VADODARA : MS યુનિવર્સિટીના સંશોધકોને Obesity કન્ટ્રોલ કરવાની દવા શોધવામાં મળી સફળતા

એમએસના ફાર્મસી ડિપાર્ટમેન્ટના ફાઉન્ડર ડિન પ્રોફેસર એમઆર યાદવ અને તેઓની ટીમ અંદાજે 10 વર્ષથી એવી દવાનું સંશોધન કરી રહ્યા છે કે જેનાથી ઓબેસિટી એટલે કે જાડાપણું કાબુમાં આવી શકે.

VADODARA : MS યુનિવર્સિટીના સંશોધકોને Obesity કન્ટ્રોલ કરવાની દવા શોધવામાં મળી સફળતા
ઓબેસિટીની દવાનું સંશોધન
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Nov 24, 2021 | 1:07 PM

ઓબેસિટી (Obesity ) એટલે કે જાડાપણું એ આજના વ્યસ્ત અને ભાગદોડવાળા જીવનમાં ગંભીર સમસ્યા છે, જાડાપણું ઘટાડવા માટે અનેક દવાઓ છે. પરંતુ આ દવાઓની આડઅસરને કારણે દર્દીઓને ઉલમાંથી ચુલમાં પડવા જેવી સ્થિતિ સર્જાય છે, પરંતુ વડોદરાની MS યુનિવર્સિટીના ફાર્મસી વિભાગના નિષ્ણાતો અને સંશોધકોએ એવી દવા શોધી કાઢી છે કે જ્યાં કોઈ પણ જાતની આડ અસર વિના દર્દીને ધાર્યું પરિણામ આપી શકે છે.

વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ (MS) યુનિવર્સિટી અને તેના ફાર્મસી વિભાગની લેબોરેટરીમાં ઓબેસિટી (Obesity ) કન્ટ્રોલની દવા અને તેની કોઈ આડ અસર કેવી રીતે ના થાય તેના પર સંશોધન ચાલી રહ્યું છે. એમ એસના ફાર્મસી ડિપાર્ટમેન્ટના ફાઉન્ડર ડિન પ્રોફેસર એમઆર યાદવ અને તેઓની ટીમ અંદાજે 10 વર્ષથી એવી દવાનું સંશોધન કરી રહ્યા છે કે જેનાથી ઓબેસિટી એટલે કે જાડાપણું કાબુમા આવી શકે. વિશ્વમાં અનેક દવાઓ છે કે જેનો ઉપયોગ ઓબેસિટી (Obesity ) કન્ટ્રોલ માટે થઈ શકે. પરંતુ આ દવાઓ કોઈકને કોઈક આડ અસર થતી હતી, કેટલીક દવાઓ તો કેન્સર નોતરતી હતી. પરંતુ પ્રોફેસર એમ.આર.યાદવને એવી દવા બનાવવી હતી કે જે કોઈપણ જાતની આડ અસર વિના પરિણામ આપે. અને દસ વર્ષના અથાગ પરિશ્રમ બાદ ધાર્યું પરિણામ મેળવવામાં પ્રોફેસર એમ.આર.યાદવ અને તેઓની ટીમને સફળતા મળી.

ઓબીસીટી કન્ટ્રોલ માટેની જે કેટલીક દવાઓ છે તેનાથી હાર્ટ એટેક, કેન્સર જેવી તકલીફો ઉભી થતા આવી દવાઓ પર કેટલાક દેશોમાં પ્રતિબંધ મુકાયો હતો, કેટલીક દવાઓ તો દર્દીને માનસિક અસર કરતી હોવાથી આત્મહત્યા કરવા તરફ પ્રેરતી હતી, એટલે જ પ્રોફેસર એમ આર યાદવ અને ડ્રો પ્રશાંત મુરૂમકર તથા તેઓની ટિમ દ્વારા અથાગ મહેનત કરવામાં આવી જેના ફળસ્વરૂપે વર્ષ 2017 માં સફળતા મળી. આ સફળતા પછી આગળની પ્રક્રિયા ચાલી. અને આ શોધના પેટન્ટને કેન્દ્ર સરકારમાં રજીસ્ટર કરાવી છે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

એમ એસના ફાર્મસી વિભાગના નિષ્ણાતોને ઓબેસિટી કાબુમાં આવી શકે એવી દવાનો તો આવિષ્કાર કરવો જ હતો. પરંતુ સાથે તેની આડઅસર ના થાય તેના પર પણ વિચાર કર્યો. અત્યાર સુધીની દવાઓ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર અસર કરતી હતી. અત્યાર સુધીની દવાઓ કઈ રીતે આડઅસર કરે છે શરીરના ક્યાં ભાગ પર તે આડ અસર કરે છે તે શોધ કરતા કેનેબીનોડ-1 નામનું રિસેપટર સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સુધી પહોંચતું હતું. અને તે આડા અસર કરતું હતું. કેનેબીનોડ 1 નેં બ્લોક કરી શકાય તેવી પદ્ધતિ પર સંશોધન કરવામાં આવ્યું અને આખરે તેમાં પણ સફળતા મળી.

કોઈપણ દવા માર્કેટમાં લાવતા પૂર્વે અનેક સંશોધનોમાંથી પસાર કરવાની હોય છે, આજ રીતે આ દવા પર પણ લગભગ 10 વર્ષથી વધુ સમયથી વિવિધ અલગ અલગ તબક્કાઓમાંથી પસાર થઈ ચૂક્યા છે. દવા બજારમાં મુકતા પૂર્વ હજુ કેટલાક તબક્કાઓની પ્રક્રિયા બાકી હોય આ દવા બજારમાં આવતા હજુ પાંચેક વર્ષ લાગશે.

એમ એસ યુનિવર્સિટીના ફાર્મસી વિભાગના સંશોધકો દ્વારા અનેક વર્ષોના અથાગ પરિશ્રમ બાદ મેળવેલ પેટન્ટને સરકારે રજીસ્ટર તો કરી દીધી છે. પરંતુ હવે વહેલી તકે દવા માર્કેટમાં લાવવા માટે સરકાર કેટલી મદદ કરે છે અને કંપનીઓ કેટલો ઉત્સાહ બતાવે છે તે સમય બતાવશે.

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">