Afghanistan: તાલિબાનની ક્રૂરતાનું વધુ એક ઉદાહરણ આવ્યું સામે, પત્રકારની હત્યા કરીને ક્રેનથી લટકાવ્યો મૃતદેહ
તાલિબાને ફરી એકવાર તેની નિર્દયતા બતાવવાનું શરૂ કર્યું છે. તેણે એક પત્રકારની હત્યા કરી અને તેનો મૃતદેહ ક્રેનથી લટકાવી દીધો. આ કેસ દેશના હેરત શહેરનો છે.
તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા બાદ નિર્દયતાની તમામ હદ વટાવી દીધી છે, એક પત્રકારની હત્યા કરી અને તેના મૃતદેહને ક્રેનથી લટકાવી દીધો હતો. મળતી માહિતી મુજબ, પત્રકાર ઓનર અહમદની હત્યા કરવામાં આવી હતી અને તેનો મૃતદેહ હેરાત શહેરના મુખ્ય ચોકમાં લટકાવવામાં આવ્યો હતો.
મૃતદેહને જોવા માટે લોકોની ભારે ભીડ પણ અહીં એકઠી થઈ હતી. સાક્ષીઓએ જણાવ્યું હતું કે તાલિબાન લડવૈયાઓ ચાર મૃતદેહો પશ્ચિમ અફઘાનિસ્તાનના શહેરના મુખ્ય ચોકમાં લાવ્યા હતા. અહીં એક મૃતદેહ લટકાવવામાં આવ્યો હતો, જ્યારે ત્રણ મૃતદેહોને બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા.
મીડિયા અહેવાલો અનુસાર, તાલિબાન ચાર મૃતદેહને ક્રોસરોડ પર લાવ્યા હતા. તેમણે કહ્યું કે આ તમામ અપહરણના પ્રયાસ દરમિયાન પકડાયા હતા અને પછી પોલીસે તેમને મારી નાખ્યા છે. જાહેરમાં હત્યા અને ફાંસીને લગતા આ સમાચાર અંગે તાલિબાને હજુ સુધી સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. પરંતુ આ ઘટના બતાવે છે કે આ માનવાધિકાર સંગઠને ફરી એક વખત તેના જૂના ક્રૂરતા નિયમોનો અમલ શરૂ કર્યો છે.
હાથ પગ કાપવા જેવી સજા આપવાનું શરૂ કરવામાં આવશે. એક દિવસ પહેલા તાલિબાન નેતા મુલ્લા નુરુદ્દીન તુરાબીએ કહ્યું હતું કે તાલિબાન સરકાર ફરી એક વખત જાહેરમાં લોકોને ફાંસી આપવાનું અને તેમના હાથ -પગ કાપવાનું શરૂ કરશે. અગાઉના તાલિબાન શાસન (1996-2001) દરમિયાન શરિયા કાયદાના કડક અમલ માટે તુરાબી જવાબદાર છે. આવી સજા આપવા સંબંધિત મંત્રાલય ફરી એકવાર સ્થાપિત કરવામાં આવ્યું છે. આ જ મંત્રાલય હેઠળ તાલિબાને અગાઉના શાસનમાં ક્રૂર હત્યાનો આદેશ આપ્યો હતો.
ચોરી કરવા બદલ હાથ કાપવાની સજા તાલિબાનના એક અધિકારીએ તાજેતરમાં કહ્યું હતું કે તેમની સરકાર લોકોને “ઇસ્લામિક નિયમો” અનુસાર સજા કરશે. મોહમ્મદ યુસુફ નામના આ અધિકારીએ કહ્યું કે જો કોઈ વ્યક્તિ જાણી જોઈને કોઈની હત્યા કરે છે તો તે વ્યક્તિની હત્યા કરવામાં આવશે પરંતુ જો હત્યા જાણીજોઈને કરવામાં ન આવે તો અન્ય પ્રકારની સજા હોઈ શકે છે. યુસુફે કહ્યું કે ચોરના હાથ કાપી નાખવામાં આવશે.
આ પણ વાંચો : નોકરીયાતો માટે મહત્વના સમાચાર, UAN થી આધાર લિંકની તારીખ 30 નવેમ્બર સુધી લંબાવાઈ, આ રીતે કરો લિંક