પાકિસ્તાનના પેશાવરમાં મસ્જિદની થયો ભયાનક વિસ્ફોટ, ઓછામાં ઓછા 30 લોકોના મોત, 50 ઘાયલ

પાકિસ્તાનના (Pakistan) પેશાવરમાં શુક્રવારે એક મસ્જિદની (Peshawar Mosque Blast) અંદર જોરદાર વિસ્ફોટ થયો હતો. જેમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે અને 50 લોકો ઘાયલ થયા છે.

પાકિસ્તાનના પેશાવરમાં મસ્જિદની થયો ભયાનક વિસ્ફોટ, ઓછામાં ઓછા 30 લોકોના મોત, 50 ઘાયલ
blast inside mosque in pakistan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2022 | 3:45 PM

પાકિસ્તાનના (Pakistan) પેશાવરમાં શુક્રવારે એક મસ્જિદની (Peshawar Mosque Blast) અંદર જોરદાર વિસ્ફોટ થયો હતો. જેમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે અને 50 લોકો ઘાયલ થયા છે. હોસ્પિટલના અધિકારીઓનું કહેવું છે કે, લેડી રીડિંગ હોસ્પિટલમાં 30 મૃતદેહો લાવવામાં આવ્યા છે. આ ઘટના કોચા રિસાલદાર વિસ્તારની છે.

સીસીપીઓએ જણાવ્યું હતું કે, પ્રારંભિક અહેવાલો અનુસાર, બે હુમલાખોરોએ શહેરના કિસ્સા ખ્વાની બજારમાં એક મસ્જિદમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યાં સુરક્ષા કરી રહેલા પોલીસકર્મીઓ પર ગોળીબાર કર્યો હતો. જેમાં એક પોલીસકર્મીનું મોત થયું હતું. જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ છે. સીસીપીઓએ કહ્યું કે, હુમલા બાદ મસ્જિદમાં લોકોને નિશાન બનાવવામાં આવ્યા અને જોરદાર વિસ્ફોટ થયો. ઘટના બાદ આસપાસના લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી

પોલીસ અધિકારી વાહીદ ખાને એપીને જણાવ્યું કે, કોચા રિસાલદાર મસ્જિદમાં લોકો નમાજ પઢવા માટે એકઠા થયા ત્યારે વિસ્ફોટ થયો. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. પ્રત્યક્ષદર્શીઓમાંથી એક શયાન હૈદર પણ મસ્જિદમાં પ્રવેશી રહ્યો હતો ત્યારે જોરદાર વિસ્ફોટ થયો. જેના કારણે તે રોડ પર પડી ગયો હતો. તેણે કહ્યું, ‘મેં મારી આંખ ખોલી તો દરેક જગ્યાએ ધૂળ અને મૃતદેહો વિખરાયેલા હતા.’ પેશાવરના સીસીપીઓના એકાઉન્ટ અનુસાર, ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. પરંતુ વિસ્ફોટ કયા પ્રકારનો હતો તે કહેવું ખૂબ જ વહેલું છે.

હોસ્પિટલમાં અરાજકતાનો માહોલ

લેડી રીડિંગ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘણા ઘાયલ લોકોને ઓપરેશન થિયેટરમાં લઈ જવા માટે ડૉક્ટરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પ્રવક્તાએ કહ્યું કે, હોસ્પિટલને રેડ એલર્ટ પર મૂકવામાં આવી છે અને વધુ તબીબી કર્મચારીઓને LRHમાં બોલાવવામાં આવ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ વિસ્તારમાં ઘણીબધી બજારો છે અને શુક્રવારની નમાજ દરમિયાન ઘણી ભીડ હોય છે. વડા પ્રધાન ઇમરાન ખાને હુમલાની સખત નિંદા કરી અને ઘાયલોને તાત્કાલિક તબીબી સહાયનો નિર્દેશ આપ્યા છે.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">