અફઘાનિસ્તાનના કાબૂલ અને મઝાર-એ-શરીફમાં 4 બ્લાસ્ટ, 16થી વધુના મોત

Afghanistan તાલિબાનના એક અધિકારીનું કહેવું છે કે કાબુલની(Kabul) એક મસ્જિદની અંદર વિસ્ફોટકો મૂકવામાં આવ્યા હતા. આ વિસ્ફોટકોને કારણે આશરે 11 થી 16 લોકોના મોત થયાં હોવાના પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થયા છે.

અફઘાનિસ્તાનના કાબૂલ અને મઝાર-એ-શરીફમાં 4 બ્લાસ્ટ, 16થી વધુના મોત
4 blasts in Kabul and Mazar-e-Sharif, AfghanistanImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2022 | 6:53 AM

અફઘાનિસ્તાનમાં (Afghanistan) ફરી એકવાર બ્લાસ્ટ થયા છે. બુધવારે અફઘાનિસ્તાનના કાબુલમાં (Kabul) એક વિસ્ફોટ થયો હતો, જ્યારે મઝાર-એ-શરીફ શહેરમાં ત્રણ (Blast) વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટોમાં 16થી વધુ લોકોના મોત થયા હોવાના પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થયા છે . એક બ્લાસ્ટ કાબુલની મસ્જિદમાં થયો હતો. જ્યારે મઝાર-એ-શરીફ શહેરમાં પેસેન્જર બસોમાં બોમ્બ ધ઼ડાકા થયા હતા. આ વિસ્ફોટ બાદ શહેરોમાં અરાજકતાનો માહોલ સર્જાયો છે.

આ બોમ્બ વિસ્ફોટ થયા બાદ કાબુલ કમાન્ડરના પ્રવક્તાએ માહિતી આપી છે કે કાબુલમાં મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તે જ સમયે, સમાચાર એજન્સી રોયટર્સે ઇમરજન્સી હોસ્પિટલના અહેવાલને ટાંકીને કહ્યું હતું કે હોસ્પિટલનું કહેવું છે કે તેમને 5 લોકોના મૃતદેહ મળ્યા છે. તેમજ વિસ્ફોટમાં ઇજા પામેલા 12થી વધુ લોકો હોસ્પિટલ પહોંચ્યા છે. વિસ્ફોટની માહિતી પ્રાપ્ત થયા બાદ પોલીસે વિસ્ફોટના સ્થળે પહોંચીને રાહત અભિયાનની શરૂઆત કરી છે.

કાબુલની મસ્જિદની અંદર મૂકવામાં આવ્યા હતા વિસ્ફોટક

ધડાકા અંગે તાલિબાનના એક અધિકારીનું કહેવું છે કે મસ્જિદની અંદર વિસ્ફોટકો મૂકવામાં આવ્યા હતા. જેમાં લગભગ 11 લોકોનાં મોત થયાં છે. આ સિવાય મઝાર-એ-શરીફ શહેરમાં ફરીથી વિસ્ફોટ થયા હતા. શહેરમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 9 લોકોનાં મોત થયાં છે. તેમજ 15 લોકો ઘાયલ થયા છે. બલ્ખ પ્રાંતના કમાન્ડરના પ્રવક્તા મોહમ્મદ આસિફ વજેરીએ રોયટર્સને આ માહિતી આપી હતી.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

હજુ સુધી કોઈ જૂથે વિસ્ફોટની જવાબદારી લીધી નથી

વિસ્ફોટ બાદ હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠને આ ધડાકાની જવાબદારી લીધી નથી. પ્રવક્તાએ માહિતી આપી છે કે મઝાર-એ-શરીફ શહેરમાં ત્રણ મિની બસોમાં બોમ્બ છુપાવવામાં આવ્યા હતા. આ બોમ્બ શહેરના અલગ-અલગ જિલ્લામાં પ્લાન્ટ કરવામાં આવ્યા હતા. આ વિસ્ફોટોમાં લગભગ 15 લોકો ઘાયલ થયા છે.

રમઝાન માસમાં પણ થયા હતા હુમલા

 ગત મહિને અહીં રમઝાન માસમાં પણ હુમલા થયા હતા. યા મહિને રમઝાન માસ દરમિયાન અફઘાનિસ્તાનના કાબુલમાં હુમલા થયા હતા. આ  ધડાકાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ દ્વારા(IS) લેવામાં આવી હતી. જેમાં ઘણા લોકોનાં મોત થયાં હતાં. 29 એપ્રિલે કાબુલમાં સુન્ની મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા હતા. આ પહેલા 21 એપ્રિલે મઝાર-એ-શરીફની એક મસ્જિદ પર થયેલા હુમલામાં 12 લોકો માર્યાં ગયા હતા

 અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્ય પરત ફર્યા બાદ તથા  તાલિબાન સત્તા પર આવ્યા પછી દેશમાં અરાજકતા ચરમસીમાએ પહોંચી ગઈ હતી. છેલ્લા કેટલાક મહિનામાં અફઘાનિસ્તાનમાં અલગ-અલગ જગ્યાએ અનેક વિસ્ફોટો અને હુમલાઓ થયા છે.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">