Alert: શૌચાલય ગયા પછી હાથ ન ધોવાની આદત પડી શકે છે ભારે, જાણો શું થઈ શકે છે નુકસાન
શું તમને ખબર છે જમતા પહેલા હાથ ધોવા પૂરતા નથી? કારણ કે જ્યારે પણ તમે શૌચાલયનો ઉપયોગ કરીને તમારા હાથ ધોયા વગર બોટલ અને મોબાઈલ જેવી વસ્તુઓને સ્પર્શ કરો છો, ત્યારે ચેપનું જોખમ વધે છે. જાણો વિગતે.
ઘણા લોકો શૌચાલયનો ઉપયોગ કર્યા પછી હાથ ધોતા નથી અથવા યોગ્ય રીતે હાથ ધોયા વગર વોશરૂમ છોડતા નથી. જો તમને પણ આવી આદત છે, તો તમે તમારી સાથે પરિવારના અન્ય સભ્યોના સ્વાસ્થ્ય સાથે રમી રહ્યા છો. શૌચક્રિયા પછી સાબુ અને પાણીથી હાથ ન ધોવાની ટેવ ખતરનાક બની શકે છે.
આ એટલા માટે તમને જણાવી રહ્યા છીએ કારણ કે વોશરૂમમાં મોટાભાગના જંતુઓ અને બેક્ટેરિયા હોય છે. જો તમે જાહેર શૌચાલયનો ઉપયોગ કરો છો તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. જો તમે શૌચાલયનો ઉપયોગ કર્યા પછી તમારા હાથ ધોતા નથી અને તે પછી તમે તમારા હાથથી જે પણ સ્પર્શ કરો છો ત્યાં જંતુઓ ચોંટી જાય છે. જમતા પહેલા હાથ ધોવા પૂરતા નથી. કારણ કે જ્યારે પણ તમે શૌચાલયનો ઉપયોગ કરીને તમારા હાથ ધોયા વગર બોટલ અને મોબાઈલ જેવી વસ્તુઓને સ્પર્શ કરો છો, ત્યારે ચેપનું જોખમ વધે છે. આ વસ્તુઓને વારંવાર સ્પર્શ કરવાથી બેક્ટેરિયા ફેલાય છે. ચાલો જણાવી દઈએ કે તમારા સ્વાસ્થ્ય માટે કેવી રીતે હાનિકારક છે.
ત્વચાને નુકસાન કરે છે
જો તમારી ત્વચા સંવેદનશીલ છે. તો આવી સ્થિતિમાં જ્યારે તમે ગંદા હાથથી ત્વચાને સ્પર્શ કરો છો, ત્યારે ત્વચાની સમસ્યાની સમસ્યા વધી જાય છે. તમને ત્વચા પર ફોલ્લીઓ, ખીલ અને ખંજવાળની સમસ્યા થઈ શકે છે.
અન્ય લોકો બીમાર થઇ શકે છે
આ ખરાબ આદતના કારણે તમે પેથોજેનના વાહક બની શકો છો અને કોઈપણ જે તમારા કે તમારા હાથના સંપર્કમાં આવે છે. અથવા સંપર્કમાં આવેલી વસ્તુઓને અન્ય વ્યક્તિ સ્પર્શ કરે છે. તો તે બીમાર થઇ શકે છે.
હાથ ધોવાની સાચી રીત
1. તમારે હાથની બંને બાજુને સારી રીતે ધોવી પડશે. 2. હાથને સાબુથી સારી રીતે ધોવા. જે બેક્ટેરિયાને મારી નાખે છે. 3. હાથ ધોતી વખતે, આંગળીઓ અને નખ સારી રીતે સાફ કરો. 4. બેક્ટેરિયા ભીના હાથ પર ઝડપથી ફેલાય છે, તેથી હાથને સારી રીતે સાફ કરો. 5. હાથ લૂછ્યા પછી કાગળનો ટુવાલ એટલે કે ટીસ્યુ ફેંકવાને બદલે, દરવાજાની નોબને સારી રીતે સાફ કર્યા પછી ફેંકી દો. કારણ કે તમે જાણતા નથી કે જે વ્યક્તિએ તમારા પહેલા શૌચાલયનો ઉપયોગ કર્યો હતો તેણે હાથ સાફ ધોયા હતા કે નહીં.
આ પણ વાંચો: ચેતી જજો: તમે જે આઈસ્ક્રીમ ખરીદી રહ્યા છો એ અસલી છે કે નકલી? તપાસો આ રીતે
આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: શું માસિકધર્મ દરમિયાન મહિલાઓએ COVID -19 ની વેક્સિન લેવી જોઈએ? જાણો એક્સ્પર્ટનો જવાબ