Health Benefits: સવારના નાસ્તામાં એક મુઠ્ઠી પલાળેલી મગફળીના ફાયદા અવિશ્વનીય! જાણો આ 8 ફાયદા

તમે શેકીને કે કાચી મગફળી ખાવાના આદિ હશો. પરંતુ શું તમે જાણો છો મગફળીને પલાળીને ખાવાથી સ્વાસ્થ્યને ખુબ લાભો થાય છે? ચાલો આજે તમને જણાવીએ આ લાભો વિશે.

Health Benefits: સવારના નાસ્તામાં એક મુઠ્ઠી પલાળેલી મગફળીના ફાયદા અવિશ્વનીય! જાણો આ 8 ફાયદા
Include soaked peanuts in your breakfast, it is beneficial for your health
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 7:30 AM

મગફળીનો ઉપયોગ વિવિધ વાનગીઓમાં થાય છે. તેને શેકીને અથવા કાચી પણ ખાવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો મગફળીનો પણ નાસ્તા તરીકે ઉપયોગ કરી શકાય છે. જો તેનું પલાળીને સેવન કરવામાં આવે તો તે આરોગ્ય માટે ખુબ ફાયદાકારક સાબિત થાય છે. મગફળીમાં કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, કોપર અને સેલેનિયમ જેવા ગુણધર્મો હોય છે. તેને પલાળીને ખાવાથી તેનું પોષણ મૂલ્ય વધે છે. ચાલો જાણીએ કે મગફળીને પલાળીને ખાવાથી શું લાભો થાય છે.

હૃદય રોગ

મગફળીમાં કાર્ડિયોપ્રોટેક્ટીવ ગુણ હોય છે. તે હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. હાર્ટને લગતી બીમારીઓથી બચવા માટે તમે પલાળીને મગફળીનું સેવન પણ કરી શકો છો.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

મગજ

એવા ઘણા ડ્રાયફ્રૂટ છે, જેનું સેવન કરવાથી મગજ સ્વસ્થ રહે છે. એવી જ રીતે પલાળેલી મગફળીમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. જે મગજની કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે. પલાળેલી મગફળીનું સેવન બાળકો માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. તેનું સેવન કરવાથી બાળકોના મગજની કાર્યક્ષમતામાં વધારો થાય છે.

પાચન તંત્ર

મગફળીમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે. તેનું સેવન કરવાથી તમારી પાચક શક્તિ તંદુરસ્ત રહે છે. તે પેટને લગતી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. જેથી તમે તેનું નિયમિત સેવન કરી શકો છો. તમારી પાચક ક્રિયાને સરળતાથી ચાલુ રાખવા માટે ફાઇબર ખૂબ મહત્વનું હોય છે.

ત્વચા

મગફળીના સેવનથી ત્વચાને લગતા અનેક પ્રકારના ફાયદા મળી શકે છે. તેમાં એન્ટીઓકિસડન્ટનું પ્રમાણ વધુ છે. તમે દરરોજ સવારે તેનું સેવન કરી શકો છો. જે તમારી ત્વચાને સ્વસ્થ રાખે છે. તેમજ તમારી ત્વચાને ગ્લોઇંગ રાખવામાં મદદ કરે છે.

બોડીબિલ્ડિંગ

જો તમે બોડીબિલ્ડિંગ કરો છો તો તમારે પલાળેલી મગફળી ખાવી જોઈએ. તેના ઘણા ફાયદા છે. તેમાં પ્રોટીનની માત્રા વધારે હોય છે. તમે સ્પ્રાઉટ્સની સાથે તેનું સેવન કરી શકો છો.

સાંધાનો દુખાવો

જો તમને પીઠ અથવા સાંધાનો દુખાવો થવાની સમસ્યા છે. તો આ માટે તમે મગફળીનું સેવન કરી શકો છો. ગોળ સાથે પલાળી મગફળીનું સેવન કરવાથી ઘણા ફાયદા મળે છે.

કેન્સર સેલ્સ

મગફળીમાં એન્ટીઓકિસડન્ટ, આયર્ન, ફોલેટ, કેલ્શિયમ અને જસત હોય છે. દરરોજ મુઠ્ઠીભર પલાળીને મગફળીનું સેવન કરવાથી કેન્સરના કોષો સામે લડવામાં મદદ મળે છે.

વાળ ખરવા

પલાળેલી મગફળીમાં વિટામિન C હોય છે. આ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેનું નિયમિત સેવન કરવાથી વાળ ખરવાના ઓછા થાય છે. તે વાળના વિકાસમાં પણ મદદ કરે છે.

આ પણ વાંચો: Health Tips: કલાકો સુધી બેસી રહેવાની ટેવ પડી જશે ભારે, થઇ શકે છે આ ગંભીર બીમારીઓ

આ પણ વાંચો: Brain food: ભણતા વિદ્યાર્થી અને વારંવાર વસ્તુ ભૂલી જતા લોકો માટે ખાસ, આ ફૂડથી વધશે યાદશક્તિ અને એકાગ્રતા

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">