Health Tips : સ્વાદ અને સુગંધયુક્ત વરિયાળીના જાણો આ ફાયદાઓ
વરિયાળીનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે કરવામાં આવે છે. પણ તે સિવાય પણ તેના ઘણા સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ રહેલા છે.
વરિયાળીના મીઠા સ્વાદ અને સુગંધને કારણે, લોકો તેનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે કરે છે. વરિયાળીનો ઉપયોગ વિવિધ પ્રકારના ભોજનનો સ્વાદ વધારવા માટે પણ થાય છે. વરિયાળી લગભગ દરેક ઘરમાં જોવા મળે છે.વરિયાળી મુખ્યત્વે માઉથ ફ્રેશનર તરીકે વપરાય છે. તેમાં રહેલા ફાઇબર અને ઘણા પોષક તત્વો તમારા પેટના સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે. પરંતુ, દૂધ સાથે વરિયાળી લેવાથી તમને ઘણા વધુ સ્વાસ્થ્ય લાભ મળે છે.વરિયાળીનું દૂધ બનાવવું ખૂબ જ સરળ છે. આ માટે, એક ગ્લાસ દૂધમાં એક ચમચી વરિયાળી ઉમેરો અને આ દૂધને સારી રીતે ઉકાળો. સારી રીતે ઉકળે ત્યાર બાદ તેને પીવાય એટલુ ગરમ હોય ત્યારે દૂધ પીવો.
વરિયાળીના બીજા ફાયદાઓ પણ જાણીએ :
પેટની સમસ્યાઓ દૂર કરવામાં ફાયદાકારક છે વરિયાળીમાંરહેલું કુદરતી તેલ અપચો, પેટનું ફૂલવું અને કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે. એટલા માટે વરિયાળીનું દૂધ પેટની બીમારીઓને દૂર કરવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તેના એસ્ટ્રાગલસ અને એનેથોલને કારણે, તે પેટની બિમારીઓ જેમ કે ગેસ, પીડા અને જઠરાંત્રિય વિકારો માટે અસરકારક ઉપાય માનવામાં આવે છે.
વજન નિયંત્રણ માટે અસરકારક જો તમે સ્થૂળતાથી પીડિત છો, તો તમારે આજથી વરિયાળી ખાવાનું શરૂ કરવું જોઈએ. બે કપ પાણીમાં એક ચમચી વરિયાળી ઉકાળો અને આ પાણીને દિવસમાં બેથી ત્રણ વખત પીવો. આ તમારા અપચો દૂર કરશે અને વજન ઘટાડવામાં પણ મદદ કરશે.
ઝેરી તત્વો દૂર કરે છે તેમાં આવશ્યક તેલ અને ફાઇબર જેવા પોષક તત્વો તમારા શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે, તેથી વરિયાળી લોહી શુદ્ધિકરણ માટે પણ ઉપયોગી છે.
દ્રષ્ટિ સુધારવામાં મદદ કરે છે જો તમારી દ્રષ્ટિ ઓછી છે અથવા તમારી આંખો નબળી છે, તો મુઠ્ઠીભર વરિયાળી તમારા માટે વરદાન બની શકે છે.વરિયાળીમાં વિટામીન એ હોય છે, જે દ્રષ્ટિ માટે સારું છે. રોજ 5 થી 6 ગ્રામ વરિયાળી ખાવાથી લીવર અને દ્રષ્ટિ સુધરે છે.
હૃદયની તંદુરસ્તી સુધારે છે તેના ફાઇબર, પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ હૃદય રોગનું જોખમ ઘટાડે છે. ઉપરાંત,વરિયાળી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં ખૂબ અસરકારક છે.
ચહેરાને ચમકદાર બનાવે છે વરિયાળીનો નિયમિત વપરાશ તમારા શરીરને ઝીંક, કેલ્શિયમ અને સેલેનિયમ જેવા ખનિજો આપે છે જે શરીરમાં હોર્મોન્સ અને ઓક્સિજનના પુરવઠાને સંતુલિત કરવામાં મદદ કરે છે. તેની ઠંડક ચહેરા પર પણ ચમક લાવે છે.
(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)
આ પણ વાંચો :