શું તમે પણ નથી કરતા ડિનર ? જાણી લો ડિનર ના કરવાથી થાય છે આ નુકશાન

Healthcare Tips : દુનિયામાં એવા ઘણા લોકો હશે જેમ એમ વિચારતા હશે કે ઓછુ ભોજન કરીશું તો વજન જલ્દી ઘટશે. અને એટલે જ વજન ઘટાડવાના ચક્કરમાં લોકો ડિનર નથી કરતા. એક્સપર્ટના મતે તમારી ડિનર છોડવાની આદત ઘણા પ્રકારની સમસ્યાને આંમત્રણ આપી શકે છે.

શું તમે પણ નથી કરતા ડિનર ? જાણી લો ડિનર ના કરવાથી થાય છે આ નુકશાન
Healthcare TipsImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2022 | 11:26 PM

જેમ કોઈપણ મશીનને ચલાવવા માટે ઓઈલની જરુર પડે છે તેમ આપણા શરીરને કાર્યરત રાખવા માટે ભોજનની જરુર પડે છે. પોષ્ટિક આહારમાંથી મળતા પોષક તત્વોથી જ શરીર સ્વસ્થ રહે છે. એવુ કહેવાય છે કે રાત્રે પાચનતંત્ર સારુ રાખવા માટે હળવુ ભોજન કરવુ જોઈએ.પરંતુ આનો અર્થ એ નથી કે તમારે માત્ર ડિનર જ ન કરવું જોઈએ. ઘણી વખત પોતાના સ્વાસ્થય (Health) અને વજનને લઈને ચિંતીત  લોકો ડિનર ખાવાનું છોડી દે છે. જો તમે પણ આમ કરો છો તો હવેથી આ આદતને ટાળો. ડિનર છોડવાથી ન માત્ર તમે નબળા પડી શકો છો, પરંતુ અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને પણ આમંત્રણ આપશો. ચાલો જાણીએ ડિનર છોડવાથી થતી આડ અસરો વિશે (Side Effects of Skipping Dinner).

ઊંઘમાં મુશ્કેલી

ખાલી પેટને કારણે ઊંઘ પર પણ અસર થાય છે. રાત્રે તીવ્ર ભૂખ લાગે છે. આવી સ્થિતિમાં જો તમે ખોટા સમયે કંઈક ખાઓ છો, તો તમારા સ્વાસ્થ્યને અસર થાય છે. ઊંઘના અભાવને કારણે, તમે દિવસભર થાક અનુભવશો. આવી સ્થિતિમાં સ્વભાવમાં ચીડિયાપણું પણ આવે છે.

પેટના દુખાવાની સમસ્યા

રાત્રે ડિનર છોડવાથી ક્યારેક પેટમાં દુખાવો થઈ શકે છે. ઘણી વખત ખાલી પેટને કારણે લોકોને પેટમાં ગેસ થાય છે. તો આવું ના કરો. જો તમે વજન ઘટાડવાના ઈરાદાથી રાત્રિ ભોજન છોડો છો, તો સ્કિપ કરવાને બદલે ફાઈબરયુક્ત વસ્તુઓને આહારમાં સામેલ કરો. આ વસ્તુઓ સરળતાથી પચી જાય છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

પોષણની ખામીઓ

ભોજન છોડવું એ સમસ્યાનો ઉકેલ નથી. જો તમે દરરોજ ડિનર છોડો છો, તો તમારા શરીરને જરૂરી પોષક તત્વો નથી મળતા. જેના કારણે તમારા શરીરમાં શુગર લેવલ નીચે જઈ શકે છે. તમારી રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી જાય છે. જેના કારણે શરીર અનેક રોગોનો શિકાર બની શકે છે.

ઊર્જાનો અભાવ

દરરોજ ડિનર ન કરવાથી શરીરમાં ઉર્જાનો અભાવ થાય છે. આના કારણે શરીર અંદરથી નબળું પડવા લાગે છે, જેના કારણે થાક અને માથાનો દુખાવો જેવી સમસ્યા થઈ શકે છે. થોડા સમય પછી તેના કારણે, ઘણી નબળાઇ પણ અનુભવાય છે. તમારા માનસિક સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર થઈ શકે છે. આ કારણે તણાવ અને ચિંતા વધશે.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">