Health: જો બ્લડ સુગર 200 ને પાર જાય ત્યારે શું કરવું ? જાણો પાંચ સરળ ટિપ્સ

જો તમારું બ્લડ સુગર લેવલ ઊંચું રહે છે, તો તમારે તમારા મીઠાના સેવન પર પણ ધ્યાન આપવાની જરૂર છે. હા, તમારે તમારા આખા દિવસમાં 5 ગ્રામથી વધુ મીઠું લેવાની જરૂર નથી

Health: જો બ્લડ સુગર 200 ને પાર જાય ત્યારે શું કરવું ? જાણો પાંચ સરળ ટિપ્સ
Some simple tips to control blood pressure
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 9:19 AM

ડાયાબિટીસ(Diabetes ) હાલના સમયની એક એવી સમસ્યા છે, જેમાં જો તમારું બ્લડ સુગર(Blood Sugar ) સામાન્ય નથી રહેતું તો તમે અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનો શિકાર બની શકો છો. ડાયાબિટીસમાં, બ્લડ શુગરનું સ્તર અચાનક ઊંચું અથવા ખૂબ ઓછું થઈ જાય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ બંને સ્થિતિઓ આપણા હૃદયના કાર્ય પર અસર કરે છે. તેથી તમારું શરીર યોગ્ય રીતે કાર્ય કરી શકે તે માટે તમારા બ્લડ સુગરના સ્તરને નિયંત્રણમાં રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જો ક્યારેય તમારું બ્લડ સુગર લેવલ 200 થી ઉપર જાય છે, તો તમારે એવા પગલાં લેવાની જરૂર છે, જેનાથી બ્લડ સુગર સામાન્ય થઈ જશે કારણ કે બ્લડ સુગરનું વધતું સ્તર તમારી કિડની તેમજ હૃદયના સ્વાસ્થ્યને અસર કરે છે. તેને પાછું કંટ્રોલ કરવા માટે તમે દવાઓની સાથે કેટલીક સરળ ટિપ્સ અપનાવી શકો છો, જેનાથી બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરી શકાય છે. ચાલો જાણીએ આ ટિપ્સ કઈ છે.

5 સરળ ટિપ્સ જે સુગર લેવલને 200 થી નીચે રાખશે 1- દવાઓ સમયસર લેવી બ્લડ સુગર 200 વટાવી જવાના કિસ્સામાં, તમારા માટે સૌથી મહત્વપૂર્ણ છે કે તમે પહેલા ડૉક્ટરને બતાવો અને ખાતરી કરો કે તમે જે દવાઓ લઈ રહ્યા છો તે યોગ્ય સમયે લેવામાં આવી છે જેથી તમારું બ્લડ સુગરનું સ્તર ન તો વધે કે ન ઘટે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

2-દૈનિક રૂટિનમાં આ ફેરફારો કરો બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે, તે મહત્વપૂર્ણ છે કે તમે જીવનશૈલીમાં કેટલાક ફેરફારો કરો જેમ કે:

1-વજન ઘટાડવું

2-ખોરાકમાં ફેરફાર કરવો

3-નિયમિત દવા લેવી

જો તમે આ 3 વસ્તુઓ નિયમિતપણે કરતા રહેશો તો તમને સામાન્ય જીવન જીવવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. આ 3 વસ્તુઓ એકસાથે તમારા બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે.

3-મીઠાઈઓ પર રોક બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવા માટે તમારે તમારા આહારમાં ખાંડ અને ખાંડની બનાવટોનું સેવન બંધ કરવું જોઈએ. તમારે માત્ર મીઠાઈ પર કંટ્રોલ જ નહી પરંતુ સંતુલિત આહાર પણ લેવો જોઈએ. તમારા આહારમાં 50-60% ખાંડ, 20-30% ચરબી અને 30-40% પ્રોટીન લેવું આવશ્યક છે.

4-મીઠાની માત્રાનું પણ ધ્યાન રાખો જો તમારું બ્લડ સુગર લેવલ ઊંચું રહે છે, તો તમારે તમારા મીઠાના સેવન પર પણ ધ્યાન આપવાની જરૂર છે. હા, તમારે તમારા આખા દિવસમાં 5 ગ્રામથી વધુ મીઠું લેવાની જરૂર નથી. જો તમે વધુ મીઠાનું સેવન કરો છો, તો તમારે તેને મર્યાદિત કરવાની જરૂર છે કારણ કે તે તમારા શરીરને અન્ય નુકસાન પહોંચાડી શકે છે.

5-શું ન ખાવું 1-દારૂ અને ધૂમ્રપાન બંધ કરો.

2- લોટ, બટાકા જેવી વસ્તુઓ ન ખાવી જોઈએ.

3-સંતુલિત આહાર તમને શુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરશે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો : Health: લાલ કેળા રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ, જાણો તેના કેટલા છે ફાયદા

આ પણ વાંચો : Omicron: ખૂબ જ ઝડપથી ફેલાય છે ઓમિક્રોન, ભારતમાં ઓમિક્રોનની લહેર આવશે તો હોસ્પિટલ્સ દર્દીઓથી ઉભરાશે

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">