Fitness Funda : વધુ પ્રમાણમાં પાણી પીવું તમારા સ્વાસ્થ્ય માટે છે હાનિકારક, જાણો દિવસ દરમિયાન કેટલું પાણી પીવું યોગ્ય ?

જે લોકો ફીટ થવાના ચક્કરમાં રોજ 4 લિટરથી વધુ પાણી પી જાય છે. તેમણે સાવધાન થઇ જવાની જરૂર છે. કારણ કે જરૂરિયાતથી વધુ પાણી પીવુ એ પણ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

Fitness Funda : વધુ પ્રમાણમાં પાણી પીવું તમારા સ્વાસ્થ્ય માટે છે હાનિકારક, જાણો દિવસ દરમિયાન કેટલું પાણી પીવું યોગ્ય ?
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Jun 21, 2021 | 8:28 PM

જળ એજ જીવન છે આ વાતમાં શંકાને કોઇ સ્થાન નથી. વ્યક્તિ એક સમયે ભૂખ્યો રહી શકે છે પરંતુ તરસ લાગી હોય તો પાણી પીધા વગર તે રહી નથી શક્તો. જો કોઇ તરસ્યા માણસને ઝડપથી પાણી નહી મળે તો તેનું મોત પણ થઇ શકે છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે વ્યક્તિએ એક દિવસમાં 2 લિટર જેટલું પાણી પીવું જોઇએ. જો તેઓ મહેનતનું કામ કરતા હોય અથવા તો રમત-ગમત સાથે જોડાયેલા હોય તો દિવસ દરમિયાન 4 લિટર પાણી પીવું જોઇએ.

જે લોકો ફીટ થવાના ચક્કરમાં રોજ 4 લિટરથી વધુ પાણી પી જાય છે તેમણે સાવધાન થઇ જવાની જરૂર છે. કારણ કે જરૂરિયાતથી વધું પાણી પીવુ એ પણ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જરૂરિયાત કરતા વધુ પાણી પીવાથી પણ માણસનું મોત થઇ શકે છે.

હેલ્થ એક્સપર્ટ્સનું કહેવુ છે કે, આપણે આપણા વજનના હિસાબે પાણી પીવું જોઇએ. જો તમારુ વજન 60 કિલોની આસપાસ છે તો તમારે દિવસ દરમિયાન 2 લિટર પાણી પીવું જોઇએ. જો તમે જીમ જતા હોવ, એથલીટ હોવ અથવા તો વધારે મહેનતનુ કામ કરતા હોવ તો 3 થી 4 લિટર પાણી તમારા માટે પર્યાપ્ત છે. લાંબા સમય સુધી 4 લિટર કરતા વધું પાણી પીવું તમારા માટે નુક્સાન કારક સાબિત થઇ શકે છે. વધારે પાણી પીવાથી તમારુ વજન વધે છે. શરીર એક નિર્ધારિત માત્રા સુધી જ પાણીનો નિકાલ કરવા માટે સક્ષણ હોય છે. જો આપણે રોજ વધારે પાણી પી લઇએ તો તે શરીરમાં જમા થવા લાગે છે અને પછી આપણું વજન વધે છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

જરૂરિયાત કરતા વધું પાણી પીવાથી શરીરમાં હાજર સોડિયમનું પ્રમાણ ઘટવા લાગે છે. સ્વસ્થ મગજ માટે શરીરમાં સોડિયમનું પ્રમાણ જળવાયેલુ હોવું જરૂરી છે. જો શરીરમાં સોડિયમનું પ્રમાણ ઘટે છે તો તે સ્થિતીને હાઇપોટ્રિમિયા કહે છે. શરીરમાં સોડિયમનું પ્રમાણ ઓછું થવાથી મગજમાં સોજા ચડે છે અને આ સ્થિતિ ખુબ જ ખતરનાક હોય છે. આ સ્થિતિમાં માણસ કોમામાં પણ જઇ શકે છે.

વધુ પાણી પીવાથી કિડની પણ ખરાબ થઇ શકે છે

જરૂરિયાત કરતા વધારે પાણી પીવાથી આપણી કિડની પર પણ ખરાબ અસર થાય છે. વધારે પાણી પીવાથી ઓવરહાઇડ્રેશનની સમસ્યા થવા લાગે છે. તેવી સ્થિતીમાં આપણી કિડની પર ઘણી બધી ખરાબ અસર થાય છે. આપણી કિડની પાણીને ફિલ્ટર કરતી હોય છે માટે વધારે પાણી પીવાથી આપણી કિડનીનું કામ વધી જાય છે. લાંબા સમય સુધી જો આવું જ ચાલતુ રહે તો આપણી કિડની પણ ખરાબ થઇ શકે છે

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">