Mucormycosis: રોગ કરતાં તેના ડરથી લોકો વધુ પીડિત, મ્યુકરમાઇકોસીસની ભીતીથી આંખના નિષ્ણાંતોને ત્યાં લોકોનો ધસારો વધ્યો

કોરોનાની બીજી લહેર ઓસરવા આવી છે, ત્યાં જ મ્યુકરમાઇકોસીસના કેસો વધતા સરકારની સાથે લોકોની ચિંતા પણ વધી છે.

Mucormycosis: રોગ કરતાં તેના ડરથી લોકો વધુ પીડિત, મ્યુકરમાઇકોસીસની ભીતીથી આંખના નિષ્ણાંતોને ત્યાં લોકોનો ધસારો વધ્યો
File Photo
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 27, 2021 | 5:52 PM

એક તરફ કોરોનાનો (Corona) હાઉ ઓછો નથી થયો ત્યાં હવે મ્યુકરમાઇકોસીસે (Mucormycosis) માથું ઊંચક્યું છે. રોજેરોજ વધતા દર્દીઓ અને મોતના આંકડા વાંચીને લોકોના દિલોદિમાગ પર તેની અસર પડી છે.

કોરોનાની બીજી લહેર ઓસરવા આવી છે, ત્યાં જ મ્યુકરમાઇકોસીસના કેસો વધતા સરકારની સાથે લોકોની ચિંતા પણ વધી છે. પહેલા કોરોનાથી બચવા માટે શું કરવું તેની પળોજણમાં રહ્યા અને કોરોનાથી સાજા થયા બાદ હવે મ્યુકરમાઇકોસીસથી કેવી રીતે દૂર રહેવું તેની મૂંઝવણ લોકોને સતાવી રહી છે.

આ બધાની વચ્ચે આંખના નિષ્ણાંતો પાસે હવે સાવચેતીના ભાગરૂપે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. મ્યુકરમાઇકોસીસના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યાં આંખની જરા અમથી તકલીફ પણ લોકોને આ બીમારી તો નથી થઈને તેવો ડર ઉભો કર્યો છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

સુરતના જાણીતા આંખ રોગના નિષ્ણાંત ડો. મહેન્દ્ર ચૌહાણ જણાવે છે કે, જરા પણ આંખમાં લાલાશ કે બળતરા જેવી તકલીફ હોય તો દર્દી પોતાને મ્યુકરમાઇકોસીસ થયો છે કે નહીં તેવી ભીતિ સાથે તેમની પાસે આવી રહ્યા છે. જોકે આ બિનજરૂરી ભય છે અને લોકોને તેનાથી દુર રહેવાની અપીલ પણ તેમણે કરી છે.

આ રોગ ચેપી નહિ હોવા પર તેમણે ખાસ ભાર પણ મુક્યો છે. એટલું જ નહીં તેમણે લોકોને એ રીતે પણ ચેતવ્યા છે કે કોરોના ના થયો હોય તેવા લોકોને પણ આ રોગ થઈ શકે છે. પણ લક્ષણો જણાય તો તેમણે તાત્કાલિક ડોકટરનો સંપર્ક સાધવા જણાવ્યું છે.

કોરોનાની જેમ મ્યુકરમાઇકોસીસની બીમારીમાં પણ જેટલી વહેલી તકે નિદાન થાય તેટલી તેની અસરથી જલ્દી બચી શકાય તેવું તેમણે ઉમેર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના હોય કે મ્યુકરમાઇકોસીસ આ બંને બીમારીઓમાં જેટલા દર્દીઓ નોંધાઇ રહ્યા છે તેટલી જ અસર લોકોના માનસ પર પણ થઈ છે. પરંતુ તેનાથી ડરવાની જગ્યાએ આ બીમારીથી સાવચેત કેવી રીતે રહેવું તે જરૂરી છે.

મ્યુકરમાઇકોસીસથી બચવા માટે આંખ, નાક, કાન અને ગળાની યોગ્ય કાળજી રાખવી, માસ્કની યોગ્ય સફાઈ કરવી, પ્રાણાયામ અને યોગા કરવા જેવી બાબતોને આદત બનાવવી જોઈએ.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">