Heart Attack: જીવનશૈલીમાં કરો આ બદલાવ, હ્રદયરોગના હુમલાનો ખતરો ઓછો થશે
Heart Attack: જો જીવનશૈલીમાં ફેરફાર કરવામાં આવે તો બીજી વખત હાર્ટ સ્ટ્રોકનો ખતરો ઘટાડી શકાય છે. આ લેખમાં, અમે તમને એક સંશોધનના આધારે તેનાથી સંબંધિત જરૂરી માહિતી આપવા જઈ રહ્યા છીએ.
છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના કેસ ખુબ વધી ગયા છે. નાની ઉંમરે હાર્ટ એટેકના કેસોમાં ઝડપથી વધારો થયો છે. તેની પાછળના કારણો મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જેમ કે શારીરિક પ્રવૃત્તિ જેમ કે જીમમાં કલાકો પસાર કરવા અથવા દોડવું વગેરે. તાજેતરમાં જ એક્ટર સિદ્ધાંત સૂર્યવંશીનું પણ જીમમાં એક્સરસાઇઝ દરમિયાન મોત થયું હતું. જેના કારણે લોકોમાં જીમ કે શારીરિક પ્રવૃત્તિ કરવાનો ક્રેઝ હવે ઘટી રહ્યો છે. જો કે જીવનશૈલીમાં ફેરફાર કરવામાં આવે તો બીજી વખત હાર્ટ સ્ટ્રોકનો ખતરો ઘટાડી શકાય છે. આ લેખમાં, અમે તમને એક સંશોધનના આધારે તેનાથી સંબંધિત જરૂરી માહિતી આપવા જઈ રહ્યા છીએ.
જીવનશૈલીમાં આ ફેરફારો કરો
એક નવું સંશોધન બહાર આવ્યું છે, જે મુજબ જીવનશૈલીમાં બદલાવ બીજી વખત હાર્ટ એટેકનો ખતરો ઘટાડી શકે છે. વાસ્તવમાં, એક સંશોધન સામે આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે હાર્ટ એટેક હોવા છતાં, જો જીમનું રૂટીન ફરીથી ફોલો કરવામાં આવે છે, તો તે હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે. આ બધામાં પૂરતી ઉંઘ અને ટ્રેસમાં નિયંત્રણથી ઘણી સમસ્યા ટાળી શકાય.
હાર્ટ એટેકના જોખમ વિશે સંશોધન શું કહે છે
સંશોધન અનુસાર, આ માટે લગભગ 1100 પુખ્તોનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો. આ તમામને 1990 થી 2018 ની વચ્ચે હાર્ટ એટેક આવ્યો હતો. આમાં સરેરાશ ઉંમર 73 વર્ષ હતી. સંશોધકોએ તેમના અહેવાલમાં જણાવ્યું હતું કે જે લોકો શારીરિક રીતે ફિટ છે અને તેમ છતાં નિયમિત કસરતનું પાલન કરે છે, તેમનામાં હાર્ટ એટેકનું જોખમ 34 ટકા ઘટી જાય છે.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.