બાંગ્લાદેશમાં બોટ પલટી જવાથી અત્યાર સુધીમાં 39 લોકોના મોત, 58 હજુ પણ લાપતા છે

Bangladesh News: મીડિયા અહેવાલોમાં મુસાફરોના સંબંધીઓના હવાલાથી કહેવામાં આવ્યું છે કે લગભગ 58 મુસાફરો ગુમ છે, જ્યારે અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું કે 80 મુસાફરો બોર્ડમાં હતા.

બાંગ્લાદેશમાં બોટ પલટી જવાથી અત્યાર સુધીમાં 39 લોકોના મોત, 58 હજુ પણ લાપતા છે
બાંગ્લાદેશમાં બોટ પલટી જતા અનેકના મોત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2022 | 6:18 PM

Bangladesh News: ઉત્તર-પશ્ચિમ બાંગ્લાદેશમાં (Bangladesh)રવિવારે એક બોટ પલટી (Boat accident)જવાથી મૃત્યુઆંક સોમવારે વધીને 39 થયો હતો. મૃતકોમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ છે. રવિવારે દુર્ગા પૂજા ઉત્સવ પૂર્વે મહાલયના અવસરે હિન્દુ ભક્તો (Hindu devotees) બોડેશ્વરી મંદિર તરફ જઈ રહ્યા હતા ત્યારે દેશના ઉત્તર-પશ્ચિમ પંચગઢ જિલ્લામાં કોરોટો નદીમાં તેમની હોડી પલટી ગઈ હતી.

ફાયર સર્વિસના એક અધિકારીએ ઘટનાસ્થળે પત્રકારોને જણાવ્યું હતું કે અમારી બચાવ ટુકડીઓએ રાતોરાત વધુ નવ મૃતદેહો બહાર કાઢ્યા છે, જો કે શોધ હજુ ચાલુ છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે દિનાજપુરમાં એક નદીમાંથી કેટલાક મૃતદેહો મળી આવ્યા હતા…તે મૃતદેહો કથિત રીતે જોરદાર પ્રવાહને કારણે ધોવાઈ ગયા હતા. ‘bdnews24.com’ના સમાચાર મુજબ પંચગઢના એડિશનલ ડેપ્યુટી કમિશનર (મહેસૂલ) દિપાંકર રોયે જણાવ્યું કે અત્યાર સુધીમાં કુલ 39 મૃતદેહો મળી આવ્યા છે. જેમાં 11 બાળકો, 21 મહિલાઓ અને સાત પુરૂષોનો સમાવેશ થાય છે.

લગભગ 58 મુસાફરો ગુમ

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

મીડિયા અહેવાલોમાં મુસાફરોના સંબંધીઓના હવાલાથી કહેવામાં આવ્યું છે કે લગભગ 58 મુસાફરો ગુમ છે, જ્યારે અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું કે 80 મુસાફરો બોર્ડમાં હતા. ઢાકા ટ્રિબ્યુન અખબારે તપાસ સંસ્થાના વડા રોયને ટાંકીને કહ્યું, “પ્રારંભિક તપાસ મુજબ, બોટમાં વધુ લોકો સવાર હતા. અખબારના જણાવ્યા અનુસાર, “જો કે, તેણે એમ પણ કહ્યું કે બોટ ડૂબવા પાછળ અન્ય કારણો હોઈ શકે છે, પરંતુ સમિતિ તેની તપાસ પૂર્ણ કર્યા પછી તેનો ખુલાસો કરશે.

બોટમાં 150થી વધુ મુસાફરો સવાર હતા

ઉપ-જિલ્લાના વહીવટી વડા સોલેમાન અલીએ જણાવ્યું હતું કે નાવિકે વજન ઘટાડવા માટે કેટલાક લોકોને બોટમાં નીચે ઉતરવાનું કહ્યું હતું, પરંતુ કોઈએ તેમની વાત સાંભળી નહીં. સાક્ષીઓનો દાવો છે કે બોટમાં 150થી વધુ મુસાફરો સવાર હતા. કેટલાક લોકો તરીને નદીના કાંઠે પાછા ફર્યા હતા, પરંતુ ઘણા હજુ પણ લાપતા છે. રોયે કહ્યું કે ફાયર સર્વિસ પંચગઢમાં સર્ચ ઓપરેશનનું નેતૃત્વ કરી રહી છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">