Jeera Water: ચરબી વધી ગઈ હોય તો કરો જીરા પાણીનું સેવન, ઝડપથી ઘટશે વજન

આજની લાઈફસ્ટાઈલ પ્રમાણે લોકોના વજન વધવા લાગે છે. વજન ઘટાડવા માટે લોકો ડાયેટ પ્લાનમાં બદલાવ કરતા હોય છે. ઘણા લોકો વજન ઘટાડવા માટે જીમમાં પરસેવો વહેડાવતા હોય છે. આમ છતાં પણ વજન ઘટતું નથી.

Jeera Water: ચરબી વધી ગઈ હોય તો કરો જીરા પાણીનું સેવન, ઝડપથી ઘટશે વજન
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Apr 05, 2021 | 4:59 PM

આજની લાઈફસ્ટાઈલ પ્રમાણે લોકોના વજન વધવા લાગે છે. વજન ઘટાડવા માટે લોકો ડાયેટ પ્લાનમાં બદલાવ કરતા હોય છે. ઘણા લોકો વજન ઘટાડવા માટે જીમમાં પરસેવો વહેડાવતા હોય છે. આમ છતાં પણ વજન ઘટતું નથી. આજે અમે તમને ઘરેલુ નુસખા વિશે જણાવીશું. જેનો ઉપયોગ કરીને તમે થોડા જ અઠવાડિયામાં વજન ઘટાડી શકો છો. આપણે સૌ જીરાનો ઉપયોગ મસાલા તરીકે કરતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે, જીરાના સેવનથી તમારું વજન ઘટે છે. એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, જીરું પાણી (Jeera Water) સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને સાથે વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે.

જીરૂ આપણા પાચનતંત્રને મજબૂત કરવામાં મદદરૂપ છે. આ સિવાય શરીરમાંથી ટોક્સિક પદાર્થને પણ દૂર કરે છે. જીરાનું સેવન સ્વાસ્થ્યની સાથે-સાથે ત્વચા માટે બેહદ ફાયદાકારક છે. જો તમે પણ વજન ઘટાડવા માંગતા હોય તો જીરા પાણીનું (Jeera Water)સેવન કરવું જોઈએ.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

જીરુમાં ચરબી ઘટાડનારા તત્વો હોય છે, જે ચરબી ઓગાળવામાં મદદ કરે છે. આ ઉપરાંત જીરું આયુર્વેદમાં પણ આરોગ્ય માટે ફાયદાકારક હોવાનું પણ કહેવામાં આવે છે. નિષ્ણાતોના મતે જીરું આપણા પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે સાથે જ શરીરમાંથી ઝેરી પદાર્થોને કાઢવાનું કામ કરે છે. પાચન તંત્ર વજન ઘટાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. દરરોજ જીરુંનું સેવન કરવાથી તમારું વજન ઓછું થાય છે. તે તમારી ચરબી બર્ન કરવામાં મદદ કરે છે.

આવો જાણીએ શા માટે મોટાભાગના લોકો તેમના આહારમાં જીરું પાણી સામેલ કરવાની સલાહ આપે છે. તે તમને કેવી રીતે ફાયદો કરે છે. જ્યારે જીરું પાણીમાં ઉમેરવામાં આવે છે, ત્યારે તેના તમામ પોષક તત્વો તે પાણીમાં ભળી જાય છે. જેના કારણે તેનો રંગ આછો પીળો દેખાય છે. જીરુંમાં 7 કેલરી હોય છે. આ સિવાય તે હેલ્ધી ડિટોક્સ ડ્રિંક છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આ પીવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરાઈ રહે છે. તમે ખાતા પહેલા જીરું પાણી પી શકો છો. આ પીવાથી તમારી ભૂખ શાંત થશે.

જો તમે જલદીથી વજન ઓછું કરવા માંગતા હોય તો પછી દિવસમાં 3થી 4 વખત જીરું પાણી પીવો. સવારે ઉઠ્યા પછી તમે ડિટોક્સિફાઈંગ પીણું તરીકે પી શકો છો. બપોરના ભોજન સુધી તમારું પેટ ભરાયેલું રહેશે. રાતે જમ્યા બાદ પણ જીરું પાણી પી શકો છો, જેથી તમારું પાચનતંત્ર મજબૂત થાય. જો તમે ઈચ્છો તો તમે જીરું પાણીમાં લીંબુ અને એક ચપટી તજ પણ ઉમેરી શકો છો. તજમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે બ્લડશુગરની માત્રાને કન્ટ્રોલ કરવાનું કામ કરે છે. આ સાથે જ વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">