Health Tips: કસરત કરવાનો સમય નથી તો માત્ર 10 મિનિટ વગાડો તાળી, આના ફાયદા તમને આશ્ચર્યચકિત કરી દેશે

આપણે બધા મનોરંજન માટે તાળીઓ વગાડીને આપણી ખુશી વ્યક્ત કરીએ છીએ, પણ હકીકતમાં તાળી વગાડવી એ તમારી ખુશી વ્યક્ત કરવાની રીત જ નહીં પણ એક કસરત પણ છે. જાણો તેના ફાયદા.

Health Tips: કસરત કરવાનો સમય નથી તો માત્ર 10 મિનિટ વગાડો તાળી, આના ફાયદા તમને આશ્ચર્યચકિત કરી દેશે
Clapping Benefits
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 7:18 AM

જ્યારે કોઈ આનંદદાયક પ્રસંગ હોય કે કોઈ પ્રકારનું મનોરંજન હોય ત્યારે આપણે ઘણી વખત તાળીઓ વગાડીને આપણી ખુશી વ્યક્ત કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે તાળી વગાડવી પણ એક કસરત છે. તાળીઓ આપણા શરીરના એક્યુપ્રેશર પોઇન્ટને દબાવી દે છે.

જો તાળીઓ દરરોજ 10 થી 15 મિનિટ માટે પાડવામાં આવે છે, તો તે શરીરના ઉર્જા ચક્રને સક્રિય કરે છે અને તમામ સમસ્યાઓ, માત્ર શારીરિક જ નહીં પણ માનસિક રીતે પણ દૂર કરે છે. તે શરીરના રક્ત પરિભ્રમણને પણ સુધારે છે. વ્યક્તિ ડિપ્રેશન જેવી તમામ સમસ્યાઓથી પણ બચી જાય છે. તાળી વગાડવાના ઘણા ફાયદાઓ વિશે અહીં જાણો.

ઉર્જા ચક્રો સક્રિય કરે છે

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

જો તમે દરરોજ 10 થી 15 મિનિટ તાળી વગાડો છો, તો તમારા શરીરમાં હાજર સાત ચક્ર ધીમે ધીમે સક્રિય થવા લાગે છે. ચક્ર એક પરિમાણથી બીજા પરિમાણમાં શરીરની હિલચાલ સાથે સંબંધિત છે, એવી રીતે કે તેમના સક્રિયકરણને કારણે શરીરમાં ઉર્જા ઉત્પન્ન થાય છે. જો આ ચક્રો સક્રિય થાય છે, તો વ્યક્તિની એકાગ્રતા અને તેની કામ કરવાની ક્ષમતા ઘણી વધી જાય છે. આ કારણે, જીવનમાં આવા ઘણા પરિવર્તન આવી શકે છે, જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય.

આ રોગોથી છુટકારો મળે છે

રોજ તાળીઓ પાડવાથી વ્યક્તિને પેટની સમસ્યા, ગરદન અને પીઠનો દુખાવો, કિડની અને ફેફસાની સમસ્યા વગેરે જેવી તમામ સમસ્યાઓથી છુટકારો મળે છે. આ ઉપરાંત, તે તમારા મૂડમાં પણ સુધારો કરે છે. જો તમે દરરોજ સવારે તાળીઓ વગાડો છો, તો તેના ચમત્કારિક ફાયદા સામે આવે છે.

વધારાની કેલરી બર્ન કરે છે

તમે જોયું હશે કે તાળી પાડતી વખતે માત્ર હાથ જ નહીં, પરંતુ આખા શરીરની ઉર્જા ખર્ચાઈ જાય છે. આનો અર્થ એ છે કે તાળી વગાડવાથી, તમે શરીરની વધારાની કેલરી પણ બર્ન કરી શકો છો અને તમારી સ્થૂળતાને વધતા અટકાવી શકો છો. જો તમે દરરોજ કસરત કરી શકતા નથી, તો તમારે 10 થી 15 મિનિટ સુધી નિયમિત તાળી પાડવી જોઈએ.

રક્ત પરિભ્રમણમાં સુધારો

તાળીઓ પાડવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે. બ્લડ પ્રેશરના દર્દીઓ માટે તાળી વગાડવી ખૂબ જ સારી કસરત માનવામાં આવે છે. તે વ્યક્તિને ડિપ્રેશન જેવી સમસ્યાઓથી પણ બચાવે છે. તેથી, દરેક વ્યક્તિએ તાળીઓ પાડવાની ટેવને પોતાની દિનચર્યામાં સામેલ કરવી જોઈએ

આ રીતે તાળી પાડો

તાળી પાડવા માટે તમે પદ્માસન અથવા વજ્રાસનમાં બેસો. હવે તમારા હાથ ઓપર કરો. તમારી આંગળીઓ છત તરફ હોવી જોઈએ. આ પછી, તમારી હથેળીઓ પહોળી કરો અને શરીરના ઉપલા ભાગને સીધો રાખો અને તાળીઓ વગાડો. સામાન્ય રીતે શ્વાસ ચાલુ રાખો.

આ પણ વાંચો: Health: કેસરનું દૂધ છે અદભુત, શિયાળામાં રોજ એક ગ્લાસ આ દૂધ પીવાથી મહિલાઓને થશે આ 6 ફાયદા

આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામ પર ફૂડની તસવીરો પોસ્ટ કરીને જમવાથી તમારું વજન વધી શકે છે: સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">