Health Tips: આ 5 વસ્તુઓ ઇમ્યુનિટી સિસ્ટમને બનાવી દે છે નબળી, આજે જ બંધ કરો સેવન
કોરોના મહામારીના આ સમયમાં ઇમ્યુનિટી સિસ્ટમ સુધારવા માટે આપણે અનેક પ્રયાસો કરતા હોઈએ છીએ. પરંતુ અમુક વસ્તુઓનું સેવન કરવાથી ઇમ્યુનિટી ઘટી શકે છે. ચાલો તમને જણાવી દઈએ કઈ છે આ ચીઝ વસ્તુઓ.
કોરોના મહામારી બાદ લોકો રોગપ્રતિકારક શક્તિને લઈને વધુ વધુ જાગૃત થઇ રહ્યા છે. ઘણા સંશોધનોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મજબૂત રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને કોરોના વાયરસથી સરળતાથી ચેપ લાગતો નથી. રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે લોકો ખોરાક અને ફાળોના સેવન પર વિશેષ ધ્યાન આપતા હોય છે. એ ખુબ સારી બાબત છે, પરંતુ એવી વસ્તુઓથી પણ બચવું જોઈએ જે સ્વાસ્થ્ય માટે હાની કારક છે. અમુક પદાર્થોનું સેવન ઇમ્યુનિટીને નુકશાન કરે છે. ચાલો તમને જણાવી દઈએ કે શું સાવચેતી રાખવાની જરૂર છે.
શેનું શેનું સેવન ના કરવું
આલ્કોહોલનું સેવન આરોગ્ય માટે ખુબ હાનિકારક છે. વધુ પડતા આલ્કોહોલના સેવનથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. મીઠાને વધારે પ્રમાણમાં લેવાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. એક સંશોધનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મીઠાના વધુ સેવનથી શરીરમાં બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા ઓછી થઇ જાય છે. જો તમે ઇચ્છો છો કે તમારી રોગપ્રતિકારક શક્તિ વધુ સારી રહે. તો ઓછામાં ઓછી સ્વીટ વસ્તુઓનું સેવન કરવું જોઈએ. મીઠી વસ્તુના સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. કેફીનનું વધારે સેવન રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. જો તમે રોગપ્રતિકારક શક્તિ વધારવા માંગતા હો, તો કેફીનનું સેવન ઓછું કરવું જોઈએ. ખાસ સૂવાના સમયના 6 કલાક પહેલાં કેફીનનું સેવન ન કરો. સોડા અને એનર્જી ડ્રિંક્સનું સેવન ઓછો કરો. આના સેવનથી રોગપ્રતિકારક શક્તિને પણ નબળી પડી જાય છે.
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)