Nirav Modiની તિકડમબાજી પર પડદો, બ્રિટિશ કોર્ટે કહ્યું નીરવ મોદીને ભારત સોંપવામાં આવે
પંજાબ નેશનલ બેંકના રૂ. 14,000 કરોડના કૌભાંડના ભાગેડુ આરોપી નીરવ મોદીની પ્રત્યાર્પણ અંગે લંડનની વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું છે કે નીરવ મોદી વિરુદ્ધ ભારતમાં એક કેસ છે જેનો તેમણે જવાબ આપવો પડશે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે નીરવ મોદીએ પુરાવા નાશ કરવા અને સાક્ષીઓને ડરાવવાનું કાવતરું રચ્યું હતું.
પંજાબ નેશનલ બેંકના રૂ. 14,000 કરોડના કૌભાંડના ભાગેડુ આરોપી નીરવ મોદીની પ્રત્યાર્પણ અંગે લંડનની વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું છે કે નીરવ મોદી વિરુદ્ધ ભારતમાં એક કેસ છે જેનો તેમણે જવાબ આપવો પડશે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે નીરવ મોદીએ પુરાવા નાશ કરવા અને સાક્ષીઓને ડરાવવાનું કાવતરું રચ્યું હતું.
કોર્ટે એમ પણ કહ્યું હતું કે નીરવ મોદીને મુંબઈની આર્થર રોડ જેલમાં યોગ્ય તબીબી સારવાર અને માનસિક આરોગ્ય સંભાળ આપવામાં આવશે. નીરવે તેની સામે પ્રત્યાર્પણના આદેશને કોર્ટમાં પડકાર્યો હતો. ગુરુવારે, બે વર્ષ લાંબી કાનૂની લડત બાદ, જિલ્લા ન્યાયાધીશ સેમ્યુઅલ ગુજીએ ચુકાદો આપ્યો કે નીરવ સામે કાનૂની કેસ છે જેમાં તેમને ભારતીય અદાલતમાં હાજર થવું જોઈએ.
આ ચુકાદા બાદ પણ નિરવના ભારત આવવામાં સમય લાગશે જો કે આ નિર્ણય બાદ પણ ભારતીય તપાસ એજન્સીઓ અને નીરવ મોદીને હાઈકોર્ટમાં અપીલ કરવાની તક મળશે. જેના કારણે માનવામાં આવે છે કે આ કેસની સુનાવણી લાંબા સમય સુધી ચાલી શકે છે. પ્રત્યારોપણના વોરંટ પર નીરવ મોદીને 19 માર્ચ 2019 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને પ્રત્યાર્પણના કેસમાં અનેક સુનાવણી દરમિયાન વેન્ડસવર્થ જેલની વિડિઓ લિંક દ્વારા તેમાં સામેલ હતો.
અંતિમ હસ્તાક્ષર પ્રીતિ પટેલે કરશે સુનાવણી બાદ ન્યાયાધીશ સેમ્યુઅલ ગુજી આ પ્રત્યાર્પણ અંગે પોતાનો નિર્ણય આપશે. ચુકાદા બાદ આ મામલો અંતિમ મંજૂરી માટે બ્રિટનની ગૃહમંત્રી પ્રીતિ પટેલ પાસે જશે. નીરવ મોદીની 19 માર્ચ 2019 માં ધરપકડ કરવામાં આવી હતી. નીરવ મોદી વિરુદ્ધ બે કેસ છે, જેમાંથી એક પંજાબ નેશનલ બેંકમાં છેતરપિંડીનો સીબીઆઈ દ્વારા કેસ છે અને બીજો ઇડી દ્વારા મની લોન્ડરિંગનો મામલો છે.
નિરવના વકીલોએ માનસિક બીમાર હોવાના દાવા કર્યા હતા બચાવ પક્ષના વકીલોએ જણાવ્યું હતું કે આ મામલો વિવાદિત છે. નીરવ મોદી પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે. પ્રત્યાર્પણ ટાળવા માટે નીરવના વકીલોએ હીરા વેપારી માનસિક રીતે બીમાર હોવાના અને મુંબઈની જેલમાં સામાન્ય સુવિધા ન હોવાના દાવા કર્યા છે.