Chinaમાં ફસાયેલા 16 ભારતીય માછીમારો 14 ફેબ્રુઆરીએ કરશે વતન વાપસી, કેન્દ્રીય મંત્રીએ આપી જાણકારી
China અને ભારતની સીમા પર ચાલી રહેલા તણાવની વચ્ચે એક સારા સમાચાર મળી રહ્યા છે. ચીનમાં ફસાયેલા 16 જેટલા ભારતીય માછીમારોને...
China અને ભારતની સીમા પર ચાલી રહેલા તણાવની વચ્ચે એક સારા સમાચાર મળી રહ્યા છે. ચીનમાં ફસાયેલા 16 જેટલા ભારતીય માછીમારોને પરત વતન લાવવાની તૈયારી ચાલી રહી છે, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે ચીનના બંદરમાં ફસાયેલા 16 ભારતીય નાગરિકને 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે પર પરત ભારત લાવવામાં આવશે.
Great start of the day !
Our stranded seafarers of MV Anastasia are coming back to India!
The crew will sign off from Japan today and will reach India on 14th Feb.
And soon will be reunited with their families!
Appreciate the efforts of Indian Embassy in China and Team MSC
— Mansukh Mandaviya (@mansukhmandviya) February 10, 2021
તમને જણાવી દઇએ કે આના પહેલા ચીન બંદર પર ફસાયેલા ભારતીય નાગરિકોને લઇને કોરોનાનું બહાનું આપતુ રહ્યુ હતુ, ચીને કહ્યુ હતુ કે બંને દેશો વચ્ચેના તણાવ સાથે તેને કોઇ સંબંધ નથી અને ફક્ત કોરોનાને કારણે જ જહાજ ફસાયેલુ છે