Health : એક દિવસમાં નવજાત બાળકને કેટલું ખવડાવવું? સવારથી સાંજ સુધીનું સંપૂર્ણ શેડ્યૂલ જાણો

એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોને માતાના દૂધ સિવાય અન્ય ફોર્મ્યુલા અથવા પ્રવાહી ન આપવું જોઈએ. જ્યુસ અથવા તો ગાયનું દૂધ પણ ન આપવું જોઈએ. આ બાળકોને જરૂરી પોષક તત્ત્વો આપતા નથી અને તે તમારા બાળકનું પેટ ખરાબ કરી શકે છે.

Health : એક દિવસમાં નવજાત બાળકને કેટલું ખવડાવવું? સવારથી સાંજ સુધીનું સંપૂર્ણ શેડ્યૂલ જાણો
Health: How much to feed a newborn baby in a day? Find out the full schedule from morning to evening
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 4:33 PM

નવા નવા માતા-પિતા (new parents) બનેલા યુગલ માટે સૌથી મોટી સમસ્યા એ છે કે બાળકને કેટલું ખવડાવવું. સવારથી સાંજ સુધીનું સંપૂર્ણ શેડ્યૂલ (schedule) જાણવું જરૂરી છે. માતા-પિતાએ તેમના બાળકો માટે તેમની ઉંમર પ્રમાણે ખોરાકનું સમયપત્રક તૈયાર કરવું અને તે મુજબ બાળકોને ખવડાવવાની જરૂર છે. કારણ કે નવજાત બાળકોનું પેટ નાનું હોય છે. એટલા માટે તેઓ એક સમયે માત્ર 1-2 ચમચી પ્રવાહી ખોરાક ખાઈ શકે છે.

જેમ જેમ બાળકો મોટા થાય છે તેમ તેમ તેમની માત્રા પણ વધે છે. આનાથી તમારા બાળકને કેટલું ખવડાવવું તે જાણવું ઘણી વાર મુશ્કેલ બને છે. જો કે, જો તમે બોટલ-ફીડિંગ કરી રહ્યાં હોવ, તો તે માપવું થોડું સરળ બની જાય છે.

સ્તનપાન કરાવતા બાળકો માટે જો કે, જુદા જુદા બાળકોની ખાવાની ક્ષમતા અલગ-અલગ હોય છે. પરંતુ 1 થી 3 મહિનાના મોટાભાગના બાળકોને દિવસમાં 7 થી 9 વખત ખવડાવવાની ભલામણ કરવામાં આવે છે. 3 મહિનાથી વધુ ઉંમરના બાળકોને 24 કલાકમાં દિવસમાં 6 થી 8 વખત ખવડાવવામાં આવે છે. જ્યારે 6 મહિનાથી વધુ ઉંમરના બાળકોને દિવસમાં લગભગ 6 વખત ખવડાવવું જોઈએ.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

6 મહિના પછી હળવો આહાર તમારા બાળકની વધારાની પોષક જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ કરી શકે છે. જેમ જેમ તમારું બાળક વધે છે તેમ તેમ તેની દૂધ પીવાની ક્ષમતા વધે છે. તે એક જ સમયે વધુ દૂધ પી શકશે, તેથી તમારે ઓછી વાર ખવડાવવાની જરૂર પડશે. બાળકના ખોરાકની પેટર્ન જોઈને તમે આનો અંદાજ લગાવી શકો છો.

નવજાત શિશુને બોટલ ફીડિંગ બોટલ-ફીડ નવજાત શિશુને માગ પ્રમાણે ખવડાવવું જોઈએ. નવજાત શિશુ માટે આ દર 2 થી 3 કલાકે થાય છે. જ્યારે 2 મહિનાના બાળક માટે, તે દર 3 થી 4 કલાકે થઈ શકે છે. 4 થી 6 મહિના સુધી, આ દર 4 થી 5 કલાકે થવું જોઈએ. જ્યારે બાળક 6 મહિના કે તેથી વધુ ઉંમરનું હોય, ત્યારે તેને દર 4-5 કલાકે સ્તનપાન કરાવવાની ભલામણ કરવામાં આવે છે.

નવજાત બાળકોને બહારનું દૂધ ન પીવડાવવું એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોને માતાના દૂધ સિવાય અન્ય ફોર્મ્યુલા અથવા પ્રવાહી ન આપવું જોઈએ. જ્યુસ અથવા તો ગાયનું દૂધ પણ ન આપવું જોઈએ. આ બાળકોને જરૂરી પોષક તત્ત્વો આપતા નથી અને તે તમારા બાળકનું પેટ ખરાબ કરી શકે છે. તમે 6 મહિનાથી મોટા બાળકને પાણી આપી શકો છો. 4 થી 6 મહિનાની ઉંમરના બાળકોને કોઈ અનાજ ન આપવું જોઈએ. આવા નાના બાળકો અનાજને પચાવી શકતા નથી.

બાળક ભૂખ્યું છે કે કેમ તે કેવી રીતે જાણવું નાના બાળકો ક્યારે ભૂખ્યા હોય અને ક્યારે ભરાઈ જાય તે કહી શકતા નથી. તમારે ફક્ત તેમના સંકેતો પર ધ્યાન આપવાની જરૂર છે. તેમની ખાવાની આદતોને પણ સમજવી. માતાપિતા તેમના બાળકોને ભૂખના ચિહ્નો દર્શાવતા પણ જોઈ શકે છે. તેમનો વિચાર કરીને તમે તેમને દૂધ પીવડાવી શકો છો.

કેટલાક ચિહ્નો જેમ કે મોંની અંદર હાથ નાખવો, ચાટવું, મોં ખોલવું અને બળતરા બતાવે છે કે તમારું બાળક ભૂખ્યું છે. બીજી બાજુ, અતિશય ખાનારા બાળકોને પેટમાં દુખાવો, ગેસ અથવા ઉલ્ટીનો અનુભવ થઈ શકે છે. આનાથી પાછળથી સ્થૂળતાની શક્યતા પણ રહે છે. તેથી, બાળકોને તેમની ઇચ્છા કરતાં થોડું ઓછું ખવડાવવું જોઈએ. આના કારણે બાળકનું પાચનતંત્ર સારું રહે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે.

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો : Health Tips: રસોઈની રાણી ‘હિંગ’ છે આરોગ્ય માટે પણ સારી, તેના આ ફાયદા વિશે તમે પણ નહીં જાણતા હોવ

આ પણ વાંચો : Health Tips: તુલસીનું પાણી સ્વાસ્થ્ય માટે છે શ્રેષ્ઠ, દરરોજ ખાલી પેટ પીવાથી થાય છે જોરદાર ફાયદા

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">