એર સ્ટ્રાઇક પર પાકિસ્તાન ઉઘાડું પડ્યું, બાલાકોટના સ્થાનિક લોકોએ જ આપી તમામ માહિતી, આતંકવાદી જ નહીં પાક. સેનાના જવાનોના પણ થયા છે મોત

પુલવામા ખાતે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇકના કારણે પાકિસ્તાનના બાલાકોટમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકી ઠેકાણાઓ નેસ્તોમાબુદ કરી દીધા હતાં.જેમાં ન માત્ર આતંકીઓ પરંતુ પાકિસ્તાની સેનાના જવાનોને પણ સ્ટ્રાઈક ભારે પડી ગઈ છે. આ અંગે એક ટીવી ચેનલ દ્વારા કરવામાં આવેલા ખુલ્લાસામાં જણાવા મળ્યું છે. એર સ્ટ્રાઇક પર બાલાકોટના રહેવાસીઓ અને પોલીસકર્મીઓએ […]

એર સ્ટ્રાઇક પર પાકિસ્તાન ઉઘાડું પડ્યું, બાલાકોટના સ્થાનિક લોકોએ જ આપી તમામ માહિતી, આતંકવાદી જ નહીં પાક. સેનાના જવાનોના પણ થયા છે મોત
Follow Us:
| Updated on: Mar 12, 2019 | 2:23 AM

પુલવામા ખાતે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇકના કારણે પાકિસ્તાનના બાલાકોટમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકી ઠેકાણાઓ નેસ્તોમાબુદ કરી દીધા હતાં.જેમાં ન માત્ર આતંકીઓ પરંતુ પાકિસ્તાની સેનાના જવાનોને પણ સ્ટ્રાઈક ભારે પડી ગઈ છે.

આ અંગે એક ટીવી ચેનલ દ્વારા કરવામાં આવેલા ખુલ્લાસામાં જણાવા મળ્યું છે. એર સ્ટ્રાઇક પર બાલાકોટના રહેવાસીઓ અને પોલીસકર્મીઓએ આ વાતનો સ્વીકાર કર્યો છે. તેઓ સ્પષ્ટ રીતે કબુલે છે કે, 26 ફેબ્રુઆરીની રાત્રે ભારતીય સેનાએ માત્ર આતંકવાદી ઠેકાણાઓ પર જ બોમ્બ નહોતા વરસાવ્યા પણ આ કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના જવાનોના પણ મૃત્યું થયા હતાં.

મોહમ્મદ નદીમ સાથે ફોન પર વાત 

જે સાથે જ પાકિસ્તાનમાં ત્યાંની સરકારના દાવાઓ વિરૂદ્ધ હજી પણ જૈશ પોતાની આતંકવાદી ગતિવિધિઓ ચલાવી રહ્યું છે. તેની માહિતી મળી રહી છે. ચેનલના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે બાલાકોટમાં આવેલી મસ્જિદમાં કામ કરનારા મોહમ્મદ નદીમે એક અંડર કવર એજન્ટને ફોન પર જણાવ્યું હતું કે, ભારતની એર સ્ટ્રાઈકમાં અનેક પાકિસ્તાની સૈનિકોના પણ મોત નિપજ્યા છે. નદીમે ફોન પર કહ્યુ છે કે, હું સહરીની નૂર મસ્જિદમાંથી બોલી રહ્યો છુ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ પણ વાંચો : લોકસભા ચૂંટણી 2019: 15 મુદ્દા જેના પર જ ભાજપ-કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો માંગશે દેશ પાસે મત

નદીમે પોતાની ઓળખ પણ જાહેર કરી હતી. નદીમને સવાલ કરવામાં આવ્યા હતાં. ભારતની સ્ટ્રાઈકમાં એર સ્ટ્રાઈકમાં કેટલા લોકો માર્યા ગયાં? જવાબ આપતા નદીમે કહ્યું હતું કે, મેં જે જોયું અને વાંચ્યુ તેમાં તો પાકિસ્તાની સેનાના 4-5 જવાનોના પણ મોત થયા છે. શું તુ ખાતરીપૂર્વક આમ કહી રહ્યો છે ? તો જવાબમાં નદીમે કહ્યું હતું કે, હા, બિલકુલ. બાલાકોટમાં નદીમની વાત પર એ બાબત તો સ્પષ્ટ થાય છે કે, જૈશના આતંકી કેમ્પોને પાકિસ્તાની સેના સંરક્ષણ પુરૂ પાડતી હતી.

બાલાકોટ નજીક આવેલા ઈમામે પણ વાત સ્વીકારી

તો બીજી તરફ બાલાકોટની નજીક આવેલી એક મસ્જિદના ઈમામ રહેમાને ફોન પર ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈકને કયામત નો મંજર ગણાવી હતી. આ ઈમામે પણ આતંકી કેમ્પો નાશ પામ્યા હોવાની વાતને સમર્થન આપ્યું હતું. રહેમાને કહ્યું હતું કે, એક ઈમારત ધસી પડી. અડધી રાત્રે આ હુમલાથી બધા જ જાગી ગયા હતાં. વિસ્ફોટનો અવાજ એટલો તે વધારે હતો કે સૌ કોઈ ઉંઘમાંથી ઉઠીને પોત પોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતાં. ઈમામે એમ પણ જણાવ્યું હતું કે અહીં 4 બોમ્બ વિસ્ફોટો થયા. જેને પગલે સૌ કોઈનામાં ફફડાટ હતો. આ એક કયામતનો મંજર હતો.

પોલીસકર્મીને ચૂપ રહેવા માટે આપી હતી સૂચના

તેમજ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં એક પોલીસકર્મીને એ જગ્યાની સુરક્ષાની જવાબાદારી મળી હતી, જ્યાં પાકિસ્તાની વાયુસેનાનું F-16એ તોડી પાડ્યું હતું. ભારતીય વાયુસેનાના જાંબાજ પાયલટ અભિનંદને પોતાના જુના પુરાણા મિગ-21 વડે પાકિસાનના અધ્યતન F-16 વિમાનને તોડી પાડ્યું હતું. જોકે પાકિસ્તાન આ વાતને પણ નકારતું આવ્યુ છે.

પાકિસ્તાનના ભિમ્બરમાં એક પોલીસકર્મીએ જ આખી ઘટનાની પોલ ખોલી નાખતાં જણાવ્યું કે, તેને પાકિસ્તાની સેનાએ કડક સૂચના આપી હતી કે ક્રેસ થયેલા પાકિસ્તાની યુદ્ધ વિમાનની કોઈ જ જાણકારી સામે ના આવવી જોઈએ. પોલીસકર્મીએ જ જણાવ્યું હતું કે, આ કડક સૂચના સેનાના કેટલાક ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત પોલીસના વરિષ્ઠ અધિકારીઓની બેઠકમાં લેવામાં આવ્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">