Lungs Cancer : સિગારેટ ન પીનાર લોકોને પણ થઇ શકે છે ફેફસાનું કેન્સર, જાણો શું હોઈ શકે કારણ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, 2020 માં કેન્સરથી થતા મૃત્યુનું મુખ્ય કારણ ફેફસાનું કેન્સર છે. તેના કારણે વિશ્વભરમાં દર વર્ષે 18 લાખ લોકો મૃત્યુ પામે છે.

Lungs Cancer : સિગારેટ ન પીનાર લોકોને પણ થઇ શકે છે ફેફસાનું કેન્સર, જાણો શું હોઈ શકે કારણ
Lungs Cancer (Symbolic Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2022 | 7:55 AM

સામાન્ય રીતે ફેફસાના (Lungs ) કેન્સરનું કારણ ધૂમ્રપાન અને તમાકુને જવાબદાર ગણવામાં આવે છે, પરંતુ નવા સંશોધનો (Research ) આશ્ચર્યજનક છે. લંડનની ફ્રાન્સિસ ક્રિક ઈન્સ્ટિટ્યૂટ અને યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે નોન-સ્મોકર એટલે કે ધૂમ્રપાન ન કરનારાઓને પણ ફેફસાનું કેન્સર થઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, 2020 માં કેન્સરથી થતા મૃત્યુનું મુખ્ય કારણ ફેફસાનું કેન્સર છે. તેના કારણે વિશ્વભરમાં દર વર્ષે 18 લાખ લોકો મૃત્યુ પામે છે. લંડનના વૈજ્ઞાનિકોનું નવું સંશોધન કહે છે કે ફેફસાના કેન્સરના ઘણા કિસ્સાઓ છે જેમાં ધૂમ્રપાન કોઈ ભૂમિકા ભજવતું નથી. જાણો, આનું કારણ શું છે અને કેવી રીતે સાબિત થયું છે.

વાયુ પ્રદૂષણથી કેન્સરનું જોખમ

સંશોધકોનું કહેવું છે કે, વાયુ પ્રદૂષણ ફેફસાના કેન્સરનું મુખ્ય કારણ બની ગયું છે. આનાથી ફેફસાંનું કેન્સર થવાનો પણ ખતરો રહે છે. હવામાં રહેલા પ્રદૂષણના અતિ સૂક્ષ્મ કણો અકાળ મૃત્યુનું કારણ બની શકે છે. આને પાર્ટિક્યુલેટ મેટર (PM) 2.5 તરીકે ઓળખવામાં આવે છે. તેઓ એટલા ઝીણા હોય છે કે તેઓ શ્વાસ અને મોં દ્વારા સરળતાથી શરીર સુધી પહોંચે છે અને હૃદય, મગજ અને ફેફસાને નુકસાન પહોંચાડે છે.

કેવી રીતે પ્રદૂષિત હવા કેન્સરનું કારણ બને છે?

યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધક ડૉ.ચાર્લ્સ સ્વાન્ટન કહે છે કે, PM 2.5 ના સૂક્ષ્મ કણો ફેફસાંમાં પહોંચે છે અને બળતરા પેદા કરે છે. પહેલા શરીરમાં બદલાવ પછી ધીમે ધીમે ગાંઠો થાય છે. જેમ જેમ વ્યક્તિ વૃદ્ધ થાય છે તેમ, કેટલાક કોષો જે સામાન્ય રીતે સક્રિય નથી હોતા તે વાયુ પ્રદૂષણને કારણે પરિવર્તનની પ્રક્રિયામાંથી પસાર થાય છે અને તેઓ ફેલાવા લાગે છે. આ કોષો ગાંઠોનું કારણ બને છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

સંશોધનમાં શું સાબિત થયું?

મેડિકલ ન્યૂઝ ટુડેના અહેવાલ મુજબ, સંશોધકોએ ઈંગ્લેન્ડ, દક્ષિણ કોરિયા અને તાઈવાનના 463,679 લોકોના સ્વાસ્થ્ય ડેટા લીધા. ડેટાની તપાસ કરતા ફેફસાના કેન્સર અને વાયુ પ્રદૂષણ વચ્ચે કનેક્શન જોવા મળ્યું. ઉંદરો પરના સંશોધનમાં આ વાત સાબિત થઈ છે.સંશોધકોનું કહેવું છે કે, ઉંદરો પર કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે જેમ જેમ વાયુ પ્રદૂષણનું સ્તર વધે છે તેમ તેમ ગાંઠોની તીવ્રતા, કદ અને સંખ્યા પણ વધે છે.

સંશોધક એમિલિયા લિમના જણાવ્યા અનુસાર, ફેફસાના કેન્સરના આવા ઘણા કિસ્સાઓ છે જ્યારે દર્દીને લાગે છે કે ધૂમ્રપાન ન કરવા છતાં તેને કેન્સર છે. હકીકતમાં, વિશ્વભરના 99 ટકા લોકો એવા સ્થળોએ રહે છે જ્યાં પ્રદૂષણનું સ્તર WHO ના ધોરણો કરતા ઘણું વધારે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ અનુસાર, વિશ્વના 117 દેશોના 6 હજારથી વધુ શહેરોની હવાની ગુણવત્તાનું સ્તર તપાસવામાં આવ્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે મોટાભાગના દેશોમાં હવાની ગુણવત્તા નબળી હોવાનું જાણવા મળ્યું છે. તેમાં મોટાભાગના મધ્યમ આવક ધરાવતા દેશોનો સમાવેશ થાય છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 આની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">