Afghanistan: કાબુલમાં UN મહાસચિવ માર્ટીન ગ્રિફિથને મળ્યા તાલિબાનના મુલ્લા બરાદર, અફઘાનિસ્તાનની પડખે ઊભું રહેશે સંયુક્ત રાષ્ટ્ર!
તાલિબાનના પ્રવક્તા મોહમ્મદ નઈમે ટ્વિટ કર્યું કે માર્ટિન ગ્રિફિથે કહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર અફઘાનિસ્તાન સાથે પોતાનું સમર્થન અને સહયોગ ચાલુ રાખશે.
Afghanistan: અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની રચના પહેલા તાલિબાનના મુલ્લા બરાદરે (Mullah Baradar) રવિવારે કાબુલમાં વિદેશ મંત્રાલયમાં સંયુક્ત રાષ્ટ્રના માનવતાવાદી બાબતોના મહાસચિવ માર્ટિન ગ્રિફિથ્સ (Martin Griffiths, UN under-secy-general for humanitarian affairs) સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ તાલિબાનના પ્રવક્તા મોહમ્મદ નઈમે (Taliban spokesman Mohammad Naeem) ટ્વિટ કર્યું કે માર્ટિન ગ્રિફિથે કહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર અફઘાનિસ્તાન સાથે પોતાનું સમર્થન અને સહયોગ ચાલુ રાખશે.
બીજી બાજુ, માર્ટિન ગ્રિફિથ્સે ટ્વિટ કર્યું હતું કે અફઘાનિસ્તાનમાં જરૂરિયાતવાળા લાખો લોકોને નિષ્પક્ષ માનવતાવાદી સહાય અને સુરક્ષા પૂરી પાડવાની યુએનની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરવા માટે મેં તાલિબાનના નેતૃત્વ સાથે મુલાકાત કરી હતી. દરમિયાન, રેઝિસ્ટન્સ ફ્રન્ટના પ્રવક્તા અને જાણીતા પત્રકાર ફહીમ દશતી રવિવારે પંજશીર પ્રાંતમાં લડાઈમાં માર્યા ગયા હતા. ફહીમ દશતી અહમદ મસૂદનો સહયોગી પણ હતો.
Taliban’s Mullah Baradar met with Martin Griffiths, UN under-secy-general for humanitarian affairs, on Sunday at the foreign ministry in Kabul, where Griffiths said UN will continue its support & cooperation with Afghanistan, Taliban spokesman Mohammad Naeem tweeted: TOLO news pic.twitter.com/XR8IkZUSsE
— ANI (@ANI) September 5, 2021
તાલિબાને ચાર ખાનગી વિમાનોને ઉડતા અટકાવ્યા દરમિયાન, રવિવારે, તાલિબાને સેંકડો લોકોને અન્ય દેશોમાં લઈ જવાનો પ્રયાસ કરતા અફઘાનિસ્તાનથી ઉડતા ઓછામાં ઓછા ચાર ખાનગી વિમાનોને રોકી દીધા. અફઘાનિસ્તાન છોડવા માંગતા લોકોને મદદ કરવા અમેરિકા પર પણ દબાણ વધી રહ્યું છે.
અફઘાનિસ્તાનના ઉત્તરીય ભાગમાં આવેલા શહેર મઝાર-એ-શરીફમાં એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ઉડાન ભરવાનો ઈરાદો ધરાવતા લોકો અફઘાન નાગરિક હતા અને તેમાંથી ઘણા પાસે વિઝા કે પાસપોર્ટ નહોતા, જેના કારણે તેમને દેશ છોડવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોને પાછા ખેંચી લીધા પછી પણ દેશમાં એવા ઘણા લોકો છે જે અન્ય દેશોમાં જવા ઈચ્છે છે.
તાલિબાને અફઘાનિસ્તાનમાં નવી સરકારની રચના આગામી સપ્તાહ સુધી મુલતવી રાખી તે જ સમયે, તાલિબાને અફઘાનિસ્તાનમાં નવી સરકારની રચના આગામી સપ્તાહ સુધી મુલતવી રાખી છે. ઉગ્રવાદી સંગઠનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે શનિવારે આ માહિતી આપી હતી. તેની પાછળનું કારણ તાલિબાન દ્વારા વ્યાપક અને સમાવેશી સરકાર બનાવવામાં મુશ્કેલીઓ થઈ રહી છે. તાલિબાન એવી સરકાર બનાવવા માંગે છે જેને આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા માન્યતા મળી શકે.
તાલિબાન શનિવારે કાબુલમાં નવી સરકારની રચનાની જાહેરાત કરે તેવી અપેક્ષા હતી. એવું માનવામાં આવે છે કે આ સરકારનું નેતૃત્વ સંસ્થાના સહ-સ્થાપક મુલ્લા અબ્દુલ ગની બારાદારના હાથમાં હશે. આ બીજી વખત છે જ્યારે તાલિબાને 15 ઓગસ્ટે કબજે કર્યા બાદ કાબુલમાં નવી સરકારની રચના સ્થગિત કરી છે. મુજાહિદે આ મામલે વધુ વિગતો આપ્યા વિના કહ્યું કે નવી સરકાર અને કેબિનેટ સભ્યો અંગેની જાહેરાત હવે આવતા અઠવાડિયે કરવામાં આવશે.
આ પણ વાંચો: મારી પાસે પણ કૃષિ મંત્રાલય હતુ, પરંતુ ખેડુતોને ઉપજ ફેંકવાની નોબત નહોતી આવી : શરદ પવાર