Health Tips: સવારે ઉઠીને ચાલવાના આ ફાયદા જાણવા છે જરૂરી
સવારે ઉઠીને જો તમે કસરત ના કરી શકો તો વાંધો નહિ. પણ સવારે ઉઠીને ચાલીને તમે ફિટ અને તંદુરસ્ત જરૂર રહી શકો છો. Health
Health Tips: જ્યારે તમે સવારે ઉઠો છો, ત્યારે તમે કસરત માટે કદાચ સમય ન ફાળવી શકો. પણ તમારા દિવસની શરૂઆત ચાલવા (Walking) સાથે જરૂર કરો. ભલે તે તમારા નજીકના બાગ બગીચા, વોક વે, બીચની આસપાસ હોય. તે તમારા મન અને શરીરને ઘણા બધા સ્વાસ્થ્ય (Health Benefit)લાભો પૂરા પાડી શકે છે.
મોર્નિંગ વોકના સ્વાસ્થ્ય લાભો અહીં આપ્યાં છે:
1.કુદરતી એનર્જી આપે છે
તમારા દિવસની શરૂઆત ઝડપી ચાલવાથી કરતા તમે તાજગી અનુભવશો અને તમારી કાયાકલ્પ થઈ જશે. અભ્યાસમાં બહાર આવ્યું છે કે નિયમિત ચાલવું, તમારી ઉર્જાના સ્તરને વધારવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી શકે છે. તે થાક ઘટાડવામાં મદદ કરે છે, આખો દિવસ તમને ઉત્સાહિત રાખે છે.
2.માનસિક સ્વાસ્થ્યમાં સુધારો
સવારે ચાલવુ તમારા માનસિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ લાભ આપી શકે છે. તે એન્ડોર્ફિન અને સેરોટોનિનને મુક્ત કરવામાં પણ મદદ કરે છે, જે તમારા શરીરના કુદરતી મૂડ અને કોન્ફિડન્સ વધારનારા છે. અધ્યયન સૂચવે છે કે નિયમિત ચાલવું એ ડિપ્રેશન અને અસ્વસ્થતાને મેનેજ કરવા અને અટકાવવાનો એક શ્રેષ્ઠ કુદરતી રીત હોઈ શકે છે.
3.સારી ઉંઘ
સક્રિય રહેવાથી મેલાટોનિનની અસરને વેગ મળે છે જે તમને સારી ઊંઘ આપે છે. મોર્નિંગ વોક એ માત્ર સૂર્યોદય જોવાનો અથવા મિત્રોને મળવાનો શ્રેષ્ઠ રસ્તો નથી, પણ તે તમારી નિંદ્રાના ચક્રને સુધારે છે, સ્વસ્થ રાતની ઊંઘને પ્રોત્સાહન આપે છે. સારી રાતની ઊંઘનું પરિણામ તમને દિવસભર વધુ સચેત અને ઉત્સાહિત લાગે છે.
4.તે તમારા મગજની તંદુરસ્તીને વેગ આપે છે
વોકિંગમાં ઘણા બધા શારીરિક સ્વાસ્થ્ય લાભો છે, પરંતુ શું તમે જાણો છો, તમારા રોજિંદા શેડ્યૂલમાં મોર્નિંગ વોક કરવાથી તમારા મગજની કામગીરીમાં વધારો થાય છે. સંશોધનકારોને જાણવા મળ્યું છે કે ચાલવાથી મગજમાં લોહીનો પુરવઠો વધે છે જે સર્જનાત્મક કાર્ય, મેમરી અને સમસ્યાના નિરાકરણ સાથે જોડાયેલું છે.
5.તે તમારા હૃદયના આરોગ્યને સુધારે છે
લો બ્લડ પ્રેશર, લોહીનું પરિભ્રમણ અને હ્રદયરોગનું જોખમ ઓછું કરે છે. તમારા દિવસને શરૂ કરવા માટે ચાલવું એ તમારા હૃદયને તંદુરસ્ત રાખવાનો શ્રેષ્ઠ માર્ગ હોઈ શકે છે. દિવસમાં સરેરાશ 30 મિનિટ ચાલવાથી હૃદય રોગના જોખમને 35% સુધી ઘટાડી શકે છે.
6. ડાયાબિટીઝનું જોખમ ઓછું
તે ડાયાબિટીઝ અને ઉંમર-સંબંધિત વિવિધ રોગોને રોકવામાં ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. દરરોજ 30 મિનિટ ચાલવા જતા ટાઇપ -2 ડાયાબિટીઝ અને મેદસ્વીપણું બંનેથી બચાવી શકાય છે. નિયમિત ચાલવું એ તમારા શરીરની ઇન્સ્યુલિન પ્રત્યે પ્રતિક્રિયા આપવાની ક્ષમતામાં વધારો કરે છે, જ્યારે બ્લડ સુગર કંટ્રોલમાં સુધારો થાય છે જે ડાયાબિટીસનું જોખમ ઓછું કરવામાં મદદ કરે છે.