ઇન્ડોનેશિયામાં મુસાફરો ભરેલી બોટમાં આગ લાગતાં 14 લોકોનાં મોત
સોમવારે ઇન્ડોનેશિયામાં(Indonesia) 240 મુસાફરોને લઇ જતી બોટમાં(Boat) આગ (Fire) લાગતાં 14 લોકોનાં મોત થયાં હતાં જ્યારે 226 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. રેસ્ક્યુ ટીમના અધિકારીઓએ જાણકારી આપી હતી કે 'KM એક્સપ્રેસ કેન્ટિકા 77' પૂર્વ નુસા ટેંગારા પ્રાંતના કુપાંગથી કાલાબાહી તરફ જઈ રહી હતી ત્યારે તેમાં આગ લાગી હતી.
સોમવારે ઇન્ડોનેશિયામાં(Indonesia) 240 મુસાફરોને લઇ જતી બોટમાં(Boat) આગ (Fire) લાગતાં 14 લોકોનાં મોત થયાં હતાં જ્યારે 226 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. રેસ્ક્યુ ટીમના અધિકારીઓએ જાણકારી આપી હતી કે ‘KM એક્સપ્રેસ કેન્ટિકા 77’ પૂર્વ નુસા ટેંગારા પ્રાંતના કુપાંગથી કાલાબાહી તરફ જઈ રહી હતી ત્યારે તેમાં આગ લાગી હતી. આ ફેરીમાં 230 મુસાફરો અને 10 ક્રૂ મેમ્બર સવાર હતા. ધિકારીઓએ જણાવ્યું કે આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. નેશનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું કે રેસ્ક્યુ ટીમના સભ્યો અને નજીકની બોટની મદદથી 226 લોકોને બચાવી લેવાયા છે. ઇન્ડોનેશિયામાં બોટ ફેરીમાં અકસ્માતો સામાન્ય છે, જે 17,000 થી વધુ ટાપુઓના દ્વીપસમૂહ છે, જ્યાં પરિવહન માટે જળમાર્ગોનો ઉપયોગ થાય છે અને સલામતી નબળી છે.