LAC પર ચીનના સૈનિકો સાથેની હિંસક ઝડપમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ
LAC પર સોમવારના રોજ થયેલી ઝડપમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થયા છે. ભારત સરકારે અધિકારીક આ વાતની પુષ્ટિ કરી છે. પહેલાં પણ ભારતના 3 જવાન શહીદ થયા હોવાની ખબર આવી હતી. ભારતીય સેનાએ કહ્યું કે બંને તરફ નુકસાન થયું છે. અમુક ભારતીય સૈનિકો ગંભીર રીતે ઘાયલ પણ થયા અને તેમને સારવાર આપવામાં આવી રહી […]
LAC પર સોમવારના રોજ થયેલી ઝડપમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થયા છે. ભારત સરકારે અધિકારીક આ વાતની પુષ્ટિ કરી છે. પહેલાં પણ ભારતના 3 જવાન શહીદ થયા હોવાની ખબર આવી હતી. ભારતીય સેનાએ કહ્યું કે બંને તરફ નુકસાન થયું છે. અમુક ભારતીય સૈનિકો ગંભીર રીતે ઘાયલ પણ થયા અને તેમને સારવાર આપવામાં આવી રહી છે.
Indian & Chinese troops have disengaged at #Galwan area where they had earlier clashed on the night of 15/16 June. 17 Indian troops who were critically injured in the line of duty at stand-off location: Indian Army (1/2)
#IndiaChinaFaceOff #IndiaChinaBorder #ChinaIndiaFaceoff pic.twitter.com/lXzr1snJUj
— tv9gujarati (@tv9gujarati) June 16, 2020
ભારતીય સેનાના 20 જવાનના મોત થયા છે અને તેની સંખ્યામાં વધારો પણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે સોમવારની રાત્રે ભારત અને ચીનની સેના વચ્ચે હિંસક ઝડપ થઈ હતી. આ ઘટના ત્યારે ઘટી હતી ત્યારે ગલવાન ઘાટીમાં બંને દેશ વચ્ચે શાંતિવાર્તા થઈ રહી હતી. પીએમ મોદીના નિવાસ સ્થાને આ ઘટનાને લઈને ઉચ્ચસ્તરીય બેઠક ચાલી રહી છે.એવી જાણકારી પણ પ્રાપ્ત રહી છે કે ચીનના 43 સૈનિકના મોત કે ઘાયલ થયા છે. સરહદ પર ચીની એરક્રાફ્ટની અવરજવર વધી રહી છે. ભારતમાં ઉચ્ચસ્તરીય બેઠક આ ઘટનાને લઈને ચાલી રહી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો