હાર્ટ એટેક અને હાર્ટબર્ન વચ્ચે શું તફાવત છે ? આ લક્ષણો દ્વારા ઓળખો

સામાન્ય રીતે લોકો એ સમજવામાં તકલીફ થતી હોય છે કે, હાર્ટ એટેક (Heart attack) અને હાર્ટ બર્નના વચ્ચે શું અંતર છે, અને આ બંને પરિસ્થિતીમાં કેવા પગલા લેવા, આજે અમે તમને આ બાબતની માહિતી આપશું.

હાર્ટ એટેક અને હાર્ટબર્ન વચ્ચે શું તફાવત છે ? આ લક્ષણો દ્વારા ઓળખો
Heart attack or Heartburn
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2022 | 12:41 PM

વેબ સિરીઝ ‘મિર્ઝાપુર 2’માં લલિતની ભૂમિકા ભજવનાર અભિનેતા બ્રહ્મા મિશ્રાનું હાર્ટ એટેકથી નિધન થયું છે. રિપોર્ટ્સ અનુસાર લલિત જ્યારે બાથરૂમમાં હતો ત્યારે તેને હાર્ટ એટેક (Heart attack) આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે 29 નવેમ્બરે બ્રહ્મા મિશ્રાએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. તે ડોક્ટર પાસે ચેકઅપ માટે ગયો. ચેકઅપ બાદ ડોક્ટરે તેને ગેસની દવા આપીને ઘરે આરામ કરવાની સલાહ આપી હતી. આ પછી 2 ડિસેમ્બરે બ્રહ્મા મિશ્રા ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઘણીવાર ઘણા લોકો હાર્ટ એટેક અને હાર્ટબર્ન (Heartburn)ના લક્ષણો વચ્ચે તફાવત કરી શકતા નથી અને તેના કારણે સારવારમાં વિલંબ થાય છે. જો કે, હાર્ટ એટેક અને હાર્ટબર્ન બંનેમાં છાતીમાં દુખાવો સમાન છે. આ તફાવતને સમજવા માટે, બંનેના લક્ષણોને નજીકથી સમજવું જરૂરી છે.

હાર્ટ એટેક શું છે– કોરોનરી ધમનીઓમાં બિમારીને કારણે હાર્ટ એટેક આવે છે. આ રક્તવાહિનીઓ હૃદય સુધી લોહી પહોંચાડવાનું અને તેને ઊર્જા અને ઓક્સિજન દ્વારા જીવંત રાખવાનું કામ કરે છે. કોરોનરી આર્ટરી ડિસીઝમાં હૃદયની માંસપેશીઓમાં લોહી યોગ્ય રીતે પહોંચતું નથી અને તેના કારણે હાર્ટ એટેક આવે છે. હૃદયરોગનો હુમલો હૃદયના ધબકારા બંધ થવાનું કારણ બની શકે છે. તેને કાર્ડિયાક અરેસ્ટ કહેવામાં આવે છે. જ્યારે કાર્ડિયાક અરેસ્ટ થાય ત્યારે પલ્સ બંધ થઈ જાય છે.

હાર્ટ એટેકના લક્ષણો – હાર્ટ એટેકના કેટલાક ખાસ લક્ષણો છે જેમ કે છાતીમાં દુખાવો, દબાણ, ભારેપણું, જકડાઈ જવાની લાગણી. આ પીડા આવતી અને જતી રહે છે. પરંતુ થોડી મિનિટો કરતાં વધુ સમય સુધી ટકી શકે છે. હાર્ટ એટેકના બધા લક્ષણો સરખા હોતા નથી. આ લક્ષણો હળવા અથવા ગંભીર હોઈ શકે છે. છાતીમાં દુખાવો અથવા અસ્વસ્થતા સામાન્ય રીતે મધ્યમાં અથવા ડાબી બાજુએ થાય છે, પરંતુ તે શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાય છે. આ દુખાવો એક અથવા બંને હાથ, ગરદન, જડબામાં અથવા તો પીઠના ઉપરના ભાગમાં પણ અનુભવાય છે. આ સિવાય ઠંડી લાગવી, વધુ પડતો પરસેવો થવો, શ્વાસ લેવામાં તકલીફ થવી, ઉલટી થવી, ખૂબ થાક લાગવો અને ચક્કર આવવા પણ હાર્ટ એટેકના લક્ષણો હોઈ શકે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

હાર્ટબર્ન શું છે- હાર્ટબર્ન એ રોગ નથી પરંતુ એક લક્ષણ છે. આ એક પ્રકારની બર્નિંગ સેન્સેશન છે જે એસિડ રિફ્લક્સને કારણે થાય છે. આને કારણે, ખોરાક ફૂડ પાઇપમાં પાછો આવે છે. હાર્ટબર્ન કોઈપણ રીતે હૃદય સાથે સંબંધિત નથી, પરંતુ છાતીમાં દુખાવો થવાને કારણે લોકો ઘણીવાર મૂંઝવણમાં રહે છે. હાર્ટબર્નથી શરીરને કોઈ નોંધપાત્ર નુકસાન થતું નથી, પરંતુ લોકો શા માટે પીડા અનુભવે છે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી. નિષ્ણાતોના મતે, એસિડ પ્રત્યે સંવેદનશીલ ચેતાને કારણે પીડા અનુભવી શકાય છે.

હાર્ટબર્નના લક્ષણો – હાર્ટબર્નમાં, શરીરની ફૂડ પાઇપમાં બળતરા થાય છે. આ બળતરા સામાન્ય રીતે પેટની ઉપર જ હોય ​​છે. આ એસિડ ઉપરના ભાગમાં, મોઢાના પાછળના ભાગમાં પણ પહોંચી શકે છે. આ સિવાય ઉબકા, પેટનું ફૂલવું અને ખાટા ઓડકાર પણ તેના લક્ષણો છે. કેટલાક પરીક્ષણો દ્વારા, હાર્ટ એટેક અને હાર્ટબર્નના લક્ષણોને અલગ કરી શકાય છે.

હાર્ટબર્ન અને હાર્ટ એટેકના લક્ષણો વચ્ચેનો તફાવત– હાર્ટબર્ન એટલે કે છાતીમાં બળતરા સામાન્ય રીતે ખોરાક ખાધા પછી અને આડા પડ્યા પછી અનુભવાય છે પરંતુ હાર્ટ એટેક પણ ખોરાક ખાધા પછી તરત જ આવી શકે છે. એસિડ ઘટાડતી દવાઓથી હાર્ટબર્નથી રાહત મેળવી શકાય છે. હાર્ટબર્નમાં, શ્વાસની તકલીફ જેવા લક્ષણો અનુભવાતા નથી. જ્યારે હાર્ટ એટેકમાં પેટમાં ફૂલવું કે ઓડકાર આવવા જેવા કોઈ લક્ષણો નથી.

ડૉક્ટરનો સંપર્ક ક્યારે કરવો– અમેરિકાની સીડીસી અનુસાર, જો તમને કેટલાક ખાસ લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જેમ કે છાતીમાં દુખાવો અથવા અસ્વસ્થતા, દબાણ, ભારેપણું, શરીરના અન્ય ભાગોમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, શરદી સાથે પરસેવો, ઉબકા અને ચક્કર, ખૂબ થાક અનુભવવો, ખોરાક ગળતી વખતે તકલીફ, મળ ત્યાગ કરતી વખતે લોહી પડવા જેવી સમસ્યા સર્જાયતો ડોક્ટર પાસે તુરંત જાવ.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">