Health : ડુંગળી અને લસણની છાલને ફેંકતા પહેલા તેના ફાયદાઓ જાણી લેજો

ડુંગળીની (Onion )છાલનો ઉપયોગ માંસપેશીઓના દુખાવામાં રાહત મેળવવા માટે કરી શકાય છે. ડુંગળીમાં જોવા મળતા એન્ટીઓક્સીડેન્ટ્સ સ્નાયુઓમાં ખેંચાણ અને દુખાવો ઘટાડે છે.

Health : ડુંગળી અને લસણની છાલને ફેંકતા પહેલા તેના ફાયદાઓ જાણી લેજો
Benefits of Garlic and Onion Peel (Symbolic Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2022 | 8:38 AM

શાકભાજી (Vegetables )અને ફળો પોષક તત્વો અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. અને તેથી જ, દરરોજના ભોજનમાં(Food ) તાજા અને મોસમી શાકભાજીનો સમાવેશ કરવાની સલાહ આપવામાં આવે છે. શાકભાજીના ગુણો તેની છાલ માં  પણ જોવા મળે છે. તેથી ગાજર, મૂળા, ગોળ અને લીલા વટાણાની છાલ પણ રસોડામાં અલગ અલગ રીતે ઉપયોગમાં લેવાય છે અને તેનો ઉપયોગ આપણે પરાઠા, ચટણી અને કઢી બનાવવામાં કરીએ છે. પરંતુ, તમને જાણીને આશ્ચ્રર્ય લાગશે કે ડુંગળી અને લસણ જેવી શાકભાજીની સૂકી છાલનો પણ ઉપયોગ શરીરના ફાયદા માટે કરી શકાય છે.

ડુંગળી અને લસણનો ઉપયોગ મોટા ભાગે દરેક વાનગીમાં થાય છે પરંતુ તે પછી તેની સૂકાયેલી છાલ ફેંકી દેવામાં આવે છે. જો કે, વિવિધ એન્ટીઑકિસડન્ટો ઉપરાંત, તે  છાલમાં વિટામિન એ, વિટામિન ઇ અને ફ્લેવોનોઇડ્સ મોજુદ હોય છે. જેના કારણે તેનો ઉપયોગ કરીને શરીરની  અનેક પ્રકારની સમસ્યાઓથી રાહત મેળવી શકાય છે.

આ સમસ્યાઓ માટે લસણ અને ડુંગળીની છાલનો ઉપયોગ કરો

ખરજવું

ફૂગ-વિરોધી તત્વોથી ભરપૂર હોવાથી, ડુંગળી અને લસણની છાલનો ઉપયોગ ત્વચા સંબંધિત સમસ્યાઓ જેમ કે ખંજવાળ, ખરજવું માટે ઘરેલું ઉપચાર તરીકે કરી શકાય છે. ડુંગળી અને લસણની સૂકી છાલને ઉકાળો અને તેને નહાવાના પાણીમાં મિક્સ કરો અથવા આ પાણીથી ત્વચા સાફ કરવાથી ત્વચાની સમસ્યાઓ ઓછી થઈ શકે છે.

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

ઓછી ઊંઘની સમસ્યા

યોગ્ય રીતે ઊંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન જે લોકો હોય તેઓએ ડુંગળી અને લસણની છાલવાળી ચા પીવાથી તેમને ફાયદો થઈ શકે છે. આ છાલમાં એવા તત્વો જોવા મળે છે જે સ્ટ્રેસ ઘટાડે છે અને ઊંઘ વધારે છે. ઊંઘવાના થોડા સમય પહેલા લસણ અને ડુંગળીની છાલને પાણીમાં ઉકાળી, ચા બનાવીને તેનું નિયમિત સેવન કરો. તેનાથી ઊંઘ ન આવવાની સમસ્યા દૂર થશે.

સ્નાયુઓના દુઃખાવા માટે

ડુંગળીની છાલનો ઉપયોગ માંસપેશીઓના દુખાવામાં રાહત મેળવવા માટે પણ કરી શકાય છે. ડુંગળીમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ સ્નાયુઓમાં ખેંચાણ અને દુઃખાવો ઘટાડે છે. જે લોકોને વારંવાર માંસપેશીઓના દુખાવાની ફરિયાદ રહેતી હોય તેઓએ સૂકી ડુંગળીની છાલને પાણીમાં ઉકાળીને તેનો ઉકાળો બનાવીને પીવાથી રાહત મળશે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">