જાણો કયા સુપર ફુડ ખાવાથી તમે તમારુ સ્વાસ્થ્ય તંદુરસ્ત બનાવી શકો છો

નવા વર્ષના આગમન પર લોકો નવા નિયમો લે છે. જેમા તમે પણ 2023મા હેલ્ધી ફુડ ખાવાનો નિયમ લઈ શકો છો અને તમારુ સ્વાસ્થ્ય જાળવી શકો છો. અત્યારે લોકોની જીવનશૈલી ખરાબ હોવાના કારણે તે પોતાના સ્વાસ્થ્યનુ ધ્યાન નથી રાખતા જેથી તે અનેક બીમારી થવાની શક્યતા વધી જાય છે.

જાણો કયા સુપર ફુડ ખાવાથી તમે તમારુ સ્વાસ્થ્ય તંદુરસ્ત બનાવી શકો છો
Healthy Food
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2022 | 2:05 PM

વિશ્વભરના લોકો 2022ના અંત માટે અને 2023 આગમન માટે હર્ષ ઉલ્લાસથી તૈયારી કરી રહ્યા છે. નવા વર્ષના આગમન પર લોકો નવા નિયમો લે છે. જેમા તમે પણ 2023મા હેલ્ધી ફુડ ખાવાનો નિયમ લઈ શકો છો અને તમારુ સ્વાસ્થ્ય જાળવી શકો છો. અત્યારે લોકોની જીવનશૈલી ખરાબ હોવાના કારણે તે પોતાના સ્વાસ્થ્યનુ ધ્યાન નથી રાખતા જેથી તે અનેક બીમારી થવાની શક્યતા વધી જાય છે. જો સારુ સ્વાસ્થ્ય જાળવવા માટે વ્યાયમ અને ડાયટ પર ધ્યાન આપવુ જોઈએ. જેમા તમે આ પ્રકારના સુપરફુડ ખાઈને તમારુ સ્વાસ્થ્ય જાળવી શકો છો, જેમાથી તમને વિટામિન્સ, મિનરલ અને હેલ્ધી ફેટ મળી રહે છે.

હળદર

ભારતમા મળતી લીલી હળદર અને હળદર પાવડરનો ઉપયોગ દરેક વાનગીઓમા કરવામા આવે છે. હળદરમા સૌથી વધુ કરક્યુમીન તત્વ જોવા મળે છે. હળદરનો ઉપયોગ ખાવાની સાથે સાથે બ્યુટી ટીપ્સ માટે પણ થાય છે. હળદરના નિયમિત ઉપયોગથી ત્વચાની સમસ્યાઓ દૂર કરવામા મદદ રુપ સાબિત થાય છે.

આમળા

શિયાળામા આમળા ખાવા ખૂબ ફાયદાકારક છે. આમળામા વિટામીન સી સારા પ્રમાણમા હોવાથી ઈમ્યુનિટીમા વધારો થાય છે. આમળાને જ્યુસ, મુખવાસ અને તેના પાવડરના રુપમા પણ લઈ શકાય છે. આમળાનુ સેવન કરવાથી શરીરમા રહેલા ટૉક્સિનને બહાર નિકાળવામા મદદરુપ થાય છે. આ પાચન તંત્રને સ્વસ્થ થાય છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

એવોકાડો

એવોકાડોને એક સુપરફુડ માનવામા આવે છે. એવોકાડો ખાવામાં હેલ્ધી ફેટ, મિનરલ્સ, ફાઈબર અને વિટામિન હોય છે. તેનો ઉપયોગ કરવાથી તમને બળતરા, ડાયાબિટીસ અને હૃદય રોગ વગેરેથી દૂર કરવામા મદદરુપ થાય છે.

લીલા પાંદડાવાળા શાકભાજી

આહારશાસ્ત્રી હંમેશા લોકોને લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરવાની સલાહ આપે છે. આ શાકભાજીમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. તેથી સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર કરે છે. લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન તમારી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. શિયાળામાં આ શાકભાજીનું સેવન કરવાથી શરીર ઉર્જાવાન બનાવે છે.

ડ્રાયફ્રુટ્સનું સેવન 

ડ્રાયફ્રુટ્સનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. તેમાં આયર્ન, પોટેશિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ અને ઝિંક જેવા પોષક તત્વો હોય છે. તમે ડાયટમાં મગફળી, કાજુ, પિસ્તા અને ખજૂર જેવા ડ્રાયફ્રૂટ્સનો સમાવેશ કરી શકો છો.

દેશી ઘી

ભારતમા મોટા ભાગે દેશી ઘીનો ઉપયોગ કરીને અનેક પ્રકારની વાનગીઓ બનાવવામા આવે છે. જો રોજ 1 થી 2 ચમચી દેશી ઘી રોટલી, ભાત કે દાળ વગેરેમાં નાખીને ખાવાથી લાભ મળે છે. શિયાળામાં દેશી ઘીનું સેવન તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

બેરી

તમામ પ્રકારની સ્ટ્રોબેરી, રાસબેરી, બ્લુબેરી અને ક્રેનબેરી જેવી બેરી મહિલાઓના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક છે. ખાસ કરીને મહિલાઓ માટે બેરીનુ સેવન કરવાથી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આમાં રહેલા પોષક તત્વો મહિલાઓ બ્રેસ્ટ અને પેટ જેવા કેન્સરથી બચાવવાનું કામ કરે છે.

ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">