જાણો આપણા દાદીમા ખાધા પહેલા કેરી કેમ પલાળતાં હતા, તેની પાછળ છે રસપ્રદ કારણ

આપણે ભોજન પૂર્વે કેરી (Mango Fruit) અને ખાસ કરીને દરેક શાકભાજી ફળો પલાળતાં હતા. જે પ્રથા ખાલી ફળમાંથી ગંદકી અને ધૂળ સાફ કરવા માટે જ નથી. આ પ્રથા પાછળના 6 વૈજ્ઞાનિક કારણો રહેલા છે.

જાણો આપણા દાદીમા ખાધા પહેલા કેરી કેમ પલાળતાં હતા, તેની પાછળ છે રસપ્રદ કારણ
Mango Fruit (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2022 | 9:27 AM

‘ફળોના રાજા’ (King Of Fruit) ગણાતા કેરીની (Mango Fruit) સિઝનના આગમન સાથે, લોકો વિવિધ વાનગીઓ અજમાવવા માટે તેમના મનપસંદ ફળનો સંગ્રહ કરી રહ્યા છે. કેરીના સમૃદ્ધ સ્વાદને લોકો માણવા માટે અનેક પ્રકારે કેરી ખાવાનું પસંદ કરે છે. તમે કેરીને ખાતા પહેલા તેને પાણીમાં પલાળીને ગંદકી, ધૂળ તેમજ પાક પર વપરાતા રસાયણો (Fertilizer) સાફ કરતા જ હશો. જો કે, ભોજન પૂર્વે કેરી સાફ કરવાની રીતનું કારણ માત્ર સ્વચ્છતા જ નથી. આજે અમને તમે એક રસપ્રદ વાત જણાવીશું કે, શા માટે આપણે કેરી ખાતા પહેલા તેને પાણીમાં પલાળી રાખીએ તે બેશક એક શ્રેષ્ઠ આદત છે.

ફાયટીક એસિડથી છુટકારો મેળવવો

ફાયટિક એસિડ એ એવા પોષક તત્વોમાંનું એક છે જે સ્વાસ્થ્ય માટે સારું અને ખરાબ બંને હોઈ શકે છે. તેને વિરોધી પોષક તત્વો તરીકે ગણવામાં આવે છે. ફાયટીક એસિડ અમુક ખનિજો જેમ કે આયર્ન, જસત, કેલ્શિયમ અને અન્ય ખનિજો દ્વારા શરીરના શોષણને અવરોધે છે, અને આપણા શરીરમાં ખનિજોની ખામીઓને પ્રોત્સાહન આપે છે.

પોષણશાસ્ત્રીઓના મતે, કેરીમાં ફાયટીક એસિડ તરીકે ઓળખાતા કુદરતી તત્વો હોય છે. જે ઘણા ફળો, શાકભાજી અને અખરોટમાં પણ જોવા મળે છે. તેથી, જ્યારે કેરીને થોડા કલાકો માટે પાણીમાં પલાળી રાખવામાં આવે છે, ત્યારે તે શરીરમાં ગરમી પેદા કરતા વધારાના ફાયટીક એસિડને દૂર કરવામાં મદદ કરે છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

રોગોથી બચવા માટે

કેરી સાફ કરવાથી રેશિઝ, પિમ્પલ્સ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવી કે માથાનો દુખાવો, કબજિયાત અને આંતરડા સંબંધિત અન્ય સમસ્યાઓને રોકવામાં પણ મદદ કરે છે. ફળોને પાણીમાં પલાળવાથી તેમાંથી શરીરમાં ગરમી ઉત્પન્ન કરતા તત્વોથી છુટકારો મળશે. આ પ્રક્રિયાને અનુસરવાથી, ઝાડા- ઉલ્ટી જેવી આડઅસરો અને ખીલ જેવી ત્વચાની સમસ્યાઓથી બચી શકાય છે. આયુર્વેદ નિષ્ણાત ડૉ. આશુતોષ ગૌતમે આ વાત જણાવી હતી.

હાનિકારક રસાયણોને સાફ કરવા માટે

કિંમતી પાકને બચાવવા માટે ઉપયોગમાં લેવાતા જંતુનાશકો અને ખાતરો ઝેરી હોય છે. તે શરીરને ખરાબ અસર કરી શકે છે. જેના કારણે શ્વસન માર્ગમાં બળતરા, એલર્જીક સંવેદના, માથાનો દુખાવો, આંખ અને ચામડીની બળતરા, ઉબકા વગેરે જેવી વિવિધ આડઅસરો થાય છે. ભોજન પૂર્વે કેરી પલાળીને ખાવાથી કેરીની છાલ પરનું જામેલું દુધિયા રંગનું પ્રવાહી પણ સાફ થઇ જાય છે.

કેરીને ઠંડી રાખવા માટે

કેરી શરીરના તાપમાનમાં પણ વધારો કરે છે, જેના પરિણામે શરીરમાં થર્મોજેનેસિસ ઉત્પન્ન થાય છે. તેથી, કેરીને થોડા સમય માટે પાણીમાં પલાળી રાખવાથી તેમના થર્મોજેનિક ગુણધર્મને ઘટાડવામાં પણ મદદ મળશે.

વધારાની ચરબીને દૂર કરવા માટે

કેરીમાં પુષ્કળ પ્રમાણમાં ફાયટોકેમિકલ્સ હોય છે. તેથી તેને પલાળવાથી તેની માત્રા ઓછી થાય છે. કેરી એક ‘કુદરતી ચરબી બસ્ટર’ તરીકે કાર્ય કરે છે. આ માટે કેરી ખાવાથી વજન પણ વધી શકે છે.

આ પણ વાંચો – હવે તમે ક્રુઝને પણ ભુલી જશો, આવી ગઈ છે ખાસ પેસેન્જર સબમરીન જે તમને લઈ જશે સમુદ્રના ઉંડાણમાં

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">