાના નાણા પ્રધાન બાસિલ રાજપક્ષે, નવી દિલ્હીની તેમની તાજેતરની મુલાકાત દરમિયાન, ભારતની મદદ માંગી હતી અને બંને દેશો વચ્ચેના ઘણા પ્રોજેક્ટ્સ પર ચર્ચા કરી હતી, જે ચીન દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નથી. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલા અને આર્મી ચીફ એમએમ નરવણેની શ્રીલંકાની તાજેતરની મુલાકાતો અને બૌદ્ધ પ્રવાસન માટે કુશીનગર એરપોર્ટના ઉદઘાટનને પણ આ જ સંદર્ભમાં જોવામાં આવે છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે બહુવિધ પ્રોજેક્ટ
ઉપરાંત, અદાણી જૂથે વેસ્ટર્ન કન્ટેનર ટર્મિનલ (WCT) વિકસાવવા માટે શ્રીલંકા પોર્ટ ઓથોરિટી અને શ્રીલંકાની કંપની જોન કીલ્સ સાથે કરાર કર્યા છે. અદાણી ગ્રુપે મન્નારમાં $1 બિલિયનનો રિન્યુએબલ વિન્ડ પાવર પ્રોજેક્ટ વિકસાવવાની પણ દરખાસ્ત કરી છે. શ્રીંગલાની મુલાકાત બાદ ભારતમાં ત્રિંકોમાલી ઓઈલ ટેન્ક ફાર્મ વિકસાવવાની પણ ચર્ચા થઈ રહી છે.
આ પણ વાંચો : Omicron: જો બ્રિટનની જેમ કેસ વધશે તો ભારતમાં દરરોજ 14 લાખ કેસ આવશે, ઓમિક્રોનની ફેલાવાની ઝડપ વધુ