World Asthama Day 2021: તમને અસ્થમા છે ? જાણો, વિશ્વ અસ્થમા દિવસના ઈતિહાસ, મહત્વ અને થીમ બાબતે

અસ્થમા ( Asthama ) વિશે જાગૃતિ ફેલાવવા અને આ ભયંકર રોગમાં કેવી રીતે યોગ્ય સારવાર અને સારવાર દ્વારા અસ્થમાને નિયંત્રિત કરી શકાય છે તે માટે દર વર્ષે મેના પ્રથમ મંગળવારે, 'વિશ્વ અસ્થમા દિવસ' ( World Asthama Day ) ઉજવવામાં આવે છે.

World Asthama Day 2021: તમને અસ્થમા છે ? જાણો, વિશ્વ અસ્થમા દિવસના ઈતિહાસ, મહત્વ અને થીમ બાબતે
જાણો, વિશ્વ અસ્થમા દિવસના ઈતિહાસ, મહત્વ અને થીમ બાબતે
Follow Us:
| Updated on: May 04, 2021 | 4:35 PM

અસ્થમા ( Asthama ) વિશે જાગૃતિ ફેલાવવા અને આ ભયંકર રોગમાં કેવી રીતે યોગ્ય સારવાર અને સારવાર દ્વારા અસ્થમાને નિયંત્રિત કરી શકાય છે તે માટે દર વર્ષે મેના પ્રથમ મંગળવારે, ‘વિશ્વ અસ્થમા દિવસ’ ( World Asthama Day ) ઉજવવામાં આવે છે.

દર વર્ષે મે મહિનાના પ્રથમ મંગળવારે અસ્થમા રોગ અને કેવી રીતે આ ભયંકર રોગને યોગ્ય સારવાર અને સારવાર દ્વારા નિયંત્રિત કરી શકાય છે તેના વિશે જાગૃતિ ફેલાવવા માટે ‘વિશ્વ અસ્થમા દિવસ’ ઉજવવામાં આવે છે. અસ્થમા એ ફેફસાંને લગતો રોગ છે. જે શરીરમાં સાંકડા શ્વસન માર્ગને લીધે શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) મુજબ, તેરમાંથી એક અમેરિકનને અસ્થમા હોય છે અને આ દિવસની ઉજવણી, લોકોમાં અસ્થમા અંગે જનજાગૃતિ ફેલાવવા અને અસ્થમા રોગ બાબતે લોકોને અવગત કરાવવા માટે કરવામાં આવે છે.

વિશ્વ અસ્થમા દિવસની ઉજવણી 1993 માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ( WHO) સહયોગથી ગ્લોબલ ઇનિશિયેટિવ ફોર અસ્થમા (જીઆઇએનએ) દ્વારા કરવામાં આવી હતી. 1998 માં 35 થી વધુ દેશોમાં તે પ્રથમવાર ઉજવવામાં આવ્યો હતો.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ડબ્લ્યુએચઓ (WHO) આ દિવસને મેજર પબ્લિક હેલ્થ ઇમ્પોર્ટન્સી તરીકે ગણે છે. ડબ્લ્યુએચઓ અનુસાર, એવો અંદાજ મૂકવામાં આવ્યો હતો કે વૈશ્વિક સ્તરે 339 મિલિયનથી વધુ લોકોને અસ્થમા છે અને 2016 માં વૈશ્વિક સ્તરે અસ્થમાને લીધે 417,918 લોકો મૃત્યુ પામ્યા હતા.

વિશ્વ અસ્થમા દિવસ 2021 થીમ:

આ વર્ષે, વિશ્વ અસ્થમા દિવસની થીમ “અસ્થમાની ગેરસમજને ઉજાગર કરવા” અંગે છે. અસ્થમાની ગેરસમજને ઉજાગર કરવાનો વિષય એ છે કે અસ્થમા રોગ અને તેને સંલગ્ન તકલીફો બાબતોની ગેરસમજને દૂર કરવી.

દમની સામાન્ય ગેરસમજો શું છે ?

1. અસ્થમા એ બાળપણનો રોગ છે, જેમ જેમ મોટા થાવ તેમ તેમ રોગથી મુક્ત થવાય છે.

2. અસ્થમાથી પીડિતોએ કસરત કરવાનું ટાળવું જોઈએ.

3. અસ્થમા સ્ટીરોઇડ્સના હાઈ ડોઝ દ્વારા નિયંત્રિત થાય છે.

4. અસ્થમા ચેપી છે.

અસ્થમા વિશે સાચુ શું છે ?

1. અસ્થમા કોઈપણ ઉંમરે થઈ શકે છે.

2. અસ્થમા રોગ એ ચેપી નથી.

3 જ્યારે અસ્થમા નિયંત્રણમાં હોય ત્યારે અસ્થમાના દર્દી સારી રીતે કસરત કરી શકે છે.

4. અસ્થમા ઓછી માત્રાવાળા ઇન્હેલ્ડ સ્ટીરોઇડ્સ દ્વારા નિયંત્રિત થાય છે.

અસ્થમા વાળા દર્દીએ શું કરવું જોઈએ ?

અસ્થમાવાળા વ્યક્તિએ તેની દવાઓનું યોગ્ય રીતે પાલન કરવું જોઈએ. અસ્થમાના દર્દીએ હંમેશા તેના નેબ્યુલાઇઝર અને ઇન્હેલરને હાથવગા રાખવા જોઈએ. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) મુજબ, અસ્થમાથી પીડિત લોકોએ સ્વચ્છ વાતાવરણમાં રહેવું જોઈએ. શક્ય તેટલી તાજી અને શુધ્ધ હવા લેવી જોઈએ. સૌથી મહત્વની બાબત એ છે કે અસ્થમાના દર્દીઓએ તેમના સ્વાસ્થ્ય વિશે જાગૃત હોવું જોઈએ જેથી તેઓ કોઈ પણ કટોકટીની પરિસ્થિતિ વહેલામાં વહેલા મદદરૂપ થઈ શકે. કેટલીકવાર લોકો નેબ્યુલાઇઝર્સ પણ સાથે રાખવાનું ભૂલી જાય છે, જેના કારણે, મોટાભાગના કિસ્સાઓમાં, અસ્થમાના ગંભીર હુમલાને કારણે મૃત્યુ પણ થાય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">