એન્જેલા મર્કેલનો જર્મનીના લોકોને છેલ્લો સંદેશ, વેક્સિનેશનથી મૃત્યુ અટકાવી શકાયા હોત, કોરોના રસી જરૂર લો

Angela Merkel Last Message to Germany: જર્મનીમાં અત્યાર સુધીમાં 68.9 ટકા લોકોને સંપૂર્ણ રસી આપવામાં આવી છે, પરંતુ આ સરકારના 75 ટકાના લક્ષ્યાંક કરતાં ઓછી છે. તાજેતરના સમયમાં, કોવિડ-19ના વધતા કેસ માટે રસી ન અપાવતા લોકોને જવાબદાર ગણવામાં આવે છે.

એન્જેલા મર્કેલનો જર્મનીના લોકોને છેલ્લો સંદેશ, વેક્સિનેશનથી મૃત્યુ અટકાવી શકાયા હોત, કોરોના રસી જરૂર લો
Angela Merkel (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 2:34 PM

જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલે દેશના લોકોને કોવિડ -19 રસીકરણ શક્ય તેટલી વહેલી તકે કરાવવાની અપીલ કરી છે. આગામી અઠવાડિયે પોતાનું પદ છોડનાર ચાન્સેલર મર્કેલની દેશવાસીઓને છેલ્લી સંભવિત અપીલ કરી છે. મર્કેલનો આ વીડિયો સંદેશ ફેડરલ અને રાજ્ય સરકારો દ્વારા COVID-19 મહામારી(Coronavirus in Germany)ની સાંકળ તોડવા માટે પગલાં લીધાના બે દિવસ પછી આવ્યો છે. જે તેમનો છેલ્લો સાપ્તાહિક સંદેશ માનવામાં આવે છે.

નવા પગલાં હેઠળ, જે લોકોને રસી આપવામાં આવી નથી તેઓને બિન જરૂરી વસ્તુઓની દુકાનો, રેસ્ટોરાં અને રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સ્થળોમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સંસદ લાંબા ગાળાના પગલા (Germany Covid-19 Vaccination) તરીકે રસીકરણને ફરજિયાત બનાવવાનું વિચારી રહી છે.

જર્મનીમાં અત્યાર સુધીમાં 68.9 ટકા લોકોને સંપૂર્ણ રસી આપવામાં આવી છે, પરંતુ આ સરકારના 75 ટકાના લક્ષ્યાંક કરતાં ઓછી છે. તાજેતરના સમયમાં, કોવિડ-19ના વધતા કેસ માટે રસી ન અપાવતા લોકોને જવાબદાર ગણવામાં આવે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

સંક્રમણ દરમાં આવી રહી છે સ્થિરતા

સત્તાવાર ડેટા દર્શાવે છે કે હવે સંક્રમણ દર સ્થિર થઈ રહ્યો છે પરંતુ તેમ છતાં તેનું સ્તર ઊંચું છે. જર્મનીના નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલે શનિવારે જણાવ્યું કે દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસ સંક્રમણના 64,510 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન 378 દર્દીઓના મોત થયા છે.

દેશમાં આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં 1,02,946 લોકો મૃત્યુ પામ્યા છે (Germany Coronavirus Numbers). મર્કેલે પોતાના સંદેશમાં કહ્યું, ‘કોવિડ-19ને કારણે જીવ ગુમાવનારાઓ પાછળ જે પરિવાર અને મિત્રોને છોડી ગયા છે. તેઓ સ્તબ્ધ, અવાચક અને લાચાર છે. આ એક કડવો અનુભવ છે કારણ કે અસરકારક રસીકરણની મદદથી તેને ટાળી શકાયું હોત. આપણા હાથમાં તેની ચાવી છે.

ઓમિક્રોન વેરિઅન્ટ વધુ સંક્રામક

તેઓએ તેમની વિનંતીનો પુનરોચ્ચાર કર્યો કે જર્મનો વાયરસને ગંભીરતાથી લે. મર્કેલે કહ્યું કે નવું ઓમિક્રોન વેરિઅન્ટ “અગાઉના વેરિઅન્ટ કરતાં વધુ ચેપી લાગે છે”. તેથી રસી લો, તે પ્રથમ ડોઝ છે કે બૂસ્ટર છે તેનાથી કોઈ ફરક પડતો નથી. દરેક રસીકરણ મદદ કરશે.’

નોંધનીય છે કે મર્કેલ બુધવારે પદ છોડશે તેવી અપેક્ષા છે અને તેમની જગ્યાએ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા ઓલાફ સ્કોલ્ઝ આવશે, જે ડેપ્યુટી ચાન્સેલર છે. સ્કોલ્ઝે શનિવારે કહ્યું કે તેમની સરકારનું પહેલું કામ કોરોના મહામારી સામે પૂરી તાકાતથી લડવાનું રહેશે.

આ પણ વાંચો: સાવધાનઃ ​​આખો દિવસ કોમ્પ્યુટર પર કામ કરવું ક્યાંક બની ન જાય ટ્રિગર ફિંગર્સનું કારણ, જાણો તેનો ઉપાય

આ પણ વાંચો: એઈમ્સના ઓફિસ બોયએ લગાવ્યું ઓમિક્રોન વેરિયન્ટનું WhatsApp સ્ટેટસ, પહોંચ્યો જેલના સળીયા પાછળ!

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">