આ લક્ષણો છે નબળી રોગપ્રતિકારક શક્તિનો સંકેત, લક્ષણો જણાય તો તરત જ સારવાર લો

રોગપ્રતિકારક તંત્ર એ શરીરની એકમાત્ર સંરક્ષણ પદ્ધતિ છે, જે શરીરને ભવિષ્યના ચેપથી રક્ષણ આપે છે. પરંતુ જો તે નબળું હોય, તો ઘણા પેથોજેન્સને કારણે ચેપ લાગવાની શક્યતા વધારે હોય છે.

આ લક્ષણો છે નબળી રોગપ્રતિકારક શક્તિનો સંકેત, લક્ષણો જણાય તો તરત જ સારવાર લો
symptoms weak immune system
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2022 | 6:45 PM

જો આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ (immunity) સારી હશે તો આપણે જલ્દી બીમાર નહીં પડીએ. ઘણીવાર આપણામાંના ઘણા એવા હોય છે, જેઓ બહારનો ખોરાક પણ ખાય છે અથવા વરસાદમાં ભીંજાઈ જાય છે તો તેઓ તરત જ બીમાર પડી જાય છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે બહારનું જે પણ ખાય છે તે જલ્દી બીમાર (illness) થતા નથી. તેની પાછળનું કારણ આપણી રોગપ્રતિકારક શક્તિ છે. ઘણા લોકોની રોગપ્રતિકારક શક્તિ સારી હોય છે, જ્યારે ઘણા લોકો નબળી રોગપ્રતિકારક શક્તિની સમસ્યા સાથે સંઘર્ષ કરતા હોય તેવું લાગે છે. આજે આપણે જણાવીશું કે નબળી રોગપ્રતિકારક શક્તિના લક્ષણો શું છે.

સતત ફ્લૂ અથવા શરદી

વારંવાર શરદી અથવા ફ્લૂની સમસ્યાનો સામનો કરવો એ નબળી રોગપ્રતિકારક શક્તિનું કારણ હોઈ શકે છે. જ્યારે આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે, ત્યારે રોગપ્રતિકારક શક્તિમાં આપણને ખતરનાક વાયરસ અને બેક્ટેરિયાના હુમલાથી બચાવવાની ક્ષમતા હોતી નથી, જેના કારણે આપણને ફ્લૂ અને શરદી સરળતાથી અને વારંવાર થાય છે. તમને જણાવી દઈએ કે લોકો માટે વર્ષમાં 2થી 3 વખત શરદી થવી એ એકદમ સામાન્ય બાબત છે.

પેટની સતત સમસ્યાઓ

રોગપ્રતિકારક શક્તિ આપણી પાચન તંત્રની સ્થિતિ સાથે જોડાયેલી છે. જો તમે નિયમિતપણે પેટની સમસ્યાઓથી પીડાતા હોવ જેમ કે ઝાડા, પેટનું ફૂલવું અને કબજિયાત તો આ નબળી રોગપ્રતિકારક શક્તિના ચેતવણી ચિહ્નો હોઈ શકે છે. તેથી, પેટ સંબંધિત કોઈપણ સમસ્યા પ્રત્યે બેદરકાર ન રહો.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

સુસ્તી અનુભવવી

શરીરમાં સુસ્તી અનુભવવી એ પણ નબળી રોગપ્રતિકારક શક્તિની નિશાની છે. તમારું શરીર હંમેશા પેથોજેન્સ સામે લડાઈ લડી રહ્યું છે, તેથી ઊર્જાનો વપરાશ વધે છે. જેના કારણે તમે નિયમિત ઊંઘ પછી પણ થાક અને સુસ્તી અનુભવો છો. નબળાઈ રોગપ્રતિકારક શક્તિને કારણે થાકની સાથે સુસ્તીનો અનુભવ થઈ શકે છે.

ઘા કે વાગવા પર ઝડપથી રૂઝ ન આવવી

કેટલીકવાર શરીરના કોઈપણ ભાગમાં થયેલો ઘા એક અઠવાડિયા સુધી પણ મટતો નથી. આ કારણ છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે. જેના કારણે ઇજાગ્રસ્ત ત્વચા જલ્દીથી ઠીક થતી નથી. આપણી રોગપ્રતિકારક શક્તિ જેટલી મજબૂત હશે તેટલી ઝડપથી ઘા રૂઝાશે.

Latest News Updates

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">