Diabetes Control Tips : શું તમારે ડાયાબિટીસ કંટ્રોલ કરવું છે? દુધ સાથે આ વસ્તુનું સેવન કરવાથી થશે ફાયદો
Diabetes Control Tips : દૂધનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે તેમાં કેટલીક ફાયદાકારક વસ્તુઓ ભેળવી દો તો તેનાથી ડબલ ફાયદો મળી શકે છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે દૂધ સંબંધિત આ હેલ્થ ટીપ્સ વિશે જાણો.
ડાયાબિટીસ તે રોગોમાંથી એક છે, જેના કારણે તે લાંબા સમય પછી જોવા મળે છે. ઘણા સંશોધનોમાં એ વાત સામે આવી છે કે લગભગ 90 ટકા લોકોને ખબર નથી કે તેઓ ક્યારે ડાયાબિટીસથી પીડિત છે. ઉંમરના તબક્કામાં આવીને શરીરમાં આવતા ગંભીર ફેરફારો બતાવે છે કે ડાયાબિટીસ ( Diabetes ) જેવી બીમારીએ આપણને પકડી લીધો છે. તેની પાછળ ખાનપાન, ખરાબ જીવનશૈલી અને આનુવંશિક કારણો હોઈ શકે છે. તે શરીરને બે રીતે અસર કરે છે. કેટલાક લોકોનું બ્લડ શુગર વધુ રહે છે, જ્યારે કેટલાક લોકોમાં ઘટાડો પણ થઈ શકે છે. મોટા ભાગના કિસ્સાઓમાં, હાઈ બ્લડ શુગર લેવલ( Blood sugar level control ) સમસ્યાઓ બનાવે છે. ડાયાબિટીસને કારણે શરીરમાં ઇન્સ્યુલિનના ઉત્પાદનમાં સમસ્યા થાય છે. ભૂખ ન લાગવી, વધુ પડતી તરસ લાગવી અને વારંવાર પેશાબ કરવો જેવા ફેરફારો તેના લક્ષણો માનવામાં આવે છે.
યોગ્ય આહાર અને શ્રેષ્ઠ દિનચર્યા એ ડાયાબિટીસને નિયંત્રિત કરવાનો શ્રેષ્ઠ માર્ગ માનવામાં આવે છે. આહારનું ધ્યાન રાખવા ઉપરાંત કેટલીક સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓનું સેવન કરવાથી પણ તેને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. દૂધનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે તેમાં કેટલીક ફાયદાકારક વસ્તુઓ ભેળવી દો તો તેનાથી ડબલ ફાયદો મળી શકે છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે દૂધ સંબંધિત આ હેલ્થ ટીપ્સ વિશે જાણો.
તજવાળું દૂધ (Cinnamon Milk )
રસોડામાં હંમેશા હાજર રહેતા મસાલામાં તજ સ્વાસ્થ્ય માટે સારૂ માનવામાં આવે છે. મસાલા તરીકે, તજ, જે ખોરાકનો સ્વાદ વધારે છે, તે પોટેશિયમ, વિટામિન્સ, કેલ્શિયમ, આયર્ન અને ઘણા એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે તમે રોજ દૂધમાં તજ પાવડર નાખીને પી શકો છો.
હળદરવાળું દૂધ (Turmeric Milk )
ઔષધીય ગુણો ધરાવતી હળદરનો ઉપયોગ પ્રાચીન સમયથી ઔષધી તરીકે કરવામાં આવે છે. ઘણા સ્વાસ્થ્ય લાભોને કારણે, ડાયાબિટીસના દર્દીઓને દરરોજ તેનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. હળદરમાં હાજર એન્ટિઓક્સિડન્ટ્સ, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણો કોઈપણ રોગના જોખમને ઘટાડવાની ક્ષમતા ધરાવે છે. આ સાથે, તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ અસરકારક માનવામાં આવે છે. માત્ર ડાયાબિટીસના દર્દીઓ જ નહીં, દરેક વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે દરરોજ રાત્રે સૂતા પહેલા હળદરવાળું દૂધ પીવું જોઈએ.
બદામવાળું દુધ (Almond Milk)
બદામનું નિયમિત સેવન કરવાથી ઘણી બીમારીઓ આપણાથી દૂર રહે છે. ખાસ વાત એ છે કે સોડિયમની માત્રા ઓછી હોવાને કારણે તે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. બદામનું દૂધ દરરોજ પીવું જોઈએ. આ સાથે સવારે 6 થી 7 પલાળેલી બદામ પણ ખાવી જોઈએ.
(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)
આ પણ વાંચો :IPL 2022: ઈરફાન પઠાણે રાજસ્થાનના સુકાની સંજુ સેમસનની કેપ્ટનશીપને લઈને ઉઠાવ્યા અનેક પ્રશ્નો