નબળી Mental healthના કારણે થઈ શકે છે આ બીમારીઓ, આ રીતે દૂર કરો સમસ્યા
ઘણા લોકો માનસિક સ્વાસ્થ્ય (Mental health) પર પૂરતુ ધ્યાન નથી આપતા. નાની નાની આદતો અને બાબતોને કારણે વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય બગડતુ હોય છે.
Mental health Care Tips: તમારી પાસે કરોડો રુપિયા હોય, જીવન જરુરિયાતની તમામ વસ્તુ હોય અને તમામ સુખ સુવિધા હોય પણ જો તમારુ મન અશાંત હોય અને તમે માનસિક રીતે અસ્વસ્થ હોય તો તે અમીરીનો કોઈ લાભ નથી. સારુ જીવન જીવવા માટે શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક રીતે પણ સ્વસ્થ્ય રહેવુ જરુરી છે. ઘણા લોકો માનસિક સ્વાસ્થ્ય (Mental health) પર પૂરતુ ધ્યાન નથી આપતા. નાની નાની આદતો અને બાબતોને કારણે વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય બગડતુ હોય છે. WHOએ પણ જણાવ્યુ છે કે આપણી દુનિયામાં દર 8માંથી 1 વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ હોય છે. ગુસ્સો આવવો, તણાવમાં રહેવુ અને વિચારોમાં ખોવાયેલા રહેવું એ માનસિક રીતે અસ્વસ્થ હોવાના લક્ષણ હોય છે. તેની બરાબર સારવાર ન કરવામાં આવે તો અનેક બીમારીઓ થઈ શકે છે.
એક્સપર્ટસનું માનવું છે કે તણાવ, ગુસ્સો જેવી બાબતો આપણા જીવનનો ભાગ જ હોય છે. તે દરેક સમયે આપણા માનસિક સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. આ અહેવાલમાં તમને જાણવા મળશે કે ખરાબ માનસિક સ્વાસ્થ્યને કારણે તમને કઈ કઈ બીમારીઓ થઈ શકે છે અને તેનાથી તમે કઈ રીતે બચી શકો છો. આ સમસ્યાઓની સારવાર ઝડપથી થઈ જાય તે જ સારુ હોય છે.
આ બીમારીઓ થઈ શકે છે
1. જો માનસિક સ્વાસ્થ્ય બરાબર ન હોય તો વ્યક્તિને ચિંતાની સમસ્યા થઈ શકે છે, જેમાં તે હંમેશા નર્વસ અથવા ડર અનુભવે છે. આ સ્થિતિમાં ગભરાટના હુમલા પણ થઈ શકે છે.
2. જો માનસિક સ્વાસ્થ્ય બરાબર ન હોય તો પીડિત પણ ફોબિયાની પકડમાં આવી શકે છે. આ એક પ્રકારનો ડર છે, જે આપણે કોઈપણ વસ્તુથી મેળવી શકીએ છીએ.
3. ક્ષતિગ્રસ્ત માનસિક સ્વાસ્થ્યનું સૌથી મોટું લક્ષણ ડિપ્રેશન છે. તેની શરૂઆત તણાવથી થાય છે અને અમુક સમયે વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર બની જાય છે. આમાંથી બહાર આવવું સરળ નથી અને તે આપણને દુનિયાથી અલગ પણ કરી શકે છે.
આ રીતે બીમારીઓથી બચો
1. માનસિક સ્વાસ્થ્ય જાળવવાનો શ્રેષ્ઠ માર્ગ યોગ અથવા ધ્યાન છે. સોશિયલ મીડિયાના યુગમાં તેનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે અને તમને વીડિયો દ્વારા તેને કેવી રીતે કરવું તે અંગે પણ ઘણી મદદ મળશે.
2. જો તમારે માનસિક સ્વાસ્થ્ય જાળવવું હોય તો તમારે આજથી જ ઝિંક, પોટેશિયમ, ઓમેગા-3 ફેટી એસિડ્સ, મેગ્નેશિયમ જેવા પોષક તત્વોનું સેવન શરૂ કરવું પડશે. તમે ઈન્ટેક ફૂડ્સ દ્વારા આ કરી શકો છો.
નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.