ISISમાં સામેલ 25 ભારતીયો અફઘાનિસ્તાનમાં હોવાની માહિતી, ભારતમાં ઘૂસણખોરી કરાવવા થઈ શકે છે કોશિશ

ISIA-K ની સત્તાવાર રીતે જાન્યુઆરી 2015 માં સ્થાપના કરવામાં આવી હતી. થોડા જ સમયમાં તેણે ઉત્તર અને ઉત્તર-પૂર્વ અફઘાનિસ્તાનના વિવિધ ગ્રામીણ જિલ્લાઓ પર પોતાની પકડ બનાવી

ISISમાં સામેલ 25 ભારતીયો અફઘાનિસ્તાનમાં હોવાની માહિતી, ભારતમાં ઘૂસણખોરી કરાવવા થઈ શકે છે કોશિશ
આ લોકોને પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર ISIS દ્વારા લડાઇની તાલીમ પણ આપવામાં આવી છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 7:12 AM

Afghanistan માં આતંકવાદી સંગઠન ISISમાં સામેલ 25 ભારતીય નાગરિકોની હાજરી અંગે માહિતી સૂત્રો દ્વારા સામે આવી છે. સુરક્ષા એજન્સીઓને મળેલી માહિતી મુજબ આ 25 લોકો અફઘાનિસ્તાનના નાંગરહારમાં હોવાની શક્યતા છે. ભારતની સુરક્ષા એજન્સીઓ સતત ઇનપુટ્સ મેળવી રહી છે કે અફઘાનિસ્તાનની જેલમાંથી તાજેતરમાં મુક્ત થયેલા કેદીઓમાં કેટલાક ISIS-K આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે.

ઇનપુટ્સ અનુસાર, આમાંથી 25 ભારતીય હોવાની સંભાવનાઓ પણ ખૂબ પ્રબળ છે, જેઓ તાજેતરના વર્ષોમાં ISIS માં જોડાયા હતા. આ તમામ ભારતીયો અફઘાનિસ્તાનની જેલમાં બંધ હતા પરંતુ તાજેતરમાં જ જેલમાંથી મુક્ત થયા છે. મળતી માહિતી મુજબ, આઇ એસ આઇ એસ આ તમામ લોકોનો ઉપયોગ ભારતમાં આતંક ફેલાવવા માટે પણ કરી શકે છે. આ લોકોને પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર ISIS દ્વારા લડાઇની તાલીમ પણ આપવામાં આવી છે.

સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ તમામની ભરતી મુનસિબ નામના આઈ એસ આઈ એસ આતંકવાદી દ્વારા કરવામાં આવી હતી, જે સંગઠનના સોશિયલ મીડિયા પર ભરતી સેલ ચલાવે છે. મુનસિબ એક આઇટી નિષ્ણાત છે અને પાકિસ્તાનનો છે. તેણે અભ્યાસના બહાને આ તમામ લોકોને રોક્યા હતા અને પછી ધીરે ધીરે ISIS ની વિચારધારાને અપનાવી હતી. એજન્સીઓના જણાવ્યા અનુસાર, ISIS આ લોકોને અન્ય દેશોમાંથી ભારતમાં ઘુસાડવાનો પ્રયાસ કરી શકે છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

તાજેતરમાં, આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંત (ISIS-K) સાથે સંકળાયેલા કેરળના 14 લોકો પણ મળી આવ્યા હતા, જેઓ કાબુલમાં હુમલાની યોજનામાં સામેલ હતા. તાલિબાને કાબુલ પર કબજો કર્યા બાદ આ 14 લોકોને બાગરામ જેલમાંથી છોડવામાં આવ્યા હતા. તેઓએ 26 ઓગસ્ટે કાબુલમાં તુર્કમેન એમ્બેસીની બહાર IED બ્લાસ્ટ કરવાની પણ યોજના બનાવી હતી, જેને નિષ્ફળ બનાવવામાં આવી હતી.

ISIS-K એ કાબુલ એરપોર્ટ હુમલાની જવાબદારી લીધી ઇસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંતે કાબુલ એરપોર્ટ નજીક થયેલા વિસ્ફોટની જવાબદારી સ્વીકારી હતી. કાબુલ એરપોર્ટ નજીક થયેલા હુમલામાં 13 અમેરિકી સૈનિકો સહિત ઓછામાં ઓછા 169 લોકો માર્યા ગયા હતા. ઇસ્લામિક સ્ટેટ ખોરાસન (ISIS Khorasan Module) પ્રાંતને ISIS-K, ISKP અને ISK તરીકે પણ ઓળખવામાં આવે છે.

તે સત્તાવાર રીતે અફઘાનિસ્તાનમાં કાર્યરત ઇસ્લામિક સ્ટેટ ચળવળ સાથે જોડાયેલું છે. તે ઇરાક અને સીરિયામાં કાર્યરત ઇસ્લામિક સ્ટેટના મુખ્ય નેતૃત્વ દ્વારા માન્ય છે.

ISIA-K ની સત્તાવાર રીતે જાન્યુઆરી 2015 માં સ્થાપના કરવામાં આવી હતી. થોડા જ સમયમાં તેણે ઉત્તર અને ઉત્તર-પૂર્વ અફઘાનિસ્તાનના વિવિધ ગ્રામીણ જિલ્લાઓ પર પોતાની પકડ બનાવી અને અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ઘાતક કામગીરી શરૂ કરી. તેની સ્થાપના પછીના પ્રથમ ત્રણ વર્ષમાં, ISIS-K એ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના મોટા શહેરોમાં લઘુમતી જૂથો, જાહેર સ્થળો અને સંસ્થાઓ અને સરકારી સંપત્તિઓને નિશાન બનાવીને હુમલા કર્યા હતા.

આ પણ વાંચો: Afghanistan Crisis: અમારું મિશન સફળ રહ્યું, આતંકવાદ સામેની લડાઈ ચાલુ રહેશે: જો બાઈડેન

આ પણ વાંચો: Gujarat : આજે સામાન્યથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, કયાં પડશે ભારે વરસાદ ?

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">